મુંબઈ : ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પૈકીની એક, HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)ના ઈનવેસ્ટમેન્ટ મેનેજર, HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (HDFC AMC) HDFC ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ ઓમ્ની FOF ("સ્કીમ")ના લોન્ચની જાહેરાત કરી છે, જે ફંડ સ્કીમનું એક ઓપન-એન્ડેડ ફંડ છે, જે રોકાણકારોને આર્બિટ્રેજ સ્કીમ્સ અને સક્રિય/નિષ્ક્રિય ડેટ આધારિત સ્કીમ્સમાં રોકાણ કરવાની સુવિધા પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 27 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે અને 11 માર્ચ, 2026ના રોજ બંધ થશે.
HDFC ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ ઓમ્ની FOF વ્યાજ દરના ભવિષ્ય, રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ, ઉપજના વળાંકની ગતિશીલતા, પ્રવાહિતાની સ્થિતિ તેમજ કૅશ અને ફ્યુચર્સ બજારો વચ્ચે આર્બિટ્રેજ સ્પ્રેડ જેવા પરિબળોના આધારે પોર્ટફોલિયોના સમયગાળા અને ક્રેડિટમાં રોકાણને સમાયોજિત કરીને ગતિશીલ રીતે તેની ફાળવણીનું સંચાલન કરશે. આ સ્કીમનો ઉદ્દેશ્ય ડેટ-આધારિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ, ડેટ સિક્યોરિટીઝ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના યુનિટ્સમાં રોકાણને 65%થી નીચે રાખવાનો રહેશે. પોર્ટફોલિયોનો ઓછામાં ઓછો 35% હિસ્સો આર્બિટ્રેજ સ્કીમ્સ માટે ફાળવવામાં આવશે. ફાળવણીની આ વ્યૂહરચનાના આધારે, આ સ્કીમ કર-કાર્યક્ષમ* રહેશે. આ ઉપરાંત, FOFનું માળખું રોકાણકારોને અંતર્ગત યોજનાઓ વચ્ચે ફેરફાર માટે કરવેરાના બોજ વિના સક્રિય એસેટ ફાળવણીનો લાભ પૂરો પાડવાનો પ્રયાસ કરે છે.
આ લોન્ચ અંગે, HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી નવનીત મુનોતે જણાવ્યું હતું કે, "આજના ફિક્સ્ડ ઇન્કમના પરિવેશમાં, રોકાણકારો વધુને વધુ એવા ઉકેલ શોધી રહ્યા છે જે આવકની સંભાવના અને સમજદાર જોખમ વ્યવસ્થાપનને જોડે છે. HDFC ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ ઓમ્ની FOF સાથે, અમે એક એવો ઉકેલ પૂરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ, જે રોકાણકારોને આર્બિટ્રેજ યોજનાઓ અને સક્રિય તેમજ નિષ્ક્રિય ડેટ આધારિત સ્કીમ્સમાં ગતિશીલ રીતે ફાળવણી કરવાની સવલત આપે છે, જેનો ઉદ્દેશ્ય અસ્થિરતાને સંચાલિત કરતી વખતે વળતરની સંભાવનાનું નિર્માણ કરવાનો છે. અમારી કઠોર ક્રેડિટ મૂલ્યાંકનની પ્રક્રિયા અને શિસ્તબદ્ધ અમલીકરણ સાથે જોડાયેલી આ પ્રોડક્ટ સંચયિત રોકાણ માટે એક અલગ અભિગમ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે."
