અમદાવાદ: 2022-23 (નાણાંકીય વર્ષ 2023)માં, ગુજરાતે અગ્રણી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ રાજ્ય તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. રાજ્યના સત્તાવાળાઓએ આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે 47 નવા પ્લાન્ટ્સ સાથે રૂ. 7,000 કરોડના મૂલ્યના 139 નવા ફાર્મા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આજે, ગુજરાતમાં લગભગ 4,000 ફાર્માસ્યુટિકલ ઉત્પાદન એકમો છે, જે ભારતમાં સૌથી વધુ છે.
ભારતમાં લગભગ 6,000 લોકોના વર્કફોર્સ સાથે વિશ્વની સૌથી મોટી ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (સીઆરઓ) પૈકીની એક પેરેક્સેલે રાજ્યની અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમના સંશોધનને નવી સારવારમાં રૂપાંતરિત કરવા સક્રિયપણે સમર્થન આપ્યું છે. પેરેક્સેલ ઇન્ડિયાની રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ ટીમમાં 110થી વધુ રેગ્યુલેટરી પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ ડોઝિયરની તૈયારી, પ્રકાશન અને સબમિશન વ્યૂહરચના અને અમલીકરણ અંગેના જટિલ અને ઊભરતા વૈશ્વિક નિયમોને નેવિગેટ કરવામાં સક્ષમ છે, જે ક્લાયન્ટને અપ્રૂવલ અને અપ્રૂવલ પછીના સબમિશન્સ અને લાઇફસાઇકલ મેઇન્ટેનન્સ સુધી ડોઝિયર રિવ્યૂ દરમિયાન ટેકો આપે છે.
ધ પેરેક્સેલ ઈન્ડિયા સિમ્પોઝિયમ – અમદાવાદ ચેપ્ટરના અનુક્રમે પોતાના વક્તવ્યમાં પેરેક્સેલના ઈવીપી અને કન્ટ્રી હેડ શ્રી સંજય વ્યાસે જણાવ્યું હતું કે “રાજ્ય દ્વારા નીતિગત ફેરફારો કરવાના લીધે ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદન માટેના અગ્રણી કેન્દ્રો પૈકીના એક તરીકે આગવું સ્થાન મેળવી શક્યું છે. બાયોફાર્માસ્યુટિકલ સેક્ટરમાં રોકાણ કરવાની અનેક સ્થાનિક અને વૈશ્વિક કંપનીઓની ઈચ્છાના લીધે મને વિશ્વાસ છે કે ભારત ક્લિનિકલ સંશોધન માટે પસંદગીનું સ્થાન બનશે.”
આ સિમ્પોઝિયમમાં ઉદ્યોગ જગતના, વૈશ્વિક અને પ્રાદેશિક બિઝનેસ લીડર્સ વચ્ચે સહયોગી ચર્ચા હાથ ધરાઈ હતી. ચર્ચાવિચારણામાં ક્લિનિકલ સંશોધનની વર્તમાન સ્થિતિ અને નવીનતાના લેન્ડસ્કેપને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં નવી દવાના વિકાસમાં પડકારોનો સમાવેશ થાય છે. ફાર્માકોવિજિલન્સ (દવાઓની સલામતીની દેખરેખ) અને ક્લિનિકલ સંશોધન માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક ચર્ચાનો મુખ્ય વિષય હતો, ખાસ કરીને ભારતીય સંદર્ભમાં મજબૂત ફાર્માકોવિજિલન્સ સિસ્ટમ ઊભી કરવાના મહત્વ અંગે.
ભારત તેની વિશાળ વસ્તી, વૈવિધ્યસભર જિનેટિક પૂલ અને કુશળ રિસર્ચ પ્રોફેશનલ્સની ઉપલબ્ધતાને જોતાં ક્લિનિકલ ટ્રાયલ માટે એક મહત્વપૂર્ણ સ્થળ બની શકે છે. ક્લિનિકલ ટ્રાયલ માર્કેટ 2022થી 2030 સુધી 8.2%ના સીએજીઆર પર વધવાની અપેક્ષા છે. તાજેતરના વર્ષોમાં, ભારત સરકારે રેગ્યુલેટરી પ્રોસેસને સુવ્યવસ્થિત કરી છે, જેનાથી કંપનીઓ માટે સંશોધન કરવાનું સરળ બન્યું છે.
મજબૂત હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશાળ પેશન્ટ પૂલની એક્સેસ સાથે, ગુજરાત ભારતમાં એક મહત્વપૂર્ણ ક્લિનિકલ રિસર્ચ હબ તરીકે ઉભરી શકે તેમ છે.


