મુખ્ય સામગ્રી પર જાઓ

ZEISS મેડિકલ ટેક્નોલોજી ભારતમાં વધી રહેલા ડાયાબિટીક રેટિનોપેથીના કેસો સામે લડત ચલાવા માટે અમદાવાદના ડોકટરોને સક્ષમ બનાવે છે

નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ અંતર્ગત ભારતમાં ZEISS ગ્રૂપ પોતાના મેડિકલ ટેક્નોલોજી (MED) વિભાગ સાથે ડાયાબિટીક આંખના રોગોની વધતી જતી સમસ્યા સામે લડવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

ZEISS મેડિકલ ટેક્નોલોજી ભારતમાં વધી રહેલા ડાયાબિટીક રેટિનોપેથીના કેસો સામે લડત ચલાવા માટે અમદાવાદના ડોકટરોને સક્ષમ બનાવે છે

અમદાવાદ : નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ અંતર્ગત ભારતમાં ZEISS ગ્રૂપ પોતાના મેડિકલ ટેક્નોલોજી (MED) વિભાગ સાથે ડાયાબિટીક આંખના રોગોની વધતી જતી સમસ્યા સામે લડવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ –ઈન્ડિયા ડાયાબિટીસ (ICMR INDIAB)મુજબ વર્ષ 2023માં 10.1 કરોડ કેસ સાથે ભારત વૈશ્વિક સ્તરે ડાયાબિટીસમાં મોખરે છે. ડાયાબિટીક રેટિનોપેથી (DR) ડાયાબિટીસની એક જટિલતા અને દ્રષ્ટિ ગુમાવવાનું મુખ્ય કારણ છે.

ડાયાબિટીસ ધરાવતી પાંચ વ્યક્તિમાંથી લગભગ એક વ્યક્તિને ડાયાબિટીક રેટિનોપેથીની અસર હોય છે,જેનાથી ભારતમાં 13 મિલિયન (1.30 કરોડ) લોકો પ્રભાવિત છે અને 6.5 મિલિયન(65 લાખ) લોકો ડાયાબિટીક રેટિનોપેથીમારફતે દ્રષ્ટિ માટે જોખમનો સામનો કરે છે. (સ્ત્રોત: રિસર્ચગેટ) આ આંકડાઓ ડીઆરનું અસરકારક રીતે નિદાન અને સંચાલન કરવા માટે અદ્યતન ટેકનોલોજીની આવશ્યકતાને પ્રકાશિત કરે છે.

અમદાવાદની ઓક્યુરા આઈ હોસ્પિટલના રેટિના સ્પેશિયાલિસ્ટ ડો. ગઝલા મન્સૂરી કહે છે, ''એક નેત્ર ચિકિત્સક તરીકે હું આપણા દેશમાં ડાયાબિટીક રેટિનોપેથીના કેસોમાં ચિંતાજનક રીતે થઈ રહેલા વધારા અંગે ખૂબ જ ચિંતિત છું. આ રોગચાળો આપણા લાખો નાગરિકોની દ્રષ્ટિ અને જીવનની ગુણવત્તાને જોખમમાં મૂકે છે. આ નિર્ણાયક પરિસ્થિતિમાં ZEISSની મેડિકલ ટેક્નોલોજી અદ્યતન નિદાન અને ઇમેજિંગ તકનીકોમાં અગ્રણી તરીકે ઉભરી આવી છે, જે નેત્ર ચિકિત્સક સમુદાયને તેના પ્રારંભિક તબક્કામાં ડાયાબિટીક રેટિનોપેથીના નિદાન માટે સશક્ત બનાવે છે. ZEISSની નવીન તકનીકી-અદ્યતન સોલ્યૂશન્સ સમયસર સારવાર પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે એટલું જ નહીં પણ દર્દીને શ્રેષ્ઠ અનુભવ અને પરિણામની પણ ખાતરી આપે છે. વધતા જતા આ હેલ્થકેર પડકાર સામેની અમારી લડાઈમાં ZEISS એક અમૂલ્ય ભાગીદાર બની ગયું છે.''

સંબંધિત સમાચાર