પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના/અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મંડળ દ્વારા ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં મંડળ દ્વારા 1 એપ્રિલથી 31 ઓક્ટોબર, 2024 દરમિયાન રૂ.11.61 કરોડની આવક એકત્ર કરવામાં આવી છે. અમદાવાદ મંડળનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સમયગાળા દરમિયાન, ટિકિટ વિનાની મુસાફરીના 1.53 લાખ કેસમાંથી કુલ રૂ.11.61 કરોડનું રાજસ્વ અને રેલવે પરિસરમાં ગંદકી કરતા 1721 મુસાફરો પાસેથી રૂ.2.91 લાખનું રાજસ્વ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા લોકોને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.