વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાકેશકુમાર ખરાડીના જણાવ્યા અનુસાર પુરસ્કાર મેળવનારા કર્મચારીઓ કરેલી ઉત્કૃષ્ટ કામગીરીમાં રેલ પરિચાલનમાં સતર્કતાથી હેંગિંગ પાર્ટ્સનો ખ્યાલ રાખવો, સ્મોકિંગ નોટિસ કરવું, સ્પાર્કિંગ નોટિસ કરવું વગેરે ઘટનાઓનો સમાવેશ થાય છે.
ટેક્નિકલ ખામીઓનો ખ્યાલ મેળવવાનારા આ રેલ કર્મચારીઓની સજગતા તેમ જ સતર્ક નજરોથી સુરક્ષિત રેલ પરિચાલનમાં મદદ મળવાની સાથે તાત્કાલિક કાર્યાવાહી કરીને સંભવિક અકસ્માતોને ટાળી શકાયા. આ તમામ નિષ્ઠાવાન કર્મચારીઓને સંરક્ષા પદક તેમ જ પ્રમાણપત્રથી સન્માનિત કરનામાં આવ્યા, સંરક્ષા પદક તેમ જ પ્રમાણપત્રથી સન્માનિત રેલકર્મચારીમાં શ્રી નિતીન કુમાર ઇશ્વરભાઇ, લોકો પાયલટ-સાબરમતી, શ્રી શુભમ શ્રીધર, પોઇન્ટ્સ મેન-વિરમગામ, શ્રી શ્યામકુમાર, સ્ટેશન માસ્ટર-સાબરમતી તેમ જ શ્રી સૂબે સિંહ શેખાવત, પોઇન્ટ્સ મેન-મુન્દ્રા પોર્ટ છે.
ડીઆરએમ શ્રી સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે આવા સજગ રેલકર્મીઓ જ અમારી સૌથી મોટી મૂડી છે તેમ તેમની સતર્કતા અને સજાગતાથી અમને સુરક્ષિત અને સમયસર ટ્રેન પરિચાલનમાં મદદ મળે છે.