એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપ (AWG) તેની મંત્રી સ્તરીય બેઠક માટે હૈદરાબાદમાં હશે. 15-17 જૂન 2023 થી શરૂ થનારી ત્રણ દિવસીય ઇવેન્ટમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 200 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના કૃષિ મંત્રીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના મહાનિર્દેશકો ભાગ લેશે.
પ્રથમ દિવસની શરૂઆત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી દ્વારા ભવ્ય પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે થશે. આ પ્રદર્શન કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓને પ્રદર્શિત કરશે. ઉદ્ઘાટન બાદ કૃષિ પ્રતિનિધિ સભા (ADM) યોજાશે. બીજા ભાગમાં પ્રમોશનમાં સામેલ ટોચની ભારતીય કૃષિ-આધારિત કંપનીઓ, સ્ટાર્ટઅપ્સની ભાગીદારી સાથે “મેનેજિંગ એગ્રીબિઝનેસ ફોર પ્રોફિટ, પીપલ એન્ડ પ્લેનેટ” અને “ડિજિટલ ડિસ્કનેક્ટેડ કનેક્ટિંગ ધ પાવર ઓફ ડિજિટલ ટેક્નોલોજીસ ઇન એગ્રીકલ્ચર” નામની બે સાઇડ ઇવેન્ટ્સ હશે. એગ્રી-બિઝનેસ કંપનીઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ પણ ભાગ લેશે.
બેઠકના બીજા દિવસની શરૂઆત માનનીય કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે જી-20 બેઠકમાં ભાગ લેનારા મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના અન્ય વડાઓનું સ્વાગત કરીને કરશે. દિવસના મંત્રી સ્તરીય કાર્યક્રમોમાં ત્રણ સમાંતર સત્રોમાં "ખાદ્ય સુરક્ષા અને પોષણ માટે ટકાઉ કૃષિ" પર ચર્ચા અને મહિલાઓની આગેવાની હેઠળની કૃષિ, ટકાઉ જૈવવિવિધતા અને આબોહવા ઉકેલો પર ઉચ્ચ સ્તરીય મંત્રી સ્તરીય ચર્ચાનો સમાવેશ થશે.
મંત્રી સ્તરની બેઠકનો ત્રીજો દિવસ એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપ, G20ના ભારતીય અધ્યક્ષપદના પરિણામોને અપનાવવા સાથે સમાપ્ત થશે. ત્યારબાદ પ્રતિનિધિમંડળ ICAR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ (IIMR), હૈદરાબાદની તકનીકી મુલાકાત માટે આગળ વધશે.


