અમદાવાદઃ ગુજરાતના એરપોર્ટ પરથી ATSએ ચાર આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ આતંકવાદીઓ શ્રીલંકાના મૂળના છે. આ તમામ આતંકવાદીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા તમામ આતંકીઓ ISIS સાથે સંકળાયેલા છે. આતંકવાદીઓની ધરપકડ અંગે ગુજરાત DGP સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આને લગતી વધુ માહિતી DGPની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તમામ આતંકવાદીઓ મૂળ શ્રીલંકાના છે. તમામ આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીજીપી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે વિસ્તૃત માહિતી આપશે.