ગુજરાત
3634 लेख
પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટી (DLMRC) દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ.
નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના
ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર, તમામ ટીમો એલર્ટ મોડ પર
૮ મહાનગરપાલિકાઓ-૧ર નગરપાલિકાઓમાં ૬૭૪ કરોડ રૂપિયાના કુલ પ૯૪ કામો મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોને રસ્તા-પાણી-સ્ટ્રીટ લાઇટ-ડ્રેનેજની પ્રાથમિક જરૂરિયાતની સુવિધાના કામોનો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો તરીકે સમાવેશ કરાયો છે.
ઊંઝા ખાતે ૨ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે રૂ.૨.૧૪ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
૨૦ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ-૨)ને ગાંધીનગર ખાતે હુકમ પત્ર એનાયત કરાયા
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મદદનીશ પ્રાધ્યાપક ઉમેદવારોને હુકમ પત્ર એનાયત
G20નું U20 એંગેજમેન્ટ ગ્રુપ અમદાવાદમાં 2 દિવસની મેયરલ સમિટનું આયોજન કરશે
અમદાવાદ શહેર 7-8 જુલાઈ, 2023ના રોજ અર્બન 20 (U20) મેયરલ સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. આ મેયરલ સમિટમાં G20 દેશોના ઘણા શહેરના નેતાઓ અને મેયરોને એક સાથે લાવવાની અપેક્ષા છે. આ સમિટમાં વિવિધ શહેરોનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ, જ્ઞાન ભાગીદારો, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ભારત સરકાર અને રાજ્ય સરકારના મહાનુભાવો પણ હાજરી આપશે.
અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણમુક્ત કેસર કેરીનો આનંદ માણ્યો
પ્રાકૃતિક રીતે પકવેલી પ્રખ્યાત કેસર કેરી સીધી ગ્રાહકોને વેચતા ખેડૂતોની આવકમાં ૩૦ થી ૩૫ ટકા જેટલો વધારો
રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો,કલાકાર-કસબીઓને ૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ:૨૦૨૩, શ્રેષ્ઠ નિર્માતા,શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ ચલચિત્ર,તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એનાયત થશે
બાળકોનું રસીકરણ એ સશક્ત અને તંદુરસ્ત ભારતના પાયાનું મજબૂતીકરણ– ઋષિકેશ પટેલ
ઘોરણ ૫ અને ૧૦ મા અભ્યાસ કરતા રાજ્યના ૨૩ લાખ વિદ્યાર્થીઓનું દોઢ મહિનામાં રસીકરણ કરવામાં આવશે, RBSK ટીમ દ્વારા ૫૧,૬૬૭ શાળાઓમાં અંદાજીત ૨૩ લાખ વિદ્યાર્થીઓનું રસીકરણ કરાશે
CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
૩૦ બાળકો, ૧૫ મહિલાઓ અને ૭ વડીલો સહિત ૭૨ લોકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહિલા અને બાળ મિત્રની 'સ્પેશ્યલ -૫૬' ટીમને અભિનંદન પાઠવ્યા
ર૦રર બેચના નવ IAS પ્રોબેશનર્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે
આ ૯ યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓએ ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-સ્પીપામાં પાંચ સપ્તાહની તાલીમ પૂર્ણ કરી છે.
‘ઋષી’ અને ‘કૃષી’ની સંસ્કૃતિનો વિનાશ પહોંચાડતું જીવતા પશુઓની નિકાસ માટેનું પ્રસ્તાવિત બિલ ભાજપ સરકાર રદ કરેઃ ડૉ. મનિષ દોશી
દેશની ‘ઋષી’ અને ‘કૃષી’ની સંસ્કૃતિનો વિનાશ પહોંચાડતો જે જીવતા પશુઓની નિકાસ કરતો ક્રુર કાયદો કેન્દ્રની ભાજપ સરકાર લાવવા જઈ રહી છે ત્યારે દેશમાં વધી રહેલા “પીન્ક રીવોલ્યુશન” અને પશુ નિકાસ કાયદા બિલ પરત ખેંચવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દેશની સંસ્કૃતિ સાથે ચેડા કરી રહી છે.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા સ્વાગતમાં કુલ ૦૬ અરજદારોની અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ,અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીઓને તાકિદ કરી રચનાત્મક સૂચનો કરતા કલેક્ટર શ્વેતા તેવતિયા
લીંબડિયા આંગણવાડી કેન્દ્રનું શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર તાલુકાની લીંબડિયા આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરાયું છે. કોનકોર્ડ બાયોટેક સંસ્થા દ્વારા અંદાજિત ૧૨ લાખના ખર્ચે નવીનીકરણ પામેલી આંગણવાડી કેન્દ્રનું મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
“કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત ચયન પામેલ “ગ્રામ જાગૃત કિશોરીઓની” ભરૂચ ખાતે સરકારી કચેરીઓમાં માહિતીપ્રદ મુલાકાત
સમાજની કિશોરીઓમાં દેશના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપવાની અપાર ક્ષમતા હોય છે. પરંતુ તેઓના જીવનને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર માહિતીના અભાવ અને મર્યાદિત અવકાશને કારણે ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં કિશોરીઓ અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરે છે ત્યારે કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી તેઓની ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાવીને વિવિધ વિષયો પર સ્વ-જાગૃતતા મેળવે તથા રોજિંદા જીવનમાં થતી કોઈપણ અનૈચ્છિક સમસ્યાઓનો સ્વયંભૂ સામનો કરવા માટે તૈયાર થાય એ અત્યંત જરૂરી
સેટકોમના માધ્યમથી સમાજ 'સામાજિક વ્યવહાર પરિવર્તન' અંગે પરિસંવાદ યોજાયો
યુનાઈટેડ નેશન દ્વારા પ્રતિવર્ષ તા.૧૧ થી ૧૬ જૂન દરમિયાન 'બિહેવિયરલ સાયન્સ વીક'ની વૈશ્વિક કક્ષાએ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના નેજા હેઠળ SHSRCના ઉપક્રમે બાયસેગના વંદે ગુજરાત ચેનલ સેટકોમના માધ્યમથી આશા એક આરોગ્ય ચેતના શ્રેણીમાં સામાજિક વ્યવહાર પરિવર્તન વિષયક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ વડોદરામાં રોજગાર મેળો યોજાયો
મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લામાંથી આશરે ૧૨૫ જેટલા કુલ લાભાર્થીમાંથી વડોદરાના ૩૬ લાભાર્થીઓએ પણ લાભ મેળવ્યો, લાભાર્થીઓએ રૂ. ૭૫૦૦ થી ૧૧,૦૦૦ સુધીના પગારની નોકરી મેળવી
વડોદરા જિલ્લાના પી.એમ. કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ તા.૩૦ જૂન સુધી ફરજિયાત “E-KYC” કરાવી લેવું
પી.એમ. કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. હજુ પણ જિલ્લાના કુલ ૨૩,૭૨૧ લાભાર્થી ખેડૂતો દ્રારા ઈ-કેવાયસી કરાવેલ નથી. હાલ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ
જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણી તેની સાચવણી કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી નાનામાં નાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો, ગ્લોબલ વોર્મિગના સમયમાં પર્યાવરણની જાળવણી માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ : ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ મંડળ પર 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહપૂર્વક ઉજવણી
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 21.06.2023ના રોજ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ કોમ્યુનિટી હોલ સાબરમતી, પરેડ ગ્રાઉન્ડ સરસપુર, ડીઝલ શેડ સાબરમતી, રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ અને રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ગાંધીધામ ખાતે સવારે 06.45 થી 08.00 સુધી યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.