ગુજરાત
3634 लेख
પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ !
સાધી ગામ – સ્વચ્છતા, સુવિધા અને આધુનિકતા સાથે તાલબદ્ધ રીતે વિકસતું ગામ,‘આત્મા ગામડાનો, સુવિધા શહેરની’ વિભાવનાને ચરિતાર્થ કરતું વડોદરાનું સાધી ગામ, અનેક પુરસ્કારોથી સન્માનિત સાધી ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગીથી ગ્રામજનો ઉત્સાહિત
ઉજવણી...ઉજ્જવળ ભવિષ્યની – શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
નવું સત્ર શરૂ થતાં જ બાળકોને મળ્યા શ્યાહીની ‘સુગંધ’વાળા નવા પાઠ્યપુસ્તકો, વડોદરા જિલ્લામાં ડેસર તાલુકામાં ૬૯૭૯ સેટ, ડભોઇમાં ૧૩૨૮૫ સેટ, સાવલીમાં ૧૫૬૭૬ સેટ, શિનોરમાં ૩૯૫૬ સેટ, કરજણ તાલુકામાં ૧૦૨૮૬ સેટનું વિતરણ
ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામા વરસાદ થવાની કરાયેલી આગાહી
જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન ૨૦૨૩ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના
વ્હાલી દિકરી યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫,૦૦૧ લાભાર્થીઓને મંજુરી હુકમ અપાયા
આણંદના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દ્વારા અમલી વ્હાલી દિકરી યોજના તા.૦૨/૦૮/૨૦૧૯થી કાર્યરત છે. આ યોજના અંતર્ગત લાભાર્થી દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૪,૦૦૦/-, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૩,૦૦૦/- અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ.૧,૦૦,૦૦૦/-ની મળી ત્રણ તબક્કામાં કુલ રૂ.૧,૧૦,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ
જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી યોજાઈ રીવ્યૂ બેઠક, આપત્તિ દરમિયાન જિલ્લામાં મુશ્કેલી સર્જાય તો જિલ્લા કંટ્રોલરૂમ (૦૨૮૭૬ ૨૮૫૦૬૩/૬૪) પર સંપર્ક કરવા વહીવટીતંત્રનો અનુરોધ
રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી
જરાતના સવા કરોડ નાગરિકો 'યોગમય ગુજરાત' અભિયાનમાં સહભાગી થશે: રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે જેનુ પણ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે
વડોદરા જિલ્લાના ૭૫ અમૃત સરોવર ઉપર વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે
સમગ્ર માનવજાતને નિરામય જીવન માટે યોગ રૂપે ભારત તરફથી મળેલી દેનને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર તા. ૨૧ જુનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી શરૂ થયેલી આ ઉજવણીની આ વર્ષે નવમી શ્રેણી છે. નવમા વિશ્વ યોગની વડોદરા શહેર અને જિલ્લામાં સુચારૂ રીતે ઉજવણી થાય એ માટે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની સેવાઓ ઓનલાઇન કરાતા વિજિલન્સ કમિશનરની કચેરીમાં આવતી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું
વડોદરા ખાતે કલેક્ટર કચેરી સ્થિત ધારાસભા હોલમાં રાજ્યના વિજિલન્સ કમિશનર સુશ્રી સંગીતા સિંઘે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને સરકારી સેવામાં અપ્રમાણિક્તાને નિવારવા માટે જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સેવાઓ મેળવવા માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગને પરિણામે વિજિલન્સ કમિશનરની કચેરીમાં આવતી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું છે.
રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ સુવિધાનું લોકાર્પણ
ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરાયું
સ્વચ્છતા સહાય પેટે શાળાદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણરૂ. એક હજારથી પાંચ હજાર સુધીની સહાય ચૂકવાય છે, વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે ૧૦૦ ટકા ભૌતિક સિદ્ધિ સાથે રૂ. ૬૮૯૦.૯૯ લાખની સહાય ચૂકવવામાં આવી, ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો, જ્યારે રિટેન્શન રેટ ૬૬.૮૩ ટકાથી વધીને ૯૩.૧૨ ટકા સુધી પહોંચ્યો.
અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ
તાનારીરી ગાર્ડન ખાતે આયોજિત અનંત અનાદી વડનગરનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ,ભારતના મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે, ડોક્યુમેન્ટરીના મુખ્ય સુત્રધાર મનોજ મુંતશિર શુક્લાની વિશેષ ઉપસ્થિતિ
જીસીએસ હોસ્પિટલમાં નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણી
જીસીએસ હોસ્પિટલમાં દર વર્ષે ૧૦,૦૦૦થી વધુ લોકો કેન્સરની નિઃશુલ્ક ટ્રીટમેન્ટ લે છે. જેમાંથી જે દર્દીઓની કેન્સરની ટ્રીટમેન્ટથી તંદુરસ્ત થઈને ખુશીથી ઘરે પરત ગયા છે એમના માટે નેશનલ કેન્સર સર્વાઇવર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં પાંચ વર્ષથી ઉપરની પડતર ખાતાકીય તપાસોને એક મહિનામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૂચના
રાજ્યમાં તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધીમાં ૧૨૫૦ કેસોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પાંચ વર્ષથી ઉપરના આ તમામ કેસોની ખાતાકીય તપાસ એક મહિનામાં પૂર્ણ કરવા સંબંધિત સચિવશ્રીઓને સૂચના આપવામાં આવી છે.
ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ
ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ, પોરબંદરથી અંદાજે ૧,૦૬૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે બિપરજોય વાવાઝોડું કેન્દ્રિત : હવામાન નિયામક મનોરમા મોહંતી
માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રાજ્યના 35000થી વધુ પુલોની સર્વેક્ષણ કામગીરી હાથ ધરાઈ
ચકાસણીમાં જોખમી જણાયેલ પૈકી ૧૨૧ની મરામત કામગીરી પૂર્ણ, જ્યારે ૧૧૬ પુલોનુ મજ્બુતીકરણ કરાશે
રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયો: ઋષિકેશભાઈ પટેલ
વિવિધ સરકારી વીજ કંપનીની ૧૧૬ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ
વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા ૭૫ યોગ શિબિર અને સ્પર્ધાઓનું આયોજન
ભારત સરકારના આયુષ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના નિયામક, આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના નિર્દેશનમાં અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વડોદરાના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષની થીમ “YOGA FOR HUMANITY” ને ધ્યાને લઈ પ્રોટોકોલ અને સૂચનાઓને અનુસરી યોગ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ
વડોદરા જિલ્લામાં ૧૯,૨૭૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી
૧૦ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર્સમાં ખેડૂતોને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા આવી રહી છે,જિલ્લામાં ૩૫૦૬૧ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમબદ્ધ કરાયા
રાજ્યના ૮ મહાનગરોએ તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાન-ર૦ર૩ ની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા અને 24x7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે,મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસા પૂર્વેના આગોતરા આયોજનનો જાયજો મેળવ્યો
“વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય”
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને મળશે લાભ,ખેતતલાવડીનું પાણી ખેતીમાં જ વાપરતા હશે ત્યાં વીજ જોડાણ અપાશે