મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક

આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો,આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો : દુર્ગેશ પાઠક AAP

આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે મન થોડુક ભાવુક છે. હું આ દેશની કોર્ટનો ખૂબ-ખૂબ આભાર માનું છું. કહેવાય છે કે ભગવાન ન્યાય કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી મોદીજીએ આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, મનીષ સિસોદિયાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અને આખી આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમે કહેતા હતા કે આ ખોટા કેસ છે અને બધા આરોપ ખોટા છે. આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ ચાર સ્તર પર કેસ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો. આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. આજે મારા ઉપર પણ કેટલાય કેસ થયા છે, કેટલીય વખત સીબીઆઈ અને ઈડીએ બોલાવ્યો છે. આજે ખૂબ મોટી જીત મળી છે. અમે આ દેશને બદલવા માટે આવ્યા છીએ. આ દેશમાં નવી પ્રકારની રાજનીતિ સ્થાપવા માટે આવ્યા છીએ. અમારો માત્ર એક જ ઉદ્દેશ છે, દેશની સ્કૂલ,હોસ્પિટલ સારી બનાવવી, અને અમે સર્વોત્તમ કારકિર્દી છોડીને આ કાર્ય માટે આવ્યા છીએ.જેમણે અમારી ઉપર વિશ્વાસ રાખ્યો અને અમારી સાથે ઊભા રહ્યા તે તમામનો ખૂબ-ખૂબ આભાર.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

fashion

સંબંધિત સમાચાર

travel