ઇન્ડિયા
11595 लेख
ઝૂલન યાત્રાનું હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવણી
ઝૂલન ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે.
નડિયાદ રેલવે સ્ટેશન સ્ટાફની ત્વરિત કાર્યવાહીએ મહિલા મુસાફર અને રેલવે ગાર્ડનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના નડિયાદ સ્ટેશનના રેલવે કર્મચારીઓએ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા અને રેલવેના ગુડ્ઝ ટ્રેન મેનેજર (રેલ્વે ગાર્ડ)ને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપેલ, જેથી તેઓને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી હતી જેથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સ્વાગતમાં ઉપસ્થિત રહેલા ૦૮ જેટલા અરજદારોના પ્રશ્રનોને વાચા આપીને હકારાત્મક નિકાલ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું.
વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા નાગરિકોએ બળતણ તરીકે અપનાવ્યો પ્રદૂષણમુક્ત ગોબર ગેસ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના થકી ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો થયો અસરકારક નિકાલ અને સ્વચ્છતાને મળ્યું પ્રોત્સાહન.
ઓપરેશન દ્વારા લિંગ બદલવાનો દરેકનો બંધારણીય અધિકાર, અલ્હાબાદ હાઈકોર્ટ
અરજદાર વતી, કોર્ટને ગયા અઠવાડિયે કહેવામાં આવ્યું હતું કે, "અરજીકર્તાએ 11 માર્ચ, 2023ના રોજ લખનૌના પોલીસ મહાનિર્દેશકને, લખનૌના પોલીસ મહાનિર્દેશકને ઓપરેશન દ્વારા લિંગ પરિવર્તનની મંજૂરી આપવા વિનંતી કરી હતી. જોકે, કોઈ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. નિર્ણય લેવામાં વિલંબને કારણે અરજદાર કોર્ટમાં વળ્યા.
3 વર્ષના બાળકની આંખમાં નાનો કીડો ઘૂસી ગયો, ઓપરેશન બાદ જીવતો બહાર આવ્યો
ડૉ.ગિરીશ ચતુર્વેદી કહે છે કે તેમના મેડિકલ પ્રોફેશનમાં આ પહેલો કેસ છે. જેમાં એક દર્દીની આંખમાં પ્રવેશેલ કીડો જીવતો બહાર આવ્યો છે. આંખમાં કીડો આંસુની નળી પાસે કાણું કરીને અંદર પ્રવેશી ગયો હતો. કીડો વારંવાર બાળકની આંખને વીંધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે આંખોમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં 30 સેકન્ડમાં 7 ઈમારતો ધરાશાયી
Himachal Rain : કુલ્લુ, શિમલા અને સોલનમાં બુધવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન આજે સવારે કુલ્લુમાં 30 સેકન્ડમાં 7 ઈમારતો ધરાશાયી થઈ હતી.
રક્ષાબંધન 2023: યુપી સરકારની રક્ષાબંધન પર બહેનોને ભેટ, મફતમાં મુસાફરી કરી શકશે
રક્ષાબંધન 2023: રક્ષાબંધન આડે માત્ર 6 દિવસ બાકી છે, આવી સ્થિતિમાં બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર રક્ષાબંધન પર બહેનોને મફત બસ સેવાનો લાભ આપવાની તૈયારી કરી રહી છે.
'બીજા લગ્ન પછી પણ નોકરીમાંથી કાઢી ન શકાય', અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય
અલ્હાબાદ હાઈકોર્ટઃ અલ્હાબાદ હાઈકોર્ટે બહુપત્નીત્વના એક મામલામાં પોતાનો ચુકાદો આપતાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિએ બીજી વખત લગ્ન કર્યા હોય તો પણ તેને નોકરીમાંથી કાઢી ન શકાય.
તેલંગાણામાં કેસીઆરે ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, કહ્યું- 'રાજ્યના લોકો કોંગ્રેસ અને બીજેપીની ખુમારીમાં નહીં પડે'
આગામી વિધાનસભા ચૂંટણી માટે 119 માંથી 115 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત બાદ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડાની આ પ્રથમ જાહેર સભા હતી.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
ચંદ્રયાન 3: ચંદ્ર પર લહેરાવ્યો ત્રિરંગો, ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો
ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. હવે રોવર પ્રજ્ઞાન તેની અંદરથી બહાર આવવાની રાહ જોઈ રહ્યું છે. તે લગભગ 1 કલાક 50 મિનિટ લેશે. વિક્રમ ચાલુ રહેશે અને ધૂળ સ્થિર થયા પછી વાતચીત કરશે.
નાઉરુ ગણરાજ્યના હાઈકમિશનર સુશ્રી મર્લીન ઈનેમવીન મોસેસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત
ભૂમિ સંરક્ષણ અને જળ સંચયથી નાઉરુ સ્વાવલંબનની દિશામાં પ્રગતિ કરી શકશે : રાજ્યપાલશ્રીની શુભેચ્છાઓ
ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી-ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે રૂ. ૩૫૦૦ કરોડનું રોકાણ થશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીમાં વધુ એક કદમ, અત્યાર સુધીમાં ત્રણ કડીમાં રૂ. ૩૮૭૪ કરોડના ૧૪ MoU સંપન્ન થયા.
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા તથા તેના સંવર્ધન અને જતન માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર પહેલ
ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા સૌ ગુજરાતીઓ સંકલ્પબધ્ધ બને, રાજ્યના આઠ મહાનગરો-શહેરોમાં તમામ સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ માહિતી આપતા લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત.
પરિષદના ઉપાધ્યક્ષ પદે આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર જ્યારે સહ ઉપાધ્યક્ષ પદે રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ રહેશે
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે. હોદ્દાનીરૂએ આ સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ સહ ઉપાધ્યક્ષમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રહેશે.
ભારતને ગ્રીન એનર્જીની 'પાવર' મળશે, 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીના 64% હિસ્સા સુધી પહોંચવાનું લક્ષ્ય
ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય નક્કી કર્યું છે. જો કે, કોલસા આધારિત ઉત્પાદન વીજળી ટ્રાન્સમિશન ગ્રીડની કામગીરીની સ્થિરતા સુનિશ્ચિત કરે છે.
નર્મદાની ૧૮૧ નોન સ્ટોપ ‘ટીમ અભયમે’ વધુ એક પરિવારનું સુખદ મિલન કરાવ્યું
છેલ્લા આઠ વર્ષથી જિલ્લામાં અવિરત સેવા આપતી ટીમ અભયમ મહિલાઓને સલાહ, સુચન,માર્ગદર્શન, બચાવ સહિત કાઉન્સેલિંગ પુરૂં પાડી રહી છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
મોટા પ્રમાણમાં લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીગ ચેક-અપ કરવામાં આવ્યું હતું જે અન્વયે શંકાસ્પદ આવેલ બહેનોને મેમોગ્રાફી- સોનોગ્રાફી ચેક-અપ માટે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બોલાવવામાં આવશે.
રાજપીપળામાં શીતળા માતાજી મંદિરે યોજાતા પરંપરાગત સાતમના મેળાને લઈને વાહન વ્યવહાર માટે રૂટ ડાયવર્ટ અંગેનું જાહેરનામું
મેળાના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ રસ્તા પરના વાહન વ્યવહારનો રૂટ ડાયવર્ટ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધી દ્વારા બહાર પાડી નીચે મુજબનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.