ગુજરાત
3634 लेख
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે અધિકારીશ્રીઓને તાકિદ કરી રચનાત્મક સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડતા જિલ્લા કલેક્ટરશ્રી તેવતિયા
જીટીયુ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગોનું આયોજન કરાશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામ મેળવે તે અર્થે જીટીયુ દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓને બોહળા પ્રમાણમાં લાભ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી સ્થિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી
વાવાઝોડાની અસરથી પડી ગયેલાં વૃક્ષોની સામે બમણાં વૃક્ષો વાવી, ગ્રીન કવર જાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનુરોધ, નુકસાનગ્રસ્ત વીજ થાંભલાઓનું પ્રાયોરિટી બેઈઝ પર રિસ્ટોરેશન કરાશે, પાણી પુરવઠા, રહેણાંક અને કોમ્યુનિકેશન ક્ષેત્ર માટેના વીજ પુરવઠાને પૂર્વવત કરવા અગ્રતા અપાશે
કેન્દ્ર સરકાર દ્વારા જીટીયુ જીએસપીની ઈન્સ્ટિટ્યૂશનલ ઈથિક્સ કમિટીને માન્યતા મળી
ગુજરાત એ ફાર્મા ક્ષેત્રનું હબ છે. ઈથિક્સ કમિટીને માન્યતાથી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ અને રીસર્ચ માટે વિદ્યાર્થીઓ અને રીસચર્સને બહોળા પ્રમાણમાં લાભ થશે. પ્રો. ડૉ. પંકજરાય પટેલ
અમદાવાદ રેલ મંડળ પર રાજભાષા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન
આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ શ્રી તરૂણ જૈન દ્વારા અમદાવાદ મંડળ ની ત્રિમાસિક વેબ મેગેઝીન રાજભાષા આશ્રમ સૌરભના 43મા અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. દરેક ત્રિમાસિક આયોજિત કવિ/લેખકો ની જયંતિ ઉજવણી ના આયોજનની શ્રૃંખલામાં સાહિત્યકાર સુમિત્રાનંદન પંતની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર વડોદરાથી ફેઝ ૨ અને અન્ય ૨૫ ઓનલાઇન અભ્યાસક્રમોનું લોકાર્પણ કર્યું
નવીન ડિજિટલ તાલીમ દ્વારા ૪.૫ લાખથી વધુ વિભાગીય કર્મચારીઓને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ્ય, ડાક કર્મયોગી પોર્ટલ હેઠળ વિવિધ ટપાલ ભાગના તાલીમ કેન્દ્રો દ્વારા ઓનલાઇન કોર્સ તૈયાર કરવામાં આવ્યા
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રીએ બિપોરજોય વાવાઝોડા સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના લોકોને સુરક્ષા-સલામતિ-સાવચેતીના પગલાંમાં સહયોગ આપવા મુખ્યમંત્રીશ્રીનો ઓડિયો-વિડીયો વોટ્સઅપ મેસેજ કરવામાં આવ્યો
વાવાઝોડા પહેલા ભૂકંપથી હચમચી ગયેલી કચ્છની ધરતી, ગુજરાતમાં બિપરજોયને લઈને એલર્ટ
બુધવારે સાંજે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.5 હતી. આ પહેલા સાંજે લગભગ 4.15 વાગ્યે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 3.4 હતી.