આ સ્કીમનું સંચાલન શ્રી ભવ્યેશ દિવેચા અને શ્રી પ્રવીણ જૈન દ્વારા કરવામાં આવશે. પ્રવીણ જૈને લોન્ચ અંગે જણાવ્યું હતું કે, "હાલમાં, જ્યારે વૃદ્ધિ સ્વસ્થ છે, ત્યારે ફુગાવાના સૌમ્ય દૃષ્ટિકોણ, નાણાકીય વર્ષ 2027માં પૂરતી સિસ્ટમ ટકાઉ તરલતા અને નજીકના ભવિષ્યમાં નીચા નીતિવિષયક દરો યથાવત્ રહેવાની અપેક્ષાને ધ્યાનમાં રાખીને અમે વળતર અંગે સાવચેતીપૂર્વક આશાવાદી છીએ. વધુમાં, અમારા મતે, મોટાભાગની નકારાત્મક લાગણીઓ મોટાભાગે વર્તમાન ઉપજ સ્તરોમાં મૂલ્યાંકિત હોય તેવું લાગે છે, જેનાથી ઉપજમાં અહીંથી ઘટાડો થવાનો અવકાશ છે. RBI વ્યાજદરમાં ઘટાડાના ચક્રના અંતની નજીક છે તે ધ્યાનમાં લેતા, ઉપજ સારી સ્થિતિમાં હોય તેમ જણાય છે, કેમ કે નોન-AAA કોર્પોરેટ બોન્ડ્સનો વ્યાપ AAA કોર્પોરેટ બોન્ડ્સ સામે ઉચ્ચ સ્તરે છે, અને તેની લાંબા ગાળાની સરેરાશ કરતા વધારે છે. તેનાથી સ્પ્રેડ કમ્પ્રેશન માટે જગ્યાનું નિર્માણ થઈ શકે છે, તેમજ મધ્યમ ગાળામાં વળતરમાં સંભવિત સરળતા આવી શકે છે. જેને જોતાં રોકાણકારો HDFC ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ ઓમ્ની FOFમાં રોકાણ કરવાની તક પર વિચાર કરી શકે છે - જે આર્બિટ્રેજ સ્કીમ્સના યુનિટ અને સક્રિય તેમજ નિષ્ક્રિય ડેટ આધારિત સ્કીમ્સને કર-કાર્યક્ષમ* રીતે ફાળવવાનો એક સરળ અને અનુકૂળ માર્ગ છે."
આ યોજના માટેનો બેન્ચમાર્ક 40% નિફ્ટી 50 આર્બિટ્રેજ ઇન્ડેક્સ (TRI) અને 60% નિફ્ટી શોર્ટ ડ્યુરેશન ડેટ ઇન્ડેક્સ છે. રોકાણકારો NFOના સમયગાળા દરમિયાન અને સ્કીમ ફરી ખુલ્યા પછી ઓફરના સમયગાળા દરમિયાન સતત સબ્સ્ક્રિપ્શન અને રિડેમ્પશન માટે ઓછામાં ઓછા રૂપિયા 100ની રકમ સાથે રોકાણ કરી શકે છે. રોકાણ માટે કોઈ ઉપલી મર્યાદા નથી, અને યુનિટ્સની ફાળવણી લાગુ સ્ટેમ્પ ડ્યુટી, જો કોઈ હોય તો, તેની કપાત પછી કરવામાં આવશે. જો યુનિટ્સને ફાળવણીની તારીખથી 18 મહિનાની અંદર રિડીમ કરવામાં આવે અથવા સ્વિચ આઉટ કરવામાં આવે તો 1%નો એક્ઝિટ લોડ લાગુ પડશે.
24 મહિનાથી વધુના હોલ્ડિંગ સમયગાળા માટે કરવેરાનો દર *12.5%^. ^લાગુ પડતો સરચાર્જ + બેઝ ટેક્સ + સરચાર્જના કુલ 4% પર લાગુ આરોગ્ય અને શિક્ષણ સેસ. કરવેરાના પરિણામોની વ્યક્તિગત પ્રકૃતિને ધ્યાનમાં લેતાં, દરેક રોકાણકારને પોતાના વ્યાવસાયિક કર સલાહકારનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. અહીં આપેલી માહિતી ન તો આવકવેરા કાયદા (1961)ની દરેક મહત્વપૂર્ણ હકીકતનો સંપૂર્ણ ખુલાસો છે, કે ન તો તે કાનૂની કે કરવેરાને લગતી સલાહનો ભાગ છે.


