પોલિટિક્સ
1302 लेख
રામોલ બ્લાસ્ટ પર AAPનો આક્રોશ: ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવાર માટે ₹50 લાખની સહાય માંગી
અમદાવાદના રામોલ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 8થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સમક્ષ પીડિત પરિવારોને આર્થિક સહાય અને ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
ચૈતર વસાવા સમર્થન અભિયાન: રાજપીપળા કાર્યક્રમની તારીખ બદલાઈ, હવે 24 જુલાઈએ યોજાશે મહાસભા
નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે તમામ સમાજના લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું છે. કાર્યક્રમની સફળતા માટે તમામ આગેવાનો અને નર્મદા જિલ્લાની જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ગરમાવો: ગોપાલ ઇટાલીયાની સરકાર સામે આક્રમક રજૂઆત
જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ સમિતિ અને અન્ય સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ હાજરી આપી હતી. તેમણે ખેડૂતોના પ્રશ્નો, વહીવટી ખામીઓ અને સિંહ દ્વારા થતા હુમલાઓ જેવા ગંભીર મુદ્દાઓ પર તંત્રને સવાલ કર્યા હતા.
E20 પેટ્રોલ વિવાદ: ભાજપને સદબુદ્ધિ આપવા માટે AAP કરશે હનુમાન ચાલીસાના પાઠ
કેન્દ્ર સરકાર દ્વારા વાહનોમાં E20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગના નિર્ણય સામે આમ આદમી પાર્ટીએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાહેરાત કરી છે કે, ૧૯ જુલાઈ ૨૦૨૬, રવિવારના રોજ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષ દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
"સત્તાના અહંકારમાં ડૂબેલી સરકાર": સોનમ વાંગચુકના સમર્થનમાં AAP પ્રભારી ગોપાલ રાયનો હુંકાર
દેશના યુવાનોના ભવિષ્ય માટે છેલ્લા ૨૦ દિવસથી શાંતિપૂર્ણ અનશન કરી રહેલા સોનમ વાંગચુકને પોલીસે જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક ઉઠાવી લેતા રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આ કાર્યવાહીને સરકારની 'તાનાશાહી' ગણાવી છે.
ઈસુદાન ગઢવીનો હુંકાર: "અમે સત્તા માટે નહીં, ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ"
આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સામે આકરા પ્રહાર કર્યા છે. પંજાબમાં ધારાસભ્ય ચૈતર વસાવા અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી આદિવાસી સમાજમાં ભારે રોષ હોવાનું જણાવી ગઢવીએ દાવો કર્યો હતો કે ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઘેડમાં ખેડૂતોની કફોડી હાલત: ૭૦ ટકા મગફળીનો પાક નિષ્ફળ, AAP દ્વારા તાત્કાલિક સર્વેની માંગ
ઘેડ વિસ્તારમાં સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાણુંદર, ખેરડા અને આસપાસના ગામોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા, આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે કેશોદની ટીમ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોની વેદના વાચા આપી છે.
ખેડૂતોના સમર્થનમાં પ્રવીણ રામ: ટ્રાન્સમિશન લાઇન સામેની લડતને મળશે નવી ગતિ
ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે, પડધરીમાં ખેડૂતોની એક સમિતિ દ્વારા ૩ દિવસીય ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ લડતને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી (AAP) કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આવતીકાલે, ૧૮ જુલાઈના રોજ આ કાર્યક્રમમાં હાજરી આપીને ખેડૂતોને ખુલ્લું સમર્થન આપવાની જાહેરાત કરી છે.
ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં AAP આક્રમક: ૨૦ જુલાઈના રોજ નર્મદામાં યોજાશે વિશાળ રેલી
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોટા પાયે સમર્થન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. AAP ના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું છે કે ભાજપ સરકાર દ્વારા ધારાસભ્યનો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના વિરોધમાં આગામી ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ એક વિશાળ કાર્યક્રમ યોજીને રજૂઆત કરવામાં આવશે.
ગિફ્ટ સિટીમાં HCL ટેકની મોટી છલાંગ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગ્લોબલ સેન્ટરનું લોકાર્પણ
ગુજરાતના આઈટી સેક્ટર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટનામાં, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગિફ્ટ સિટીમાં HCL ટેકનું નવું સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સેન્ટર સ્થાનિક યુવા પ્રતિભાઓ માટે રોજગારીની નવી તકોનું દ્વાર ખોલશે.
