વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 107મો એપિસોડ હશે.
આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક અને ઓલ ઈન્ડિયા રેડિયોની ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર પર પ્રસારિત કરવામાં આવશે. મોબાઈલ એપ અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ રહેશે.
મન કી બાત કાર્યક્રમનું ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી ટેલિકાસ્ટ પછી તરત જ આ કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે.


