ગુજરાત
3687 लेख
રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ વડોદરા મંડળના બે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા
રેલ સંરક્ષમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વડોદરા મંડળના બે કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી રાજુ ભડકે દ્વારા પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમ્માન રેલવેની સુરક્ષિત સંચાલન પ્રણાલીને મજબૂત બનાવવામાં તેમની સતર્કતા અને તત્પરતાને માન્યતા આપવા બદલ આપવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો પ્રારંભ
25,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા એક્સપોમાં 400થી વધુ એક્ઝિબિટર્સ દવાઓ અને ફાર્મા પ્રોડક્ટ્સ તેમજ ઉત્પાદન મશીનરી-સાધનો પ્રદર્શિત કરશે.
સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના ૭૫ ટકા સુધીની સહાય
APEDA માન્ય સંસ્થાઓ ખાતેથી સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોએ સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
ગીર ફાઉન્ડેશન દ્વારા ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી યોજાઈ
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે પર્યાવરણના જતનની સાથેસાથે ઘરમાં રહેલી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકો ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી તૈયાર કરી શકે તેવા હેતુથી 'ગીર' ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે ઇન્દ્રોડા ખાતે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી.
ગુજરાતમાં અત્યારસુધીમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ વિક્રમજનક ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા
હવે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવવા રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતમાં VCE મદદરૂપ થશે. પ્રધાનમંત્રી જન ધન હેઠળ ખાતું ખોલાવવાથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાનો લાભ લઇ શકાશે.
ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ ઉદ્ઘાટન એક્સપ્રેસનું મહેસાણામાં ભવ્ય સ્વાગત
ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ ઉદ્ઘાટન એક્સપ્રેસનું મહેસાણામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.મહેસાણાથી રામલલ્લાના નગરી અયોધ્યાને જોડતી આ પહેલી ટ્રેન છે.
વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે નવી સૌગાત, માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કર્યું ઉદ્ઘાટન
વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુવિધા વધારવા માટે એક નવી સુવિધાઓનું ઉદ્ઘાટન માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કર્યું. જેમાં મફત બેટરી સંચાલિત કાર્ટ સેવા અને મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષનું સૌંદર્ય કરણ શામેલ છે.
ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫ની ઉજવણી કરાઈ
વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણને સંરક્ષિત કરવા દર વર્ષે ૨૯ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટ, ડૉક્ટર પાસેથી 19.24 કરોડ રૂપિયા પડાવ્યા
ગુજરાતની રાજધાનીમાં લગભગ 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 19.24 કરોડની છેતરપિંડીનો આ કેસ સમગ્ર દેશનો સૌથી મોટો ડિજિટલ કૌભાંડ બની ગયો છે. આ કેસમાં પોલીસે સુરતથી લાલજીભાઈ બલદાનિયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ - ITI
રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં ૨૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ-ઇન-એઇડ અને ૧૬૮ સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ ૫૫૬ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે.
PDEU માં 2025-2026 બેચના B.Tech અને B.Sc ના નવા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ
પંડિત દિનદયાળ ઊર્જા યુનિવર્સિટી (PDEU) એ 2025-2026 ના શૈક્ષણિક વર્ષની B.Tech. અને B.Sc. ની નવી બેચ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શાળાથી યુનિવર્સિટી જીવનમાં પરિવર્તન સરળતાથી થઈ શકે તે માટે માર્ગદર્શન આપવાનો છે.
નર્મદા જિલ્લાના આંગણે પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ કેવડિયા કાર્નિવલ
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પર્ફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીતરસની હેલી વરસાવી નર્મદાવાસીઓને મનોરંજનમાં તરબોળ કર્યા.
અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસનું રાજગીર સુધી વિસ્તરણ
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન બર 12947/12948 અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસને રાજગીર સુધી વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો મામલો, બેકાબૂ કારે અનેક લોકોને કચડી નાખ્યા; 4 લોકોના મોત
ગાંધીનગરમાં એક કારે અનેક લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
રાજપીપળા વન વિભાગના સહયોગથી નર્મદા જિલ્લાની સ્થાનિક મહિલાઓ દેશી શાકભાજીનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા
રીંગણ, ચોળી, ભીંડા, કારેલા, કંકોડા અને મકાઈનું વેચાણ કરી રોજગારી મેળવતી આમલી ગામની સ્થાનિક મહિલાઓ. શાકભાજીના વેચાણમાંથી ઘર-પરિવાર તેમજ બાળકોને ભણાવવાના ખર્ચા માટેની આવક મળી રહે છે : શ્રીમતી મિનાક્ષીબેન વસાવા.
આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે
આગામી વિવિધ તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે :- અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે
પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે.
રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીનો અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કરાયો
રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના તારણોનો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો હતો.