ગુજરાત
3759 लेख
આંકલાવ તાલુકાના ગંભીરા સ્થિત સરદાર પટેલ ન્યુટ્રિ સ્માર્ટ સ્કૂલ ખાતે પોષણ માસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના થકી લોકોને જીવનમાં પોષણનું મહત્વ સમજાવી પોષણ વિશે જાગૃત કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકાના ગંભીરા સ્થિત સરદાર પટેલ ન્યુટ્રિ સ્માર્ટ સ્કૂલ ખાતે ન્યુટ્રિશન ઈન્ટરનેશન, શાળા સંચાલન મંડળ, આઈ.સી.ડી.એસ. તથા આરોગ્ય વિભાગના સહયોગથી પોષણ કાર્યક્રમ યોજાયો હતો.
આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતાં શ્રી પ્રવીણ ચૌધરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. શ્રી પ્રવીણ ચૌધરીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.
સંત નિરંકારી મંડળ દ્વારા વિશેષ રક્ત દાન શિબિર અને સત્સંગ નું આયોજન ‘ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગ થી ૧૪૩ યુનિટ એકત્ર કરાયું’
સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ ના આશીર્વાદ થી સંત નિરંકારી મંડળ દ્વારા આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ બ્રાંચ, રામદેવનગર કેમ્પસ ખાતે રવિવાર તારીખ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ એક રક્ત દાન શિબિરનું આયોજન કરી ૧૪૩ યુનિટ એકત્ર કરી ને માનવ કલ્યાણ હેતુ એકત્ર કરીને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને આપવામાં આવ્યું હતું.
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ડૉ.દેશમુખની ઉપસ્થિતિમાં સિસોદ્રા ગામે રાહત સામગ્રીનું વિતરણ કરાયું
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભાના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સહયોગથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીરી ભુપેન્દ્ર પટેલ
માળખાકીય વિકાસ થકી નવા સીમાચિહ્નો સ્થાપવામાં ગુજરાત સદા અગ્રેસર, ગુજરાતમાં માળખાકીય વિકાસ માટે બજેટમાં માર્ગ મકાન વિભાગને ૨૦,૬૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી, આ ઓવરબ્રિજ દ્વારા રાજકોટ,જામનગર, મોરબીના મુસાફરો અને ઓદ્યોગિક વાહનોને આવનજાવનમાં સુગમતા રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે આવતા ગાંધી જયંતિ,ગુરૂનાનક જયંતિ અને નાતાલમાં પ્રવાસીઓ માટે ચાલુ રહેશે
તા.૩ ઓક્ટોબર, તા.૨૮ નવેમ્બર અને તા.૨૬ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે જેની નોંધ લેવી.
જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં નર્મદા પોલીસ પુત્ર અને પુત્રી પ્રથમ ક્રમે વિજેતા બની ગૌરવ વધાર્યું
નર્મદા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તાહિર વ્હોરાનાં બંને સંતાનોએ રમતગમત ક્ષેત્રે અવ્વલ આવી જિલ્લા અને પોલીસ પરિવારનું નામ રોશન કર્યું.
ડેડીયાપાડાના કણબીપીઠા ગામે બનાવેલ પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ
લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ દીવાલ વરસાદના પગલે ધોવાણ થઈ જતા બાજુમાં આવેલ વિધવા મહિલાના મકાનને જોખમ વધ્યું, લોક ચર્ચા મુજબ આ પ્રોટેક્શન દીવાલ તલાટી દ્વારા જાતેજ બનાવાઇ હતી તો શું તલાટી પાસે સિવિલ એન્જીનીયરની ડીગ્રી છે ખરી?
વાઘપરા ગામમાં પરણીતાએ સાસરિયાંનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાંનાં ત્રાસથી પરણીતાએ પોતના પિયર વાઘપરા ગામમાં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
ઝગડીયા તાલુકાના પૂર અસરગ્રસ્તોની વ્હારે આવી ભરૂચ જિલ્લાની ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા
મુસ્કાન વસાવાએ પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું.
રાજપીપળા સોનીવાડમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે ઈકો ફ્રેન્ડલી ગણપતિ જોવા ભક્તોની ભીડ
રાજપીપળા સોનીવાડ શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા સતત ૩૨ વર્ષથી ગણપતિ સ્થાપના,આ ૩3મું વર્ષ, - આ મંડળ છેલ્લા દસ વર્ષથી માટીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે અને અન્ય લોકોને પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા લાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે ₹5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, રાજ્યના વિદ્યાર્થીઓ માટે ₹1426 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ્સ અને અન્ય સુવિધાઓ, ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાતના વલસાડમાં હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ ફાટી નીકળી
મુંબઈથી અમદાવાદ જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતાં હંગામો મચી ગયો હતો. આ ઘટના રેલ્વે આગના તાજેતરના તાર ઉમેરે છે, જેમાં અગાઉની ઘટના 15 સપ્ટેમ્બરના રોજ મેમુ ટ્રેન સાથે સંકળાયેલી હતી.
૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ
મનોરંજનનો મહાથાળ એટલે નાટ્યોત્સવ : ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ, સતત સાત દિવસ સુધી માત્ર ને માત્ર ગુજરાતી નાટકોનો મહતોત્સવ યોજાયો હોય એવું તમને યાદ છે ? કારણ કે આવું છેલ્લા બે ત્રણ દાયકામાં આવું બન્યું હોય એવું તો મને પણ યાદ નથી આવતું . એક સપ્તાહ સુધી આયોજન કરવામાં આવેલા આ નાટ્યોત્સવમાં માત્ર ગુજરાતી ભાષાના નાટકો જ માણવા મળશે.
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે આજરોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે તા. 23 સપ્ટેમ્બર 2023 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો હતો જે શ્રી કૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાનીના અવતરણનો શુભ દિવસ છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના 15 દિવસ અંતે રાધાષ્ટમી ઉત્સવ આવે છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.
વડોદરા ડિવિઝનના 17 કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત
વેસ્ટર્ન રેલ્વેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝન ના સત્તર રેલ્વે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન ઓપરેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા
ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમી, વડોદરામાં 01 થી 20 સપ્ટેમ્બર, 2023 સુધી રાજભાષા પખવાડીયા સમારોહનું આયોજન કરવામાં આવ્યું
20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે 22 સપ્ટેમ્બર થી રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત
પૂરનું પાણી ઓસરી ગયા પછી વડોદરા મંડળ દ્વારા સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું. રેલવે કર્મચારીઓએ ઊંચા કિનારા ઉપર થયેલા નુકસાનના સમારકામ માટે યુદ્ધના ધોરણે દિવસ-રાત કામ કર્યું અને રેલવે ટ્રેકને રેકોર્ડ સમયમાં ટ્રેનોની અવરજવર માટે તૈયાર કરીને ઉલ્લેખનિય ઉપલબ્ધિ પ્રાપ્ત કરી.
અમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
દરિયાપુર વિધાનસભાના સભ્ય કૌશિક જૈનની શ્રી અમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસિએશન સાથેની બેઠક, જૈનનું સન્માન કરવામાં આવ્યું હતું.