ઇન્ડિયા
11598 लेख
મણિપુર હિંસા: 2 વિદ્યાર્થીઓના મોતની તસવીર વાયરલ થતાં મણિપુરમાં તણાવ વધ્યો, CBIની ટીમ તપાસ માટે પહોંચી
મણિપુર હિંસા: જુલાઈમાં ગુમ થયેલા બે યુવકોના અપહરણ અને હત્યા બાદ મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં તણાવ ચાલુ છે. દરમિયાન, હત્યારાઓને પકડવા માટે ઇમ્ફાલમાં રેલી કાઢવામાં આવી હતી.
ઉપલેટાના કોલકી રોડ પર આવેલ વેણુ સિંચાઇ યોજનાની જર્જરિત પાણી ભરેલી ટાંકી ધળાકા ભેર તૂટી પડી
ઉપલેટાના કોલકી રોડ પાસે આવેલ વેણુ સિંચાઇની 6 લાખ લીટર ની પાણી ભરેલ ટાંકી તંત્ર ની બેદરકારીને લઈ તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે.
અદાણી વિદ્યા મંદિર, અમદાવાદને 7મી એનવાયસી ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ 2023માં સન્માનિત કરાઈ
અદાણી વિદ્યા મંદિર, અમદાવાદ (એવીએમએ), ને પર્યાવરણ-સભાન શિક્ષણ માટે તેના અનુકરણીય અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. શાળાએ 7મી એનવાયસી ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં ગૌરવપૂર્વક પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીત્યો હતો, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.
દિલ્હી સરકારે દારૂ અંગેની જૂની નીતિને વધુ 6 મહિના લંબાવવાનો નિર્ણય લીધો!
Delhi Private Liquor Shop: દિલ્હીમાં હાલની લિકર પોલિસી 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. દિલ્હી સરકાર વર્તમાન નીતિને આગામી 6 મહિના સુધી લંબાવી શકે છે.
૧૯મી વખત AMA એઆઈએમએનો બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ કેટેગરી-૧ જીત્યું
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ભારતમાં મેનેજમેન્ટ પ્રોફેશનની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમોટર અને સ્થાપક-સભ્યો પૈકીમાનું એક છે. દર વર્ષે એઆઈએમએ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન્સને "બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ" એનાયત કરે છે.
સનાતન પર નિવેદન આપ્યા બાદ ઉદયનિધિ સ્ટાલિન મુશ્કેલીમાં, DMK નેતા વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
સનાતન ધર્મ પર ઉધયનિધિ સ્ટાલિન: DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તેની સામે સુપ્રીમ કોર્ટ વધુ એક અરજી પર સુનાવણી કરવા જઈ રહી છે.
બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને કાર્ડિયાક અરેસ્ટ, મુંબઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને મંગળવારે સાંજે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો અને બાદમાં તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
શરદ પવારે મહિલા અનામત બિલ માટે ક્રેડિટનો દાવો કરવા બદલ પીએમ મોદીની મજાક ઉડાવી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે મહિલા અનામત બિલ માટે શ્રેયનો દાવો કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી હતી. પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર એ દેશનું પહેલું રાજ્ય હતું જેણે મહિલા સશક્તિકરણ માટે પહેલ શરૂ કરી હતી અને મોદીને યોગ્ય માહિતી આપવામાં આવી ન હતી.
બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેક આવ્યો, મુંબઈના લીલાવતીમાં દાખલ
ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત ઠીક છે.
તેલંગાણાએ ગણેશ મૂર્તિઓના વિસર્જનને કારણે બે દિવસ માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ મુક્યો
તેલંગાણા રાજ્યમાં, જ્યાં ગણેશ ચતુર્થીના હિંદુ તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યાં ગણેશની મૂર્તિઓની અપવિત્રતાને પગલે બે દિવસ માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
PM મોદીએ G20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં ભારતની વૈજ્ઞાનિક અને રાજદ્વારી સિદ્ધિઓની પ્રશંસા કરી
PM મોદીએ ચંદ્રયાન-3 મિશનના સફળ પ્રક્ષેપણ, સંસદમાં "નારી શક્તિ વંદન અધિનિયમ" પસાર કરવા અને કારીગરો માટે PM વિશ્વકર્મા યોજનાના પ્રારંભને પ્રકાશિત કરીને, પાછલા મહિનામાં ભારતની પ્રગતિની સમીક્ષા કરી.
આણંદ જિલ્લામાં કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ કલામહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે.
તિલકવાડા તા.પં પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટણીમાં પક્ષ વિરુદ્ધ મતદાન કરનાર કોંગ્રેસના સભ્યો પાર્ટીમાંથી સસ્પેન્ડ
નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોહિત પટેલે પ્રદેશના આદેશથી કોંગ્રેસના તા.પં સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કર્યાં, આગામી સમયમાં એમનું તાલુકા પંચાયતનું સભ્ય પદ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે: નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રોહિત પટેલ.
નર્મદામાં લગ્નની લાલચે ૧૭ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવાન સામે ગુનો દાખલ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે, નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકા તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા, તે સમયે આરોપી યુવાને સગીરાને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
સ્વચ્છ ભારત મિશન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી વડોદરા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને મળશે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ
રૂ. ૧૦ કરોડના ખર્ચે દાહોદમાં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રનું થશે ખાતમુહૂર્ત.
દાહોદ નગરની જળ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવાના અદ્યતન પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે લોકાર્પણ
દાહોદ નગરમાં જળ વિતરણમાં સેન્સર્સ ટેકનોલોજીથી લિકેજીસ શોધીને વ્યય થતા પાણીને બચાવી શકાશે, રૂ. ૯૨.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણી પુરવઠા પરિયોજના થકી પાણીના વિતરણ અંગેની માહિતી મેળવી શકાશે.
જાની પાયગા પાસે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક નમી પડતા લોકોના જીવ તાળવે ચોટ્યા
છાસવારે ઓવારલોડ ટ્રકોથી જોખમ ઉભુ થાય છે માટે હાઇવેની સાથે સાથે ગામમાં ફરતી આવી ટ્રકો પર કંટ્રોલ જરૂરી.
રાજસ્થાનઃ કોંગ્રેસે પીએમ મોદીના ગેરંટી નિવેદન પર ઉઠાવ્યા સવાલ, ભાજપને ડૂબતું જહાજ કહયું
કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રમોદ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના 'ગેરંટી' નિવેદનને લઈને જોરદાર નિશાન સાધ્યું છે. આ સિવાય તેમણે કહ્યું કે ભાજપ ડૂબતું જહાજ છે અને તેના મોટા ભાગના સહયોગી તેનાથી અલગ થઈ રહ્યા છે.
નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા પો.સ્ટે.ખાતે બ્લડ કેમ્પ યોજાયો
આવનારા તહેવારોને અનુલક્ષી ને પોલીસ વિભાગ દ્વારા માનવતાનાં ધોરણે બ્લડ કેમ્પનું આયોજન કરાયું, - ટાઉન પીઆઈ સહિત પોલીસ સ્ટાફનાં માણસો અને હિન્દુ,મુસ્લિમ દાતાઓએ લોહી આપ્યું.