મુખ્ય સામગ્રી પર જાઓ

ટાટા એઆઈએનું નવું પગલું: કેન્સરની સારવાર અને આવકના રક્ષણ માટે લોન્ચ કર્યા બે ખાસ પ્લાન

ટાટા એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સે ‘સંપૂર્ણ કેર - કેન્સર’ અને ‘સંપૂર્ણ કેર - કેન્સર ફંડ’ લોન્ચ કર્યા છે. કેન્સરના નિદાન દરમિયાન આવકનું રક્ષણ, ફ્લેક્સિબલ ચુકવણી અને કરમુક્ત ઉપાડ જેવી સુવિધાઓ સાથેનું વ્યાપક સુરક્ષા કવચ. આજે જ જાણો વિગતો.

ટાટા એઆઈએનું નવું પગલું: કેન્સરની સારવાર અને આવકના રક્ષણ માટે લોન્ચ કર્યા બે ખાસ પ્લાન

મુંબઈ : ટાટા એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સે ‘સંપૂર્ણ કેર - કેન્સર’ લોન્ચ કર્યું છે, જે ટાટા એઆઈએનો પ્રથમ એવો કેન્સર પ્લાન છે જે આવકના વિકલ્પ (ઇન્કમ રિપ્લેસમેન્ટ) સાથે આવે છે અને જેમાં દરેક પરિવારની જરૂરિયાત અનુસાર ફ્લેક્સિબલ ચુકવણીના વિકલ્પ ઉપલબ્ધ છે. કંપનીએ સાથે સાથે ‘સંપૂર્ણ કેર - કેન્સર ફંડ’ પણ રજૂ કર્યું છે, જેમાં બચત આધારિત હેલ્થ ફંડ ઉમેરવાનો વિકલ્પ છે, જે આરોગ્ય સારવાર માટે કરમુક્ત ઉપાડની સુવિધા આપે છે.

રાજન (કાલ્પનિક નામ) 41 વર્ષનો હતો જ્યારે તેને કેન્સર હોવાનું નિદાન થયું. તે એક સિનિયર મેનેજર હતો. તેના બે બાળકો શાળામાં ભણતા હતા. તેના હોમ લોનના હપ્તા હજુ 11 વર્ષ સુધી બાકી હતા. નિવૃત્તિ અને બાળકોના શિક્ષણ માટેના નાણાંકીય આયોજન તેણે ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કર્યા હતા, પરંતુ તેની કોઈપણ યોજના કે ગણતરીમાં “કેન્સર” શબ્દ ક્યારેય આવ્યો નહોતો અને હવે એ જ શબ્દ તેને ડરાવી રહ્યો હતો.

આ નિદાન પછી તેણે પોતાના પરિવાર તરફ જોયું અને એવા પ્રશ્નો પૂછવા લાગ્યો જે તેને અગાઉ ક્યારેય પૂછવાની જરૂર પડી નહોતી.

શું હું સંપૂર્ણપણે સાજો થઈ જઈશ? કેટલો સમય લાગશે? જો બે વર્ષ કે તેથી વધુ સમય લાગી જાય તો શું થશે? મેં બનાવેલી બધી યોજનાઓનું શું થશે? શું મને તેને થોડા સમય માટે અટકાવવી પડશે કે પછી સંપૂર્ણપણે રદ કરવી પડશે?

તેની પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ હતો. હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ એટલે કે રેડિયેશન, કીમોથેરાપી, સર્જરી સહિતનો તમામ ખર્ચ આવરી લેવાતો હતો, પરંતુ સારવાર પછીના પુનર્વસનના મહિનાઓનું શું? શું તેની પાસે પૂરતી રજા હશે કે પછી તેને પગાર વગરની રજા લેવી પડશે? લોનના હપ્તા તો બંધ નહીં થાય. બાળકોની શાળાની ફી પણ અટકશે નહીં. ઘરના ખર્ચા પણ ચાલુ જ રહેશે. અને વર્ષો સુધી ધીમે ધીમે બનાવેલા તેના એસઆઈપી રોકાણો પણ અચાનક બંધ થવાના જોખમમાં હતા.

શું કેન્સર તેની જીવનયોજનાઓને રદ કરી દેશે?

નિદાન પાછળની વાસ્તવિકતા

રાજનની ચિંતા ભારતના લાખો પરિવારોની વાસ્તવિકતા દર્શાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે 15.7 લાખથી વધુ લોકોને કેન્સરનું નિદાન થાય છે. કેન્સર ઇન્શ્યોરન્સ અંગે જાગૃતિ વધી છે, પરંતુ એક મહત્વપૂર્ણ પાસાની હજુ પણ મોટા ભાગે અવગણના થાય છે.

કેન્સર માત્ર સારવારના બિલ જ ઊભા કરતું નથી. તે આવકમાં વિક્ષેપ લાવે છે. કારકિર્દીને અટકાવે છે અને જે લાંબા ગાળાના લક્ષ્યો માટે પરિવારો વર્ષો સુધી મહેનત કરે છે, તેને સૌથી વધુ સ્થિરતાની જરૂર હોય ત્યારે ધીમે ધીમે ખોરવી નાખે છે.

સ્રોત: 356-india-fact-sheet.pdf

ભારતીય ગ્રાહકોને ખરેખર શું જોઈએ છે?

ઉકેલ તૈયાર કરતાં પહેલાં ટાટા એઆઈએએ ગ્રાહકોને એક સરળ પ્રશ્ન પૂછ્યો: જો તમને કેન્સર જેવી ગંભીર બીમારીનું નિદાન થાય, તો તમે ઇન્શ્યોરન્સની રકમ કઈ રીતે મેળવવા ઇચ્છશો? તેના જવાબોએ એ માન્યતાને પડકાર્યો કે પરિવારોને માત્ર લમ્પસમ રકમ જ જોઈએ છે.

• 48 ટકા ગ્રાહકો ઇચ્છે છે કે ચૂકવણી આવકના સ્વરૂપમાં મળે જેમાંથી 47 ટકા માસિક આવક અને 4 ટકા વાર્ષિક આવક પસંદ કરે છે.

• 76 ટકા ગ્રાહકો ઇચ્છે છે કે આ આવક થોડા મહિનાઓ નહીં પરંતુ વર્ષો સુધી ચાલુ રહે જેમાંથી 42 ટકા બે વર્ષની ચુકવણીની અવધિ અને 34 ટકા પાંચ વર્ષની અવધિ પસંદ કરે છે.

સંદેશ સ્પષ્ટ હતો. લગભગ અડધા ગ્રાહકોને માત્ર એક ચેક નહીં પરંતુ પગારના વિકલ્પ તરીકે આવક જોઈએ છે. ત્રણમાંથી બે ગ્રાહકોનું માનવું હતું કે આવક સાથે જોડાયેલી કેન્સર સુરક્ષા તેમને બજારમાં અગાઉ ક્યારેય મળી નથી.

બે પ્રોડક્ટ. એક ઉકેલ. કેન્સર સુરક્ષા માટે સંપૂર્ણ નવી દિશા.

આ ખામી ઓળખીને ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સે આજે એકસાથે બે મહત્વપૂર્ણ પ્રોડક્ટ - સંપૂર્ણ કેર - કેન્સર અને સંપૂર્ણ કેર - કેન્સર ફંડ લોન્ચ કર્યા છે. આ બંને મળીને કેન્સરના નિદાનથી થનારા સંપૂર્ણ નાણાંકીય અને તબીબી ખર્ચ સામે ભારતનો સૌથી વ્યાપક ઉકેલ રજૂ કરે છે.

