રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે આવેલી શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા ખાતે ૩૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે નર્મદા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે આવનારા ૨૦૨૭ માં નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, ધારીખેડાને નંબર ૦૧ (એક) બનાવવાનું આહ્વાન કર્યું હતું. નવા વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ,વાઈસ ચેરમેન અજય સિંહ પરમાર,ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શન બેન દેશમુખ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.


