યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (યુટીઆઈ) એ યુટીઆઈ ઇનોવેશન ફંડ લોંચ કર્યું છે, જે ઇનોવેશન થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં નેક્સ્ટ જનરેશનની એજ લાવે છે. નોન-લિનિયર ગ્રોથ આઉટકમની સંભાવના સાથે ઇનોવેશન-તરફી વ્યવસાયો અને ડિસ્રપ્ટર્સમાં રોકાણ કરવા માટે ફંડ બોટમ-અપ અભિગમને અનુસરશે. એનએફઓ 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થાય છે અને 9 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થાય છે.
ફંડની રોકાણ વ્યૂહરચના 3 આધારસ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, નવીનતા: ઉત્પાદકતા વધારવા અથવા પર્યાવરણીય/સામાજિક પ્રભાવને સુધારવા માટે નવીનતાનો ઉપયોગ કરતી કંપનીઓ; વૃદ્ધિ: નોંધપાત્ર વૃદ્ધિની સંભાવના ધરાવતી, બજારના વિકાસ અને/અથવા બજાર હિસ્સો મેળવવાનો ટ્રેક રેકોર્ડ દર્શાવતી કંપનીઓ; ગુણવત્તા: બજાર નેતૃત્વ, મજબૂત બિઝનેસ મોડલ, ક્વોલિટી મેનેજમેન્ટ અને કોર્પોરેટ ગવર્નન્સ સાથે નાણાંકીય રીતે મજબૂત કંપનીઓ. ફંડનો ઉદ્દેશ્ય ઈકોમર્સ, સોફ્ટવેર, ફિનટેક, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ક્લીન ટેક, હેલ્થકેર, ફૂડ ટેક, ડિજિટલ એડ કંપનીઓ વગેરે જેવી અને મજબૂત રિસ્ક-એસેસમેન્ટ ફ્રેમવર્કને અનુસરશે જેનો હેતુ પોર્ટફોલિયો જોખમો - કોન્સન્ટ્રેશન અને ડિસ્રપ્શનને મેનેજ કરવાનો છે.
યુટીઆઈ એએમસીના ફંડ મેનેજર શ્રી અંકિત અગ્રવાલે લોન્ચ પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે “યુટીઆઈ ઇનોવેશન ફંડ રોકાણકારો માટે રોકાણની તકોના સતત વિકસતા લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તે એક અનન્ય પોર્ટફોલિયો છે જે ટ્રુ-ટુ-લેબલ છે, જે મુખ્યત્વે નવીન વ્યવસાયો અને ડિસ્રપ્ટર્સમાં રોકાણ કરે છે. ઝડપી તકનીકી પ્રગતિ અને બજાર ગતિશીલતાના વિકાસના યુગમાં, તે ઈનોવેશનને સ્વીકારવાની, માર્કેટ ડાયનેમિક્સ સાથે અનુકૂલન
કરવાની અને સંભવિત વેલ્થ જનરેટરમાં ભાગ લેવાની તક છે જે નોન-લિનિયર ફેશનમાં વિકાસ કરી શકે છે.”
રોકાણકારો આ ફંડમાં ઓછામાં ઓછા 3-5 વર્ષની ક્ષિતિજ સાથે રોકાણ કરવાનું વિચારી શકે છે.
અગાઉ જણાવ્યું તેમ સમગ્ર સાઇકલ દરમિયાન પોર્ટફોલિયો કંપનીઓની સંભવિત નોન-લિનિયર ગ્રોથનો લાભ મેળવવા માટે રોકાણકારો લાંબા સમય સુધી રોકાણ કરવાનું વિચારી શકે છે.
યુટીઆઈ ઇનોવેશન ફંડની મુખ્ય લાક્ષણિકતાઓ
કોના માટે યોગ્ય
o એવા રોકાણકારો જેઓ સાચા ઇનોવેશન ફંડ શોધી રહ્યા છે જે બેન્ચમાર્ક એગ્નોસ્ટિક છે અને
સંશોધન કુશળતા દ્વારા સમર્થિત છે
o એવા રોકાણકારો જે પ્રમાણમાં ઊંચી વૃદ્ધિની સંભાવના શોધી રહ્યા છે અને ઇનોવેશનના
પ્રવાહમાં આગળ વધવા તૈયાર છે
o એવા રોકાણકારો જેઓ લમ્પસમ અથવા સ્ટેગર્ડ (એસઆઈપી/એસટીપી) ફાળવણી દ્વારા
અને લાંબા ગાળાની ક્ષિતિજ સાથે રોકાણ કરી શકે છે.
લઘુતમ અરજીની રકમ
o પ્રારંભિક ખરીદી: રૂ. 5,000 અને રૂ. 1 ના ગુણાંકમાં
o વધારાની ખરીદી: રૂ. 1,000 અને રૂ. 1/- ના ગુણાંકમાં
લોડ સ્ટ્રક્ચર
o એન્ટ્રી લોડ: શૂન્ય
o એક્ઝિટ લોડ: જો ફાળવણીની તારીખથી 12 મહિનાની અંદર રિડીમ/સ્વિચ આઉટ કરવામાં
આવે તો 1%, ત્યારબાદ શૂન્ય
ઉપરોક્ત એક્ઝિટ લોડ સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (એસડબ્લ્યુપી) અને સિસ્ટમેટિક
ટ્રાન્સફર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સ્ટ્રીપ) સહિત તમામ રિડેમ્પશન/સ્વિચ-આઉટ વ્યવહારો માટે
લાગુ પડે છે.
બેન્ચમાર્ક ઈન્ડેક્સ
o નિફ્ટી 500 ટીઆરઆઈ
પ્રોડક્ટ લેબલ અને રિસ્કોમીટર
યુટીઆઈ ઇનોવેશન ફંડ
ઇનોવેશન થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ
નોંધ: ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) દરમિયાન અસાઇન કરાયેલ પ્રોડક્ટ લેબલિંગ સ્કીમની લાક્ષણિકતાઓ અથવા મોડલ પોર્ટફોલિયોના આંતરિક મૂલ્યાંકન પર
આધારિત છે અને જ્યારે વાસ્તવિક રોકાણ કરવામાં આવે ત્યારે એનએફઓ પછી તે બદલાઈ શકે છે.


