મુખ્ય સામગ્રી પર જાઓ

અમિત શાહના નેતૃત્વમાં પર્યાવરણ અભિયાન: સાણંદમાં 52 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને હરિયાળું બનાવવા માટે એક વિશાળ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.

અમિત શાહના નેતૃત્વમાં પર્યાવરણ અભિયાન: સાણંદમાં 52 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન

 ‘ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા’ સંકલ્પ સાથે આગામી ૧૨ જુલાઈ ૨૦૨૬, રવિવારના રોજ મોટા પાયે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના પરિવારના સભ્ય દીઠ એક છોડ વાવવા અને તેના ઉછેરની જવાબદારી લેવા માટે આહવાન કરાયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ૨૦૨૬-૨૭ દરમિયાન ગાંધીનગર લોકસભા હેઠળ આવતી તમામ સાત વિધાનસભા બેઠકોમાં કુલ ૧,૦૧,૧૦,૦૨૬ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જેમાં સાણંદ વિધાનસભામાં સૌથી વધુ ૫૨.૬૪ લાખ વૃક્ષ-વાવેતરનું આયોજન કરાયું છે. કલોલ તેમજ ગાંધીનગર (ઉત્તર) જેવા વિસ્તારોમાં પણ લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરી ગ્રીન કવરને વ્યાપક બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૫ સુધીના સમયગાળામાં કરાયેલા સઘન વાવેતરના પરિણામે આ વિસ્તારની ગ્રીન કવરમાં ૧૧.૨૫ ટકાનો નોંધપાત્ર વધારોય થયો છે.

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં ૯૪ જેટલા ‘ઑક્સિજન પાર્ક’ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના સાબરમતી, ગોતા, થલતેજ, બોડકદેવ, સરખેજ અને વેજલપુર જેવા વિવિધ વોર્ડમાં ફેલાયેલા આ પાર્કોમાં જાપાનીઝ તકનીક 'મિયાવાકી' અને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી ખૂબ ટૂંકા ગાળામાં અર્બન ફોરેસ્ટ ઊભા કરવામાં આવ્યા છે.

આગામી રવિવારે યોજાનારા આ સામૂહિક મહોત્સવમાં જનભાગીદારી વધારવા માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરાયું છે. નાગરિકો સવારે નિર્ધારિત મુખ્ય સ્થળો પર પર્યાવરણ મહોત્સવનો હિસ્સો બની શકશે. આ મહા-અભિયાનમાં જોડાવા અને વૃક્ષારોપણની નોંધણી કરાવવા માટે સત્તાવાર વેબસાઇટ www.gandhinagarloksabha.in પર રજીસ્ટ્રેશન કરાવવા સૌ નાગરીકોને અપીલ કરવામાં આવી છે.

Tags: અમિત શાહ સાણંદ પર્યાવરણ અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

સંબંધિત સમાચાર