મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

બિહારમાં પાગલ પિતાએ 3 દીકરીઓ અને પત્નીની હત્યા કરી, પછી ફાંસી લગાવી

સનકી પિતાએ પહેલા તેની ત્રણ દીકરીઓના ગળા કાપી નાખ્યા અને પછી તેની પત્નીની પણ હત્યા કરી.

બિહારમાં પાગલ પિતાએ 3 દીકરીઓ અને પત્નીની હત્યા કરી, પછી ફાંસી લગાવી

બિહારના ખગરિયાના માનસી પોલીસ સ્ટેશન વિસ્તારના ઈકનિયા ગામમાં મુન્ના યાદવે પહેલા પોતાની ત્રણ દીકરીઓનું ગળું દબાવી દીધું અને પછી પત્નીની હત્યા કરી નાખી. ચારેયની હત્યા કર્યા બાદ આ વ્યક્તિએ પોતે પણ ફાંસી લગાવી લીધી હતી. આ ચકચારી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. મુન્ના યાદવના બે પુત્રો નસીબે બચી ગયા હતા. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

માનસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું ઈકનિયામાં વસવાટ કરતાં આરોપી મુન્ના યાદવ મુફસિલ પોલીસ સ્ટેશનના એક કેસમાં ફરાર હતો. મંગળવારે મોડી રાત્રે તે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની અને પુત્રી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી મુન્ના યાદવે તેની 15 થી 18 વર્ષની ઉંમરની ત્રણ દીકરીઓનું ગળું કાપીને હત્યા કરી નાખી. આ પછી તેણે તેની પત્નીની પણ હત્યા કરી અને અંતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

સમગ્ર મામલાને લઈને એસપી અમિત કુમારે કહ્યું કે જે સમયે મુન્ના યાદવે આ ઘટનાને અંજામ આપ્યો તે સમયે તેના બે પુત્રો પણ ટેરેસ પર સૂતા હતા, પરંતુ પિતાની હાથવગી જોઈને ત્યાંથી ભાગી ગયા હતા. કદાચ આ જ કારણ છે કે તેનો જીવ બચી ગયો છે. એસપી અમિતેશ કુમારે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ માટે ભાગલપુરથી એફએસએલ ટીમને બોલાવવામાં આવી છે અને આ મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
 

fashion

સંબંધિત સમાચાર

travel