લઘુત્તમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદા વધુ એક માસ માટે લંબાવાઈ
‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સચિવો પાસેથી વિસ્તૃત વિવરણ મેળવતા ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી, આઠ જિલ્લાઓમાં કુલ ૩૭,૭૯૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર-૮૬૯ મીઠા અગરના ૬રર૯ અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા
સહિયારા પ્રયાસોથી ગુજરાતને પ્રાકૃતિક ખેતી, ગોપાલન અને ગાયની નસલ સુધારણામાં 'રોલ મોડલ' બનાવીએ : રાજ્યપાલ
ગૌશાળાઓ-પાંજરાપોળના સંચાલકોને પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત-ઘન જીવામૃતનું ઉત્પાદન કરવા, દેશી ગાયની નસલ સુધારવા મિશનની માફક કામ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
અમિત શાહે ગુજરાત પર તોળાઇ રહેલા બિપરજોય વાવાઝોડાના સંભવિત સંકટ સામે આપદા પ્રબંધનની સમીક્ષા વિડીયો કોન્ફરન્સથી કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી અને કેન્દ્રીય મંત્રીશ્રીઓ-રાજ્યના મંત્રીશ્રીઓ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા, સોમનાથ અને દ્વારિકા તીર્થક્ષેત્ર તેમજ મંદિરની સલામતી વ્યવસ્થા-યાત્રાળુઓની સુરક્ષા અંગે તંત્રવાહકોને માર્ગદર્શન આપ્યુ
ઉદ્યોગ મંત્રી દ્વારા ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’નો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૩૨- ૫૮૩૮૫ જાહેર કરાયો
રાજ્યના ઉદ્યોગ ગૃહોને સહાય રૂપ થવા ગાંધીનગર ખાતે ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ ખુલ્લો મૂકાયો
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ગુજરાતમાં ચક્રવાત 'બિપરજોય' અંગે તૈયારીના પગલાંની સમીક્ષા કરી
વાવઝોડા બાદ સ્થિતિને પૂર્વવત કરવા તથા આરોગ્ય તેમજ ભોજન-પાણીની વ્યવસ્થા મુદે આયોજન કરવા કેન્દ્રીય મંત્રીશ્રીએ માર્ગદર્શન સાથે સૂચના આપી, વાવાઝોડા બાદ રાહત-બચાવ કાર્યમાં જરૂરીયાત જણાશે તો ડીજીટલ ટેકનોલોજીથી સજ્જ ભીષ્મ કયુબ કાર્ગો સુવિધાનો દેશમાં પ્રથમવાર કચ્છમાં ઉપયોગ કરાશે
GCS રિસર્ચ સેન્ટરમાં એનેસ્થેસિયા વિભાગે ગુજરાત પોલીસ સ્ટાફ માટે CPR - COLS મેગા ઈવેન્ટનું આયોજન
ગુજરાત રાજ્ય સરકાર, ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ, ભાજપના ડૉક્ટર સેલના સંયુક્ત ઊપ્રક્રમે યોજાયેલા સ્વાસ્થય તથા સલામતી ના ભાગરુપે CPR - COLS તથા અંગદાન ની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાજ્યભરમાં 51 સ્થળે, તા. 11 જુન ના રોજ સવારે 10:00 થી 5:00 કલાક દરમિયાન યોજાયેલ હતો.
વાવાઝોડા સામેની કચ્છ જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ
બિપરજોય વાવાઝોડા પૂર્વે અને પછીની તૈયારીઓ અંગે વિગવાર જાણકારી મેળવીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડતા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ
ચક્રવાત બીપરજોય સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે, પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ કરશે, તોફાનની ઝડપ 150 KM સુધી રહેશે
હવામાન વિભાગ ચક્રવાત બીપરજોયને લઈને સતત અપડેટ આપી રહ્યું છે. IMDના નવીનતમ અપડેટ્સ અનુસાર, ચક્રવાત 15મીએ બપોરે કચ્છના માંડવીથી કરાચી વચ્ચેની ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકશે. ચાલો જાણીએ કે હવામાન વિભાગ દ્વારા અન્ય શું માહિતી આપવામાં આવી.
જીટીયુ અને ઈન્ફોસીસ વચ્ચે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12000 કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા
ગ્લોબલાઈઝેશન કારણે આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટે સ્કિલ આધારીત અનેક તકો ઉપસ્થિત થયેલ છે. આ એમઓયુ થકી વિદ્યાર્થીઓની સ્કિલમાં વધારો થશે. જે આત્મનિર્ભરભારત અભિયાનને વેગ પૂરો પાડશે.
આંગણવાડીમાં ૨૯ અને બાલવાટિકામાં ૩૨ બાળકો મળી કુલ ૬૧ બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો
સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ના પ્રારંભે આજે રાજ્યના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમાર દેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
રાજ્ય સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમના રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં IIMના પાંચ યુવાઓ સહયોગ કરશે
ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમને રિબ્રાન્‍ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે.