ગુજરાત
3688 लेख
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા ખાતેથી Td અને DPT રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. આ અભિયાનમાં રાજ્યની ૯૯૨ RBSK ટીમો દ્વારા ૪૭,૪૩૯ શાળાઓના અંદાજીત ૧૮,૨૦,૧૦૪ લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૨૪ ટકા નોંધાયો.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૬ જિલ્લાના ૧૪૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર
રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 20945/20946 એકતાનગર – હજરત નિજામુદ્દીન – એકતાનગર સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક ટ્રેનના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ
રાહત નિયામકશ્રી અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.
રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 5 રેલવે કર્મચારી સન્માનિત
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી સુધીર કુમાર શર્માએ મંડળના 05 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા.
સુરત જિલ્લામાં ગત ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ. સુરત શહેરમાં જ રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો.
અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર
અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ઉપડતી/આવતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને કામચલાઉ ધોરણે અસારવા, મણિનગર અને વટવામાં ખસેડવામાં આવી રહ્યા છે.
સેવા બેંક દ્વારા સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે વુમન-ઇન-બિઝનેસ કેમ્પનું આયોજન કરાયું
ભારતની અનૌપચારિક ક્ષેત્ર માટેની પ્રથમ મહિલા બેંક, શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ, દ્વારા અમદાવાદની ફર્ન હોટેલ ખાતે 'વુમન-ઇન-બિઝનેસ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિસાવદરમાં AAPનો વિજય, કડીમાં ભાજપનો વિજય, જાણો કોને કેટલા મત મળ્યા
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠક જીતી છે. બીજી તરફ, કડી બેઠક પર BJP ઉમેદવારનો વિજય થયો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦ જળાશયો સંપૂર્ણ : ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા
ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જ્યારે હાલમાં ૪૬ ટકાથી વધુ જળ સંગ્રહ, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું- '318 શરીરના ભાગો મળ્યા'
અમદાવાદના પોલીસ કમિશનરનું કહેવું છે કે અકસ્માત સ્થળેથી 318 શરીરના ભાગો મળી આવ્યા છે. કાટમાળમાંથી લગભગ 100 મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. બધી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને 2-3 દિવસમાં સાચો મૃત્યુઆંક બહાર આવી શકે છે.
ગુજરાતના ભાવનગરમાં વરસાદનો કહેર
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, ગુજરાતના ઘણા જિલ્લાઓ પણ ભારે વરસાદની ઝપેટમાં છે.
પશ્ચિમ રેલ્વેના ૧૪ કર્મચારીઓને જનરલ મેનેજર સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, મુંબઈ ખાતે ૧૪ કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કર્યા, જેમના યોગદાનથી સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત થયું. આ કર્મચારીઓ મે ૨૦૨૫ દરમિયાન ફરજ પર સતર્ક રહીને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવામાં સફળ રહ્યા.
જતન-સંવર્ધનથી જન-જન સુધી સંસ્કૃત ભાષા પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ લોંચ
યોજના પંચકમ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના - સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના - સંસ્કૃત પ્રોત્સાહન યોજના - શ્રીમદ ભાગવદ ગીતા યોજના - શત સુભાષિત કન્ઠ પાઠ યોજના શરૂ કરાશે. રાજ્યમાં 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ ઉજવી સંસ્કૃતમય વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો હાથ ધરાશે.
જૂન 2025 માં આરપીએફ અમદાવાદે કર્યા વિવિધ સરાહનીય કાર્યો
રેલવે સુરક્ષા બળ (આરપીએફ) અમદાવાદ મંડળ રેલવેની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને યાત્રીઓ ને મદદ કરવા માટે સતત કાર્યરત છે. જૂન 2025 મહિનામાં અત્યાર સુધી આરપીએફ દ્વારા યાત્રીઓને મદદ કરવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા, બાળકોનું રક્ષણ કરવા અને યાત્રીઓની સંપત્તિની સુરક્ષા હેતુ ઘણા નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા.
અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે
ઉત્તર મધ્ય રેલવે દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ટેકનિકલ કારણોસર,અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી 8 જોડી ટ્રેનો બતાવેલ તારીખો થી આગળની સૂચના સુધી આગ્રા ફોર્ટ ને બદલે ઇદગાહ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોની વધુ વિગતો માટે આગળ વાંચો.
સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ થાવે જંકશન સુધી વિસ્તૃત
ઉત્તર પૂર્વ રેલવે ના ગોરખપુર સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે, સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને અસ્થાયી રૂપે થાવે જંકશન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
૧૨ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૫ પરિવારો સાથે તંત્ર સંપર્કમાં, ૧૭ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી