મુખ્ય સામગ્રી પર જાઓ

રાજપીપલા આરટીઓ કચેરીએ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી

વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

રાજપીપલા આરટીઓ કચેરીએ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન  પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી

રાજપીપલા: વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા અને ટ્રાફિક નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા તેમજ કાયદાકીય રક્ષણ માટેની જોગવાઈ અને માહિતી અંગે જાહેર જનતાને જાગૃત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં વાહન નિરિક્ષકશ્રી વી ડી આસલ, શ્રી સી.ડી.પ્રજાપતિ, શ્રી પી.બી.પટેલ તેમજ અન્ય સ્ટાફ, નર્મદા જિલ્લા પોલીસ (ટ્રાફિક શાખા) ના જવાનો, EMRI ૧૦૮ ના સુપરવાઈઝરશ્રી પ્રવીણભાઈ વસાવા સહિત સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો.

સંબંધિત સમાચાર