ગુજરાતમાં છેલ્લા 30 કલાકથી વરસી રહેલો મુશળધાર વરસાદ આફત બની રહ્યો છે અને રાજ્યમાં છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત બનાવોમાં નવ લોકોના મોત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 30 કલાકમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
અધિકારીએ કહ્યું કે ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે શનિવારે વિવિધ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી શકે છે અને રવિવાર અને સોમવારે ભારે વરસાદ ચાલુ રહેશે.
જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે, એમ તેમણે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે ઘણા શહેરો અને નગરોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ છે, શુક્રવારે સવારે પડેલા મુશળધાર વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 37 તાલુકાઓમાં છેલ્લા 30 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં છેલ્લા 30 કલાકમાં 299 મીમી વરસાદ નોંધાયો છે.