પોલિટિક્સ
1258 लेख
બિસ્માર રસ્તાને કારણે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને મામલતદારની ગાડીમાં જવું પડ્યું: AAP નેતા નિરંજન વસાવાનાં આકરા પ્રહારો
છોટાઉદેપુરમાં કન્ટેનર સ્કૂલના લોકાર્પણમાં ગયેલા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને ખરાબ રસ્તાને લીધે મામલતદારની ગાડીમાં જવું પડ્યું. AAP નેતા નિરંજન વસાવાએ સરકારના વિકાસના દાવા પર સવાલ ઉઠાવ્યા.
આસામમાં વિનાશકારી પૂર: 'અમારું બધું છીનવી લીધું' – અમદાવાદ એક્સપ્રેસ
ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં આવેલા ભયાનક પૂરે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. જોરહાટ જિલ્લાના સેલેંગ સુમોની પાથર ગામની ૧૮ વર્ષીય સલીન પાત્રો માટે ૧૯ જુલાઈ...
હિમાચલ અને ઉત્તરાખંડમાં અઠવાડિયા સુધી વરસાદની આગાહી: દિલ્હીમાં હળવા ઝાપટાં
ભારતીય હવામાન વિભાગ ( ) એ આગામી સાત દિવસ સુધી શિમલા અને દેહરાદૂનમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ બંને પહાડી શહેરોમાં હવામાન પલટો જોવા મળશે.શિમલ...
સંસદનું ચોમાસુ સત્ર: લોકસભામાં પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા, રાજ્યસભામાં MSME બિલ રજૂ થશે
સંસદના ચોમાસુ સત્રનો સાતમો દિવસ અનેક મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર થવાનો સાક્ષી બનશે. લોકસભામાં આજે, મંગળવાર, 28 જુલાઈ, ના રોજ, 'જાહેર પરીક્ષા (અયોગ્ય સા...
ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું “દેશના યુવાનોની જીત થઇ”
કોક્રોચ જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આંદોલન બાદ હવે આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આખરે યુવાનોની જીત થઈ, એકતાની જીત થઈ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું.
ગુજરાતમાં AAP નેતાઓ અને યુવાનોની અટકાયત મુદ્દે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે યોજી પ્રેસ કોન્ફરન્સ
સોનમ વાંગચૂકજીનું અનશન તોડાવતી વખતે મંત્રીઓએ આશ્વાસન આપ્યું હતું કે વિદ્યાર્થીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં: ગોપાલ રાય
અટકાયત થવા છતાં ’આપ’ નેતા પાયલ સાકરિયા અને ધાર્મિક માથુકિયા ભૂખ હડતાળ પર બેઠા
NEET પેપર લીકના વિરોધમાં આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આંદોલન કરવા એકઠા થયા હતા, ત્યારે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા સહિતના ’આપ’ નેતાઓ પણ ત્યાં જોડાયા હતા. પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની અન્યાયી રીતે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અટકાયત બાદ પણ તેમણે ભૂખ હડતાળ ચાલુ રાખી હતી.
NEET પેપર લીકના વિરોધ પહેલાં જ AAP નેતા પાયલ સાકરિયા અને ધાર્મિક માથુકિયાની પોલીસ દ્વારા અટકાયત
NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કરે તે પહેલાં જ આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલબેન સાકરિયા અને ધાર્મિકભાઈ માથુકિયાની પોલીસે અટકાયત કરી હતી.
"અમે આતંકવાદી નથી": ગાંધીનગર પ્રદર્શન પહેલાં AAP નેતા પ્રવીણ રામની નજરકેદ પર આક્રોશ
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન પહેલાં જ AAP નેતા પ્રવીણ રામ અને અન્ય નેતાઓની અટકાયત. સરકાર પર લોકશાહીનું ગળું દબાવવાનો આરોપ મૂકતા પ્રવીણ રામનો વીડિયો વાયરલ.