ટાટા એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ બિઝનેસ ઓફિસર - પ્રોપ્રાયટરી બિઝનેસ, પ્રપોઝિશન્સ એન્ડ માર્કેટિંગ સુજીત કોઠારેએ જણાવ્યું હતું કે, “ભારતીય પરિવારમાં કેન્સરનું નિદાન ભાવનાત્મક અને નાણાંકીય બંને રીતે ભારે અસરકારક બની શકે છે. દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થવા અને ફરીથી કમાણી કરવાની ક્ષમતા મેળવવા માટે સમયની જરૂર પડે છે, જેના કારણે નિયમિત આવકમાં વિક્ષેપ આવી શકે છે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ બંને પ્રોડક્ટ મળીને આ પડકારના દરેક પાસાંને આવરી લે છે - પ્રથમ દિવસથી મળતા ક્લેઇમ, આવકના વિકલ્પ, લાંબા ગાળાની બચતની સતતતા અને વિશ્વસ્તરીય સારવાર સહાયતા સુધી. ભારતીય પરિવારોને એવી સુરક્ષા મળવી જોઈએ જે સમસ્યા જેટલી જ વ્યાપક હોય.”

ગ્રાહકો કવરેજની ફ્લેક્સિબિલિટી, પાત્રતાની શરતો અને વેલનેસ કાર્યક્રમની વિગતો www.tataaia.com પર જાણી શકે છે.

સંપૂર્ણ કેર - કેન્સર: કારણ કે આવકનું પણ રક્ષણ જરૂરી છે

સંપૂર્ણ કેર - કેન્સરના કેન્દ્રમાં એક સરળ પરંતુ શક્તિશાળી વિચાર છે: કેન્સર સુરક્ષાએ કેન્સર જે છીનવી લે છે તેની ભરપાઈ કરવી જોઈએ જેમાં તમારો પગાર પણ સામેલ છે.

આ પ્લાન રૂ. 50 લાખ સુધીનું કવરેજ આપે છે અને તેની ચુકવણી પરિવારની જરૂરિયાત મુજબ વિવિધ રીતે મેળવી શકાય છે:

• નિયમિત આવક - દર મહિને પગારની જેમ મળતી નિશ્ચિત રકમ

• 100 ટકા લમ્પસમ ચુકવણી - એવા પરિવારો માટે જે હોસ્પિટલના બિલ ચૂકવવા, લોન સમાપ્ત કરવા અથવા નાણાંકીય વ્યવસ્થા એક જ વખતમાં ગોઠવવા માંગે છે

• બંનેનો સંયુક્ત વિકલ્પ - તાત્કાલિક જરૂરિયાતો માટે લમ્પસમ રકમ અને ત્યારબાદ પાંચ વર્ષ સુધી મળતી નિયમિત આવક

આ છેલ્લો વિકલ્પ ખરેખર ક્રાંતિકારી છે. પાંચ વર્ષ સુધી મળતી નિયમિત આવકનો અર્થ એ છે કે જો કેન્સર તમારી કમાણી કરવાની ક્ષમતાને કાયમી રીતે અસર કરે તો પણ તમારા પરિવારને વર્ષો સુધી નાણાંકીય સહાય મળતી રહેશે. હકીકતમાં, આ હેલ્થ પ્લાનમાં જ સમાવાયેલ આવકનો વિકલ્પ છે જે અગાઉ ભારતમાં કોઈ પરંપરાગત કેન્સર પોલિસીમાં ઉપલબ્ધ નહોતો અને ગ્રાહકોએ પણ તેને અનોખો ગણાવ્યો છે. ત્રણમાંથી બે લોકોએ આ પ્રસ્તાવને વિશિષ્ટ ગણાવ્યો હતો.

આ પ્લાનમાં ઉદ્યોગમાં પ્રથમ વખત 30 વર્ષ સુધી પ્રીમિયમ દરની ગેરંટી આપવામાં આવી છે, જેથી વધતી ઉંમર સાથે ખર્ચ વધવાની ચિંતા વગર પરિવારો લાંબા ગાળાનું આયોજન કરી શકે.

