ગુજરાત
4117 लेख
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 2 દાયકામાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરી વિકાસના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 2025માં 20 વર્ષ પૂર્ણ થયા અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું.&nb
અમરેલીમાં આપની ભવ્ય સભા યોજાઈ; સ્થાનિક ચૂંટણીના ઉમેદવાર જાહેર
ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 ઉમેદવાર યાદી જાહેર: અમરેલીમાં કેજરીવાલની સભા.
આપ દ્વારા ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026ના ઉમેદવારોની યાદી જાહેર
ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 ઉમેદવાર યાદી જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહ.
કાલાવડના અગ્રણી નાનજીભાઈ ચોવટીયા AAP માં જોડાયા: ગોપાલ ઇટાલિયા
જામનગરના કાલાવડના લોકપ્રિય આગેવાન નાનજીભાઈ ચોવટીયા અને તેમની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારમાં ધારાસભ્યોના સન્માન અને ખેડૂતોની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા.
પોલીસનો દુરુપયોગ કરી AAP કાર્યકર્તાઓને ડરાવવાનું સંગઠિત ષડયંત્ર: ગોપાલ ઇટાલિયા
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ અને પોલીસ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
સાંતલપુરને અલગ તાલુકો બનાવો: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં સાંતલપુર તાલુકાની કચેરીઓ વારાહીમાં હોવાને કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો અને સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવા માંગ કરી છે.
સુરતમાં શ્રમિકોનું પલાયન: ફૂડ વિતરણ કરવા ગયેલા AAP નેતાઓની અટકાયત; ભાજપ પર 'તાનાશાહી'નો આક્ષેપ
મિડલ ઇસ્ટ યુદ્ધને કારણે ગુજરાતમાં સર્જાયેલી ગેસ કટોકટી વચ્ચે સુરતથી પલાયન કરી રહેલા શ્રમિકોને ભોજન આપવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.
જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.
ગુજરાતમાં PM-RAHAT યોજનાનો સફળ પ્રારંભ: જાણો કેવી રીતે મળશે ₹1.50 લાખ સુધીની સહાય
મહેસાણામાં PM-RAHAT યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ ક્લેમ મંજૂર થયો છે. અકસ્માત પીડિત યુવાનને ₹47,300ની નિઃશુલ્ક સારવાર મળી. જાણો આ યોજનાના ફાયદા અને પ્રોસેસ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા UCC રિપોર્ટના 3 વોલ્યુમ: મહિલા અધિકારો અને સુરક્ષાને અપાશે પ્રાથમિકતા
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની દિશામાં મોટો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મંગળવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. આ અહેવાલમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો માટે સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે.
આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર 'ઉત્તરવાહિની': રામપુરાથી શહેરાવ સુધીના પવિત્ર પ્રવાહની મહત્તા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રામપુરા ઘાટથી 19 માર્ચથી 17 એપ્રિલ 2026 દરમિયાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. આશરે 14 કિલોમીટર લાંબી આ પરિક્રમાનું મહત્વ એટલું છે કે તેને કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું ફળ મળે છે. અહીં રામપુરા ખાતે મહાભારતકાળની પાંડવ ગુફા આવેલી છે, જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવલિંગની સ્થાપના કરી હતી.
વિધાનસભામાં આરોગ્ય મહોત્સવ: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યો અને પત્રકારો માટે મેડિકલ કેમ્પ ખુલ્લો મૂક્યો
ગુજરાત વિધાનસભા ખાતે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ધારાસભ્યો અને પત્રકારો માટે ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગ અને ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી પદ્ધતિથી તપાસ કરવામાં આવી હતી.
અન્નપૂર્તિ ગ્રેઈન ATM અને ડિજિટલ ફૂડ કૂપન: ગુજરાતમાં અનાજ વિતરણ હાઈટેક
ગુજરાત બજેટ 2026-27માં અન્ન સુરક્ષા માટે ₹2,856 કરોડની જોગવાઈ. ગ્રેઈન ATM, CBDC ડિજિટલ કૂપન અને મિલેટ્સ બોનસ જેવી નવી યોજનાઓ જાહેર. સંપૂર્ણ વિગત માટે અહીં વાંચો.
મોના ખંધારની સ્પષ્ટતા: LPG ગ્રાહકો માટે PNG કન્વર્ઝન અને હેલ્પલાઇન
ગુજરાતમાં ઘરેલુ LPG સિલિન્ડર અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અધિક મુખ્ય સચિવ મોના ખંધારે સપ્લાય અને હેલ્પલાઇન અંગે કરી મહત્વની જાહેરાત. વિગતો માટે વાંચો.
રમજાનમાં ઇન્સાનિયતનો રોજો: મુસ્લિમ પરિવારે કર્યું અંગદાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રમજાન માસ દરમિયાન મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાનની ઉમદા પહેલ. 14 કલાકમાં 2 અંગદાન દ્વારા 6 લોકો બચ્યા. માનવતાનો સંદેશ વાંચવા ક્લિક કરો.
SDAU 21મો પદવીદાન સમારોહ: 36 તેજસ્વીઓને 39 ગોલ્ડ મેડલ એનાયત
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 21માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 510 વિદ્યાર્થીઓને પદવી આપી. પ્રાકૃતિક ખેતી પર મૂક્યો ભાર.
HPV રસીકરણ અને પોલિયો મુક્ત ગુજરાત: આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ
રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2026 નિમિત્તે ગુજરાતે 11.30 લાખ શિશુઓ અને 24 લાખ બાળકોના રસીકરણનો રેકોર્ડ બનાવ્યો. HPV અને ઓરી-રુબેલા નાબૂદી અભિયાનની વિગતો વાંચો.