પોલિટિક્સ
1003 लेख
ચીકદામાં ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો: AAPનું પ્રચંડ શક્તિ પ્રદર્શન
નર્મદા જિલ્લાના ચીકદામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભવ્ય રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હજારો સમર્થકોની હાજરીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વાયરલ ઓડિયો બાબતે કર્યો મોટો ખુલાસો
બનાવટી વાયરલ ઓડિયો બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ કરવામાં આવ્યો.
આસામમાં ઘૂસણખોરોનું શાસન નહીં ચાલવા દઈએ
આસામમાં ઘૂસણખોરોનું શાસન નહીં ચાલવા દઈએ તેમ અમિત શાહે જણાવ્યું છે. પથારકાંડીની રેલીમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કડક ચેતવણી આપી હતી.
જય રાઉતે મમતા બેનર્જીને સિંહણ ગણાવ્યા
સંજય રાઉતે મમતા બેનર્જીને સિંહણ ગણાવ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની વડાપ્રધાનના રાજીનામાની માંગને યોગ્ય ઠેરવી ટેકો જાહેર કર્યો છે.
આગ્રામાં હાહાકાર: જૂતાના સોલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, આખું આકાશ ધુમાડાથી ભરાયું!
ઉત્તર પ્રદેશના આગ્રામાં રવિવારે રાત્રે એક શૂઝ સોલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
તમિલનાડુમાં સત્તાની આરપારની લડાઈ: મુખ્યમંત્રી સ્ટાલિને મદુરાઈની ધરતી પરથી વિરોધીઓને લલકાર્યા, ભાષાના મુદ્દે છેડ્યું યુદ્ધ!
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને મદુરાઈમાં જનસભા ગજવી હતી અને ત્રણ ભાષાની નીતિનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપ સરકારે ખેડૂતો અને મહિલાઓની અવગણના કરી
ભાજપ સરકારે ખેડૂતો અને મહિલાઓની અવગણના કરી હોવાનો આક્ષેપ અભિષેક બેનર્જીએ કર્યો છે. બંગાળમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
રાહુલ ગાંધીનો આસામ સીએમ પર પ્રહાર: ભ્રષ્ટાચાર મુદ્દે આક્રમક તેવર
રાહુલ ગાંધીનો આસામ સીએમ પર પ્રહાર કરતા જણાવ્યું કે હિમંતા બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે અને કાયદો તેમને છોડશે નહીં.
નીતિન નવીનનો કોંગ્રેસ પર પ્રહાર: ખડગેના નિવેદનથી વિવાદ
નીતિન નવીનનો કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે ખડગે ગુજરાતના સપૂતનું અપમાન કરી રહ્યા છે. જનતા આ માનસિકતાનો યોગ્ય જવાબ આપશે.
રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા; "રાઘવ ભાજપ સામે બોલતા ડરે છે": સૌરભ ભારદ્વાજ
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવી અશોક મિત્તલની નિમણૂક કરી. સૌરભ ભારદ્વાજ અને આતિષીએ રાઘવ પર ભાજપ સાથે સાંઠગાંઠના આક્ષેપો કર્યા.
પંજાબ હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ ઝડપાયું; ૮૮૨ રેસ્ટોરન્ટ અને ઢાબા રડાર પર
પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડની ટર્નઓવર ચોરીનો પર્દાફાશ કર્યો. મોહાલી, જલંધર અને લુધિયાણા મુખ્ય કેન્દ્રો.
દાહોદની ‘વિજય વિશ્વાસ સભા’: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ભાજપ-કોંગ્રેસ પર તીખો પ્રહાર
દાહોદમાં AAPની જંગી સભામાં અરવિંદ કેજરીવાલે આદિવાસીઓના અધિકાર, મફત વીજળી અને પંજાબ મોડેલના આધારે પરિવર્તનની હાકલ કરી.
અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP
અમરેલી જિલ્લામાં ₹11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે કાયદામંત્રીના વિસ્તારમાં જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કાયદાનો ડર નથી, જેના કારણે નબળી ગુણવત્તાના રોડના સેમ્પલ ફેલ ગયા છે.
ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં AAP: પ્રવિણ રામે કોળી સમાજની એકતા માટે કરી હાકલ
રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અમાનવીય પોલીસ અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, એક IPS અધિકારીએ તપાસના નામે યુવાનને નિર્વસ્ત્ર કરી, ઊંધો લટકાવીને કલાકો સુધી બેરહેમીથી માર માર્યો છે. પ્રવિણ રામે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે અને અગાઉ હડદડમાં પણ કોળી યુવાન પર ૧૫૦ થી વધુ ધોકા મારી અત્યાચાર ગુજારાયો હતો.
ન્યાયની લડાઈમાં કોળી સમાજ સાથે AAP: ગરીબ પર અત્યાચાર કરનારા અધિકારીઓને છોડાશે નહીં
કોળી સમાજના એક યુવાન પર IPS જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવેલા કથિત અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ફેસબુક લાઈવ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે યુવાનને ઊંધો લટકાવી બેરહેમીથી માર મારવામાં આવ્યો છે.
ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ
દાહોદના લીમખેડામાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 30 વર્ષમાં બંને પક્ષોએ મળીને આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ગુજરાતમાં પંજાબની જેમ મફત વીજળી, શ્રેષ્ઠ શિક્ષણ, અને મહિલાઓને દર મહિને ₹1000 આપવાનું વચન આપ્યું છે. પંજાબના CM ભગવંત માને ખેડૂતોને દિવસે વીજળી આપવાના મોડલની રજૂઆત કરી હતી.
AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર
અમરેલીમાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ ભાજપ સરકારના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે ખેડૂતોના પાક નુકસાન પેકેજ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી અને મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી આપી છે.
પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર
પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાન હેઠળ રાજ્યના યુવાનોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વ્યૂહરચના માત્ર તસ્કરો પર કાર્યવાહી કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યસનનો ભોગ બનેલા યુવાનોને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને ત્યારબાદ રોજગાર સહાય આપીને તેમને સામાજિક મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવી રહ્યા છે.
અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ
ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા જવાબ મુજબ અમદાવાદ અને સુરતમાં અંદાજે 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા તેમણે માંગણી કરી છે.
ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં થતા અતિશય ખર્ચ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે "સોના કરતાં ઘડામણ મોંઘું" હોવાનો ઘાટ સર્જાયો હોવાના આક્ષેપ સાથે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.