રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ મા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા એ મુલાકાત લેતા ત્યાં દાખલ કેટલાક તાલુકાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે વાત કરી તો જાણવા મળ્યું કે આ હોસ્પિટલોમાં દાખલ થયા દર્દીઓને સીટી સ્કેન. એમ આર આઈ તેમજ કેટલાક રિપોર્ટ ની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે આ ટ્રાયબલ વિસ્તારના ગરીબ દર્દીઓને ભરૂચ બરોડા જવા મજબૂર થવું પડે છે અને ત્યાં ખાનગી હોસ્પિટલોમાં આ રિપોર્ટ કરાવતા આર્થિક બોજ પડે છે,ત્યારે આ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ ડબલ એન્જિનની વાળી ભાજપ સરકાર કંઈ સાંભળવા તૈયાર નથી.
નર્મદા જિલ્લામાં 3,000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે પણ નર્મદા જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને નિરાધાર દર્દીઓએ ત્યાંથી જરૂરી સગવડો નહિ મળતાં ભરૂચ બરોડા સુધી જવું પડે છે આ ખૂબ શરમજનક બાબત છે.
નિરંજન વસાવા એ કહ્યું કે અમે અગાઉ ઘણા વર્ષોથી વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે તેમ છતાં આ મૂંગી બેરી સરકારના પેટનું પાણી હાલતું નથી અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાના મોટા હોદ્દાઓ લઈને બેઠેલા જવાબદાર વ્યક્તિઓ છે છતાં કોઈ કામગીરી જણાતી નથી, ગામે ગામ જઈ વિકાસની મોટી મોટી વાતો કરાઇ છે પરંતુ દર્દીઓને પૂરતી સારવાર ન મળવાને કારણે તે લોકો મૃત્યું પામી રહ્યા છે પ્રજા એમને પૂછી રહી છે આ માટે જવાબદાર કોણ..?છતાં આ બાબતે એ જવાબદાર નેતાઓ કોઈ બોલવા તૈયાર નથી શું ખરેખર આ વિકાસ છે કે પછી વિકાસ ગાંડો થયો છે?