વહેલું નિદાન: ડાયગ્નોસ્ટિક લાભ

ભારતમાં કેન્સરની સારવાર અંગેની સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબતોમાંની એક એ છે કે વહેલા નિદાનથી સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થાય છે અને ખર્ચ પણ ઘટે છે, છતાં ઘણા લોકો સ્ક્રીનિંગ ટેસ્ટના ખર્ચને કારણે તે ટાળે છે. સંપૂર્ણ કેર - કેન્સરમાં ડાયગ્નોસ્ટિક લાભનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રારંભિક તબક્કાના તબીબી પરીક્ષણના ખર્ચમાં સહાય કરે છે. આથી પૂર્વતૈયારીરૂપે કરાતી તપાસ ખરેખર સુલભ બને છે, માત્ર સલાહ પૂરતી રહેતી નથી.

કારણ કે શ્રેષ્ઠ સારવાર દુનિયાના કોઈપણ ખૂણે હોઈ શકે છે

કેટલાક પ્રકારના કેન્સરમાં શ્રેષ્ઠ સારવાર તમારા શહેરમાં કે તમારા દેશમાં પણ ઉપલબ્ધ ન હોઈ શકે. સંપૂર્ણ કેર - કેન્સરમાં ઓવરસીઝ ટ્રીટમેન્ટ બૂસ્ટરનો સમાવેશ થાય છે, જે નિદાન પછી નિર્ધારિત સમયમર્યાદામાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર માટે વીમા રકમના વધારાના 10 ટકા સુધીનું કવરેજ આપે છે. કારણ કે જ્યારે તમે કેન્સર સામે લડી રહ્યા હોવ, ત્યારે ભૌગોલિક મર્યાદા અવરોધ બનવી જોઈએ નહીં.

હેલ્થ ફંડ: તમારી બચત પણ સંઘર્ષ કરવાનું બંધ કરતી નથી

આ જ ક્ષેત્રમાં સંપૂર્ણ કેર - કેન્સર ફંડ બજારમાં ઉપલબ્ધ અન્ય વિકલ્પોથી ઘણું આગળ નીકળી જાય છે.

આ યોજનામાં બિલ્ટ-ઇન હેલ્થ ફંડનો સમાવેશ થાય છે. આ એક સંરચિત બચત ઘટક છે, જે કેન્સર સુરક્ષા સાથે ચાલે છે અને તમારી સંપત્તિ નિર્માણની યાત્રાને બીમારીના કારણે ખોરવાઈ જવાથી બચાવે છે.

મોટાભાગના લોકો તબીબી સંકટ આવે ત્યારે તેમના એસઆઈપી રોકાણો બંધ કરી દે છે. નાણાં અન્ય જરૂરિયાતો તરફ વળે છે. લક્ષ્યો પાછળ ધકેલાઈ જાય છે. વર્ષો સુધી જાળવેલી રોકાણની શિસ્ત થોડા મહિનાઓમાં તૂટી જાય છે. હેલ્થ ફંડ ખાસ કરીને આ પરિસ્થિતિ અટકાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી અન્ય બધું અસ્થિર લાગતું હોય ત્યારે પણ તમારી બચતની પ્રક્રિયા ચાલુ રહે.

• કેન્સર સુરક્ષા માટેના પ્રીમિયમના 1 ગણાથી 3 ગણાં સુધીનું હેલ્થ ફંડ પ્રીમિયમ પસંદ કરી શકાય

• મુશ્કેલ સમયમાં પણ બચતની શિસ્ત જાળવી રાખવામાં મદદ

• આરોગ્ય સંબંધિત કોઈપણ ખર્ચ માટે સંચિત હેલ્થ ફંડમાંથી કરમુક્ત ઉપાડ

• અકસ્માતથી સંપૂર્ણ અને કાયમી વિકલાંગતા માટે વધારાનું કવરેજ

• પોલિસીની મુદત દરમિયાન કેન્સરનું નિદાન ન થાય તો ‘પ્રીમિયમ પરત’નો વિકલ્પ

આ ઉકેલ વિશે વધુ માહિતી www.tataaia.com પર ઉપલબ્ધ છે.