લાલપુરમાં ખેડૂતો અને માલધારીઓનું ઉગ્ર આંદોલન: ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં પ્રતિક ભૂખ હડતાલ
જામનગર જિલ્લામાં મોડા વરસાદના કારણે સુકાતા પાકને બચાવવા અને પશુધન માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે લાલપુર ખાતે વિશાળ જનઆક્રોશ રેલી અને એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતો અને માલધારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
"પહેલા ગુણવત્તાસભર રોડ બનાવો, પછી વેરો ઉઘરાવો": ડો. કાયનાત અંસારી આથાની ચેતવણી
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અખબારોમાં જાહેરખબર આપીને આજીવન વ્હીકલ ટેક્સ ઉઘરાવવા માટે વાંધાઓ મંગાવવામાં આવ્યા છે. આ નિર્ણયનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથાએ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો સુવિધાઓ આપ્યા વગર ટેક્સ વસૂલવામાં આવશે તો ઉગ્ર આંદોલન તથા ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.
ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં AAP મેદાને: ૨૪ જુલાઈએ નર્મદામાં નીકળશે વિશાળ રેલી
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જાહેરાત કરી છે કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આગામી ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નર્મદા જિલ્લામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
દિલ્હી જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: અર્વિંદ કેજરીવાલ અને ભગવંત માનનો કેન્દ્ર સરકાર પર તીખો પ્રહાર - Ahmedabad Express
દિલ્હીના જંતર-મંતર પર પેપર લીક અને પરીક્ષા પદ્ધતિમાં સુધારાની માંગ સાથે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ અર્વિંદ કેજરીવાલ અને ભગવંત માને મોદી સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
સોનમ વાંગચુકના સમર્થનમાં AAP નેતા ડો. કાયનાત અન્સારી આથાના મૌન ધરણાં
નેશનલ હીરો સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપવા અને દેશની શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ ૩ કલાકના મૌન ધરણાં યોજ્યા હતા. તેમણે પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુદ્દે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી.
પડધરી ખેડૂત આંદોલન: ટ્રાન્સમિશન લાઇન વિરુદ્ધ AAP કિસાન મોરચાની ગર્જના
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટ સામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ત્રણ દિવસીય પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોની આ લડાઈને મજબૂત બનાવવા માટે AAP કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, ખેડૂત નેતા પંકજ રાણસરિયા અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાએ ઉપવાસ સ્થળ પર પહોંચીને ખેડૂતોની માંગને ન્યાયી ગણાવી હતી.
NEET પેપર લીક વિવાદ: સોનમ વાંગચૂકના સમર્થનમાં AAP ની વિદ્યાર્થી પાંખ દિલ્હી કૂચ કરશે
NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનને વેગ આપવા માટે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ (ASAP) સક્રિય થઈ છે. ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ સોનમ વાંગચૂકની અટકાયતના વિરોધમાં ૨૦ જુલાઈના રોજ દિલ્હી ખાતે આયોજિત સંસદ કૂચમાં જોડાવાની જાહેરાત કરી છે.
રામોલ બ્લાસ્ટ પર AAPનો આક્રોશ: ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવાર માટે ₹50 લાખની સહાય માંગી
અમદાવાદના રામોલ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 8થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સમક્ષ પીડિત પરિવારોને આર્થિક સહાય અને ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
ચૈતર વસાવા સમર્થન અભિયાન: રાજપીપળા કાર્યક્રમની તારીખ બદલાઈ, હવે 24 જુલાઈએ યોજાશે મહાસભા
નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે તમામ સમાજના લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું છે. કાર્યક્રમની સફળતા માટે તમામ આગેવાનો અને નર્મદા જિલ્લાની જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ગરમાવો: ગોપાલ ઇટાલીયાની સરકાર સામે આક્રમક રજૂઆત
જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ સમિતિ અને અન્ય સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ હાજરી આપી હતી. તેમણે ખેડૂતોના પ્રશ્નો, વહીવટી ખામીઓ અને સિંહ દ્વારા થતા હુમલાઓ જેવા ગંભીર મુદ્દાઓ પર તંત્રને સવાલ કર્યા હતા.
E20 પેટ્રોલ વિવાદ: ભાજપને સદબુદ્ધિ આપવા માટે AAP કરશે હનુમાન ચાલીસાના પાઠ
કેન્દ્ર સરકાર દ્વારા વાહનોમાં E20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગના નિર્ણય સામે આમ આદમી પાર્ટીએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાહેરાત કરી છે કે, ૧૯ જુલાઈ ૨૦૨૬, રવિવારના રોજ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષ દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.