કચ્છમાં પશુધનની કટોકટી: માલધારીઓની મદદ માટે AAP નેતા કિરણ દેસાઈની સરકારને આકરા શબ્દોમાં અપીલ
કચ્છ જિલ્લામાં વરસાદની લાંબી ખેંચ અને તેના કારણે પશુધનની કથળતી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ માલધારી સેલના અધ્યક્ષ કિરણ દેસાઈએ સરકાર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કચ્છના માલધારીઓને તાત્કાલિક રાહત આપવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી છે.
નેતાઓના ફોટા ઉપર હોવા અંગે AAP નેતા હિમાંશુ ઠક્કરના ભાજપ પર વાકપ્રહાર
રથયાત્રાના પવિત્ર અવસરે અમદાવાદમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે હોર્ડિંગ્સમાં ભગવાનના ફોટાની ઉપર નેતાઓના ફોટા લગાવવાની પદ્ધતિને 'બુદ્ધિનું પ્રદર્શન' ગણાવીને આકરા પ્રહારો કર્યા છે.
"હોટલમાં શાક ખાવાની જબરદસ્તી નથી, તો ઇંધણમાં કેમ?": E-20 પેટ્રોલ સામે ગોપાલ ઇટાલિયાની લડત
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પેટ્રોલ પંપો પર E-20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે અવાજ ઉઠાવતા તેને સરકારી દાદાગીરી ગણાવી છે. તેમણે માંગ કરી છે કે ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ અને E-20 પેટ્રોલ વચ્ચે પસંદગીનો વિકલ્પ મળવો જોઈએ.
E-20 પેટ્રોલ વિવાદ: વાહનોના એન્જિન બગડતા આમ આદમી પાર્ટી મેદાને, શરૂ કરી 'સહી ઝુંબેશ'
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ કેન્દ્ર સરકારના E-20 (૨૦% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલના ફરજિયાત ઉપયોગના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તેમણે આ નિર્ણયને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ અને વાહનોને નુકસાન પહોંચાડનાર ગણાવ્યો છે.
પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો
આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજને અતાર્કિક ગણાવ્યું છે અને સુરતમાં વારંવાર આવતી પૂરની સમસ્યા માટે ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે.
ચોટીલા સિંચાઈ યોજનાનો વિવાદ: "પાણીના નામે ખેડૂતોને મામુ બનાવવાનું બંધ કરો," રમેશ મેરનો સરકાર પર પ્રહાર
આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે નાની મોરસલ સિંચાઈ યોજનાના સ્થળની મુલાકાત લીધા બાદ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૫ વર્ષથી ચૂંટણી સમયે નર્મદાના પાણીના નામે ખેડૂતોને માત્ર છેતરવામાં આવે છે.
"ખેડૂતો પર દરોડા પાડવા એ સરકારની હિટલરશાહી": પ્રવીણ રામનો સરકાર પર પ્રહાર
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ટ્રાન્સમિશન લાઈન અંગેના પરિપત્રને ખેડૂતોના હિતની વિરુદ્ધ અને કંપનીઓના હિતમાં ગણાવીને તેનો સખત વિરોધ નોંધાવ્યો છે.
રથયાત્રા પૂર્વે AAP નેતાઓનું જગન્નાથ દર્શન: ગુજરાતની સુખ-સમૃદ્ધિ અને ચૈતર વસાવા માટે કરી પ્રાર્થના
અમદાવાદમાં આગામી રથયાત્રાના ઉપલક્ષમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટ, ઉપપ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓએ જગન્નાથ મંદિરે જઈ ભગવાનના દર્શન કર્યા હતા.
સુરત પૂર સહાય વિવાદ: AAP નેતા ધર્મેશ ભંડેરીનો આક્ષેપ, "સત્તાપક્ષના લોકો રાજકીય જશ ખાટી રહ્યા છે."
આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને પૂર સહાય વિતરણ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ અને રાજકીય દખલગીરી સામે વિરોધ નોંધાવ્યો છે.
ઝગડિયા GIDC બ્લાસ્ટ વિવાદ: AAP નેતાઓ પર ખોટી FIR ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર
આમ આદમી પાર્ટી (AAP) ના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સરકાર પર ગંભીર ષડયંત્રના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય પદાધિકારીઓ પીડિતોને ન્યાય અપાવવા ગયા હતા, પરંતુ તેમને બદલે કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાને બદલે AAP નેતાઓ પર ખોટી FIR નોંધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.