જેઓ કંઈક નિર્માણ કરી રહ્યા છે તેમના માટે ખાસ તૈયાર

સંપૂર્ણ કેર - કેન્સર મુખ્યત્વે કામ કરતા વ્યાવસાયિકો અને પરિવારના મુખ્ય કમાણી કરનાર સભ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, એવા લોકો માટે જેમણે વર્ષો સુધી નાણાંકીય સુરક્ષા ઊભી કરી છે અને જેમને ખાતરી જોઈએ છે કે આરોગ્ય સંકટ તેમના આ પ્રયાસોને બરબાદ નહીં કરે. કેન્સર કવર સાથે બચતની સતતતા જાળવતી વ્યવસ્થા જોડીને, સંપૂર્ણ કેર - કેન્સર ફંડ ભારતીય પરિવારોને ગંભીર બીમારીનો સામનો કરતી વખતે પણ પોતાના ભવિષ્ય સાથે સમાધાન ન કરવું પડે તેવો આત્મવિશ્વાસ આપે છે.

એક અલગ પ્રકારની પ્રતિબદ્ધતા

ભારતમાં કેન્સર સુરક્ષા અંગે નવી અને વધુ વાસ્તવિક ચર્ચાની જરૂર છે, એવી ચર્ચા જે કેન્સરના નિદાનના સંપૂર્ણ ખર્ચને પ્રામાણિક રીતે સ્વીકારે. સારવારનો ખર્ચ વાસ્તવિક છે. આવકમાં ઘટાડો પણ વાસ્તવિક છે. બચત ખતમ થઈ જવાની અને પરિવારના લક્ષ્યો અધૂરા રહી જવાની શક્યતા પણ વાસ્તવિક છે.

સંપૂર્ણ કેર - કેન્સર અને સંપૂર્ણ કેર - કેન્સર ફંડ આ ત્રણેય પડકારોને આવરી લે છે - સુરક્ષાની રકમ મેળવવાની ફ્લેક્સિબિલિટી, આવકની સાતત્યતા અને કોઈપણ પરિસ્થિતિમાં ચાલુ રહેતી બચતની વ્યવસ્થા દ્વારા.

કારણ કે હેતુ માત્ર કેન્સરના નિદાન સમયે ચુકવણી કરવાનો નહોતો. હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે તમે અને તમારો પરિવાર આ મુશ્કેલ સમયમાંથી બહાર આવો ત્યારે તમારું જીવન અને તમારું ભવિષ્ય બંને સુરક્ષિત રહે.

લાભો, ચુકવણીની રચના અને પાત્રતાની શરતો વિશે વધુ જાણવા માટે www.tataaia.com ની મુલાકાત લો.

ટાટા એઆઈએ સંપૂર્ણ કેર - કેન્સર ફંડમાં ટાટા એઆઈએ હેલ્થ એસઆઈપીનો સમાવેશ થાય છે, જે નોન-પાર્ટિસિપેટિંગ, યુનિટ લિંક્ડ, વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે (UIN: 110L184V01).

ટાટા એઆઈએ હેલ્થ બડી એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ પ્રોડક્ટ છે (UIN: 110N183V01).

ટાટા એઆઈએ સંપૂર્ણ કેર - કેન્સર, ટાટા એઆઈએ સંપૂર્ણ કેર પ્રોડક્ટનું એક વેરિઅન્ટ નામ છે. ટાટા એઆઈએ સંપૂર્ણ કેર એક નોન-પાર્ટિસિપેટિંગ, નોન-લિંક્ડ ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ પ્રોડક્ટ છે.

Tags: કેન્સર Tata AIA Life Insurance Tata AIA Cancer Plan કેન્સર ઇન્સ્યોરન્સ ઇન્ડિયા હેલ્થ ઇન્સ્યોરન્સ કેન્સર સારવાર ખર્ચ ટાટા એઆઈએ કેન્સર પ્લાન

સંબંધિત સમાચાર