કમલેશ પટેલ.સંખેડા : સંખેડા વિસ્તાર નાગરિકો તેમજ વેપારી મંડળ તેમજ આજુબાજુના વિસ્તારના હરાજીમાં ભાગ લીધેલ 57 જેટલા વેપારીઓએ ડિપોઝિટ ભરી હતી અને મામલતદાર પટેલ સાહેબ તેમજ સરપંચ નીતિનભાઈ શાહ અને અધિકારીઓની સામે હરાજી બોલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી એક પછી એક ઊંચી કિંમત બોલાતા જેમાં એક વેપારી દ્વારા નીલગરીની કિંમત ૩૨ લાખ 26 હજારની મતબલ રકમ સૌથી વધુ બોલી સંખેડા પંચાયત પાસેથી નીલગીરીની મંજુરી મેળવી હતી અને સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ દ્વારા જણાવ્યું હતું કે આ આવેલ રકમ પંચાયતના વિકાસના કામ અર્થે ઉપયોગ કરશે તેમ જણાવ્યું હતું. અને સારી કિંમત આપવા બદલ સરપંચ દ્વારા વેપારી નો આભાર વ્યક્ત.
સંખેડા ગ્રામ પંચાયત દ્વારા ખરાબાની જગ્યામાં આવેલ નીલગિરીની મામલતદારની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવી
નીલગરીની હરાજી કરવાનું સ્થળ સંખેડા લીઝ પર રાખવામાં આવ્યું હતું જેમાં સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ તેમજ ડેપ્યુટી સરપંચ અને મામલતદાર પટેલ સાહેબ તેમજ નાયબ મામલતદાર અને ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન ગુજરાતમાં: સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કરશે નિરીક્ષણ
ગુજરાતમાં શિક્ષણ ક્રાંતિ: 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાના શાનદાર પરિણામો
નર્મદા જિલ્લામાં 'આત્મા પ્રોજેક્ટ' દ્વારા ખેડૂતો માટે કિસાન ગોષ્ઠીનું આયોજન