ઇન્ડિયા
11855 लेख
PM મોદી 24 સપ્ટેમ્બરે જામનગર અને અમદાવાદ વચ્ચે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપશે
24 સપ્ટેમ્બર, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર અને અમદાવાદ વચ્ચે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરશે. આ ભારતમાં આરામદાયક અને બહેતર ટ્રેન મુસાફરીનો નવો યુગ દર્શાવે છે.
ગુજરાતની 108 ઇમરજન્સી સેવાઓએ રેકોર્ડ 1.52 કરોડ કોલનો જવાબ આપ્યો, આ યુનિક હેલ્થ મોડલથી લાખો લોકોને ફાયદો થયો
ગુજરાતની 108 ઈમરજન્સી સેવાઓએ ઓગસ્ટ 2023 સુધી રેકોર્ડ 1.52 મિલિયન ઈમરજન્સી કોલ્સનો પ્રતિસાદ આપ્યો છે. આ ગુજરાતના અનોખા આરોગ્ય મોડલની સફળતાનો પુરાવો છે, જે શહેરો, તાલુકાઓ અને ગ્રામીણ ગામડાઓમાં 24x7 મફત ઈમરજન્સી સેવાઓ પૂરી પાડે છે.
વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ટીમ ઈન્ડિયાની છેલ્લી ODI બાદ રોહિત બ્રિગેડ રાજકોટની મુલાકાત લેશે
ભારત થોડા દિવસોમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે. વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાશે. આ શ્રેણીની અંતિમ વનડે 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.
ઈન્ડિગો ફ્લાઇટના પેસેન્જરે ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો, એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી
અગરતલાના મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયા બાદ પોલીસે આરોપી દેબનાથની ધરપકડ કરી હતી. તેના પર ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી સપ્ટેમ્બરના રોજવંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 24મી સપ્ટેમ્બર, 2023ના રોજ જામનગર અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે.
ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો-બિલ્ડીંગ સામગ્રીના મશીન તથા માઇનિંગ મશીન્‍સ માટેનાં વિશાળ પ્રદર્શનમાં ૫૦૦થી વધુ પ્રોડક્ટસ પ્રદર્શિત થશે, ૩૦૦થી વધુ પાર્ટીસિપન્‍ટસની ભાગીદારી.
મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન અને કોર્ટ પર ટોળાનો હુમલો; ઘણા લોકો ઘાયલ
મણિપુરમાં 3 મેથી જાતિય હિંસા થઈ રહી છે, જેમાં 150થી વધુ લોકોના મોત થયા છે. 16 સપ્ટેમ્બરે પાંચ છોકરાઓની ધરપકડ બાદથી ઇમ્ફાલમાં સ્થિતિ તંગ બની છે.
આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો ૨ કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ
૧૦૮ના કર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તો પાસેથી મળેલી રૂ. ૧૯.૩૩ લાખથી વધુની કિંમતની વસ્તુઓ-રોકડ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
બોરસદ અને આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ૨૮ મૃત પશુઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ
બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે ગત દિવસોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતા ભાઠા વિસ્તારમાં પશુઓને બાંધેલા રાખવામાં આવતા હોય આવા પશુઓ ભારે પાણીમાંથી નીકળી શક્યા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થવા પામેલ છે. અસરગ્રસ્તોની રજૂઆતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુઓના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક વીમાની તાત્કાલિક ચૂકવણી માટે જિલ્લા કલેક્ટરશ્રીનું પ્રેરક પગલું
સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના વડોદરાના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટરશ્રીની મહત્વની બેઠક, જ્યાં પાક નુકસાની થઈ છે, ત્યાં સામેથી જઈ ખેડૂતોને પાક વીમો તાત્કાલિક મળે તે માટે મદદ કરવા કલેક્ટરશ્રીનો અનુરોધ.
વડોદરામાં પંચાયત વિકાસ સૂચકાંક અંગે મધ્ય ગુજરાત ઝોન કક્ષાની તાલીમ યોજાઈ
રીજીયોનલ કક્ષાની આ કાર્યશાળામાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહિસાગર જિલ્લાના જિલ્લા પી. ડી. આઈ. નોડલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડી. એલ. ઈ.શ્રી તેમજ તમામ ટી. એલ. ઈ.શ્રી સહિત ૨૦૦ થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગનું પ્રેરક કાર્ય
પૂરની વિપદા વેળા સગર્ભાઓની સલામત પ્રસૂતિ માટે આરોગ્ય વિભાગના આગોતરા આયોજનથી પ્રશંસનીય કામગીરી. એલર્ટ બાદ નદી કાંઠાના ગામોમાંથી સ્થળાંતરિત કરાયેલી ૧૦ સગર્ભા બહેનોમાંથી ૪ સગર્ભાની સફળતાપૂર્વક અને સલામત પ્રસૂતિ.
પ્રધાનમંત્રી 23મી સપ્ટેમ્બરે વારાણસીની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે, ભગવાન શિવ પરથી પ્રેરણા લઈને સ્ટેડિયમની ડિઝાઇન કરાઈ છે, લગભગ રૂ. 1115 કરોડના ખર્ચે સમગ્ર ઉત્તર પ્રદેશમાં બનેલા 16 અટલ આવાસ વિદ્યાલયનું પીએમ ઉદ્ઘાટન કરશે, પીએમ કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે.
તરણેતર મેળામાં આયોજિત પાંચ દિવસીય પ્રદર્શનને લાખો લોકોએ નિહાળ્યું
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી.
આ 41 આતંકવાદીઓ NIAના હિટ લિસ્ટમાં સામેલ છે, માહિતી આપવા માટે આ ખાસ નંબર જારી કરવામાં આવ્યો છે.
NIA હિટ લિસ્ટમાં સામેલ આતંકવાદીઓ RC-38/2022, RC-39/2022/NIA/DLIમાં આરોપી છે. આનાથી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી આપવા માટે, તપાસ એજન્સીએ એક વોટ્સએપ નંબર પણ જારી કર્યો છે જેના પર કોઈપણ વ્યક્તિ આને લગતી માહિતી શેર કરી શકે છે.
મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા
બાળકો સારવાર અને દવા નિયમિત લે તે માટે સાઇકલ,રમકડાં,ગેમ જેવી મનગમતી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ધાનપોર ગામમાં યુવાનને વીજ પોલ પર કરંટ લાગતા મોત
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં વીજ પોલને અડકનાર યુવાનને કરંટ લાગતા મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ABVP ના કાર્યકરોએ સાગબરા તાલુકા પંચાયત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી
નર્મદા જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચટણી થઈ હતી જેમાં વિજેતા ઉમેદવારોને સૌએ અભિનંદન આપ્યા હતા.
કરાંઠા ગામના ખેતરમાં જુગાર પર રાજપીપળા પોલીસની રેડ : મુદ્દામાલ સાથે 6 જુગારીઓને દબોચ્યા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં ખેતર માં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારી ને ઝડપી પાડ્યા હતા
અંબાજી પગપાળા યાત્રાને માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ'નો ઉત્સવ બનાવે- મંત્રી મૂળુભાઈ બેરા
અંબાજી પગપાળા જવાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ-નિકાલ માટે ગાંધીનગરથી સ્વયંસેવકોની ટીમને ફ્લેગ ઓફ કરાવતા વન-પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા.