આજરોજ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર જેનીબેન ઠુંમર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આ પહેલા અમરેલીનાં કુંકાવાવ રોડ પર આવેલ "વિ.કે. ફાર્મ "ખાતે ઉમેદવારનાં સમર્થનમાં "જન આશીર્વાદ સભાં"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાંમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તા ઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચુંટણીમાં અમરેલી બેઠક પર ભાજપ ખુબજ રક્ષણાત્મક સ્થિતિમાં હોય તેમ મોળો મોળો પ્રચાર કરી રહ્યું છે. એક તરફ કોંગ્રેસનાં ઉમેદવાર મીડિયા સામે આવી અમરેલી જિલ્લાનાં વિકાસ માટેનાં પોતાના આયોજનની ચર્ચા કરી રહ્યા છે.ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે તેની બીજી તરફ ભાજપ અને તેનાં ઉમેદવાર મીડિયાથી દુર ભાગતા હોય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે.
અમરેલી જિલ્લામાં ભાજપ કાં તો "અતિ આત્મવિશ્વાસ "માં છે અથવા તો" કંઈક કાચું કપાયા "ની મનોસ્થિતિમાં હોય તેમ પ્રચાર કરવાનાં મહત્વપૂર્ણ તબક્કે હજુ પણ હતપ્રભ અવસ્થા માં હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લા ની આ સ્થિતિ કંઈક પરિવર્તન નો સંકેત તો નથી ને? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.