ગુજરાતમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. સરકારી વિભાગના જણાવ્યા અનુસાર આ તમામ 20 લોકોના મોત વીજળી પડવાથી થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકા છે. ભારે વરસાદને કારણે 40 પશુઓના પણ મોત થયા છે. ભારે વરસાદની સૌથી વધુ અસર ગુજરાતના અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, સુરત અને અમદાવાદ જિલ્લામાં જોવા મળી છે. ભારે વરસાદની સાથે આ જિલ્લાઓમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાયો છે.
મહારાષ્ટ્રના નાસિકમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે
કમોસમી વરસાદની સાથે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. નાશિકના નિફાડ, લાસલગાંવ, મનમાડ અને ચાંદવડ વિસ્તારમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને દ્રાક્ષ અને ડુંગળીની ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ છે. દરમિયાન, નાસિકના ગંગાપુર ડેમમાંથી જળકવાડીમાં પાણી છોડવાને કારણે ગોદાવરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે પ્રવાસીઓના વાહનો નદી કિનારે પાણીમાં ફસાઈ ગયા હતા. બીજી તરફ કમોસમી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂરનો ભય છે.