જયપુર: શનિવારે જયપુરના બસ્સી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 5 મજૂરો જીવતા સળગી ગયાના સમાચાર છે, જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બસ્સી પોલીસ સ્ટેશન વિસ્તારના શાલીમાર ફેક્ટરીમાં આ ઘટના બની હતી. કારખાનામાં અચાનક બોઈલર ફાટ્યું. તે સમયે ત્યાં મજૂરો કામ કરતા હતા.
કહેવાય છે કે બસ્સી વિસ્તારમાં બૈનાડ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં શનિવારે સાંજે બોઈલર અચાનક ફાટ્યું હતું અને જોરદાર આગ ફાટી નીકળી હતી. બસ્સી પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની મદદથી આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેમિકલ ફેક્ટરી બસ્સીના બૈનાડમાં આવેલી છે. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.
થોડા દિવસો પહેલા વિશ્વકર્માના એક મકાનમાં પણ આગ લાગી હતી. આમાં પાંચ લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. જયપુરમાં આવી આગની આ બીજી ઘટના હોવાનું જાણવા મળે છે.


