ઓડિશાના બહાનાગા ખાતે દુર્ભાગ્યપૂર્ણ રેલ દુર્ઘટનામાં જે લોકો હજુ પણ તેમના સંબંધીઓથી અજાણ છે તેમના પરિવારોને સુવિધા આપવા માટે, ભારતીય રેલ્વેએ ઓડિશા સરકારના સહયોગથી તેમને શોધવાની પહેલ કરી છે.
આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારના સભ્યો/ સંબંધીઓ/ મિત્રો અને શુભેચ્છકો નીચે આપેલ લિંક દ્વારા મૃતકોના ફોટા, વિવિધ હોસ્પિટલમાં દાખલ મુસાફરોની યાદી અને અજાણ્યા મૃતદેહો શોધી શકે છે:
ઓડિશામાં બહાનાગા રેલ અકસ્માતમાં મૃતકોના ફોટાની લિંક:
https://srcodisha.nic.in/Photos%20Of%20Deceased%20with%20Disclaimer.pdf
વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા મુસાફરોની યાદીની લિંક:
SCB કટક ખાતે સારવાર હેઠળ અજાણી વ્યક્તિઓની લિંક:
રેલ્વે હેલ્પલાઇન નંબર 139 આ રેલ દુર્ઘટનામાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારો/સંબંધીઓને જોડવા માટે ચોવીસ કલાક કાર્યરત છે.
આ હેલ્પલાઈન 139 વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા સંચાલિત છે. ઉપરાંત, BMC હેલ્પલાઇન નંબર 18003450061/1929 પણ 24x7 કામ કરે છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરી, ભુવનેશ્વરે એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે જ્યાંથી, વાહનોની સાથે, લોકોને તેમની ઇચ્છા મુજબ હોસ્પિટલ અથવા શબઘરમાં મોકલવામાં આવશે. આ સુવિધા માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.


