ગુજરાત
3634 लेख
નર્મદા જિલ્લાના આંગણવાડી કેન્દ્રો પર બાળકોને સાથે રાખી કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી પર્વે આંગણવાડીના કેન્દ્રો પર વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના પગલે નર્મદા જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડીઓમાં આ કાર્ય કરવામાં આવ્યું હતું.
વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ
ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી ગ્રીન સ્કૂલમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળે છે હરિત શિક્ષણ, જાસૂદ-કરેણ જેવા ફૂલ, અરડૂસી, એલોવેરા જેવી વિવિધ ઔષધિ અને અશોકવૃક્ષ, બૉટલપામ જેવા વૃક્ષોથી હરીભરી બની સરકારી શાળા
પાણીની અછત ધરાવતા વિસ્તારોની ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે અરજીઓ મંગાવાઈ
ખેડૂતોએ મહત્તમ સાઇઝ ૪૦ x ૪૦ મીટર અને મહત્તમ ૬ મીટર ઉંડાઇની ખેત તલાવડી સ્વખર્ચે કરવાની રહેશે,રસ ધરાવતા ખેડૂતોએ g-talavadi.gujarat.gov.in પર તા.૦૫/૦૬/૨૦૨૩થી તા.૨૬/૦૬/૨૦૨૩ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે, અરજીથી માંડીને ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઇન સ્વરૂપે જ સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી કરાશે
વડોદરાના ૭૪ વર્ષીય સાઇકલિંગના શોખીને જુદા જુદા પ્રકારની ૮ સાયકલ બનાવી
દર રવિવારે સાયકલિંગ ક્લબ ખાતે સવારે ૩૦ થી ૪૦ સાયકલપ્રેમીઓ એકઠા થઇ આ અનોખી સાયકલસવારીનો આનંદ માણે છે, પોતાની સાયકલ જરૂરિયાત મુજબ નાગરિકોને વિનામૂલ્યે આપે છે
દરરોજ સાયકલ ચલાવતા સુનિલ પટેલે સાયકલિંગમાં ૯ સહિત ૧૩ એવોર્ડથી વડોદરાનું ગૌરવ વધાર્યું
પર્યાવરણ સુરક્ષા અને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશો એમનો મુખ્ય આશય,સુનિલ પટેલને ગ્લોબલ શિક્ષક પુરસ્કાર પણ એનાયત થયો છે
સૌર ઊર્જા રૂફટોપ થકી વિજળી ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમે અને ગુજરાતમાં વડોદરા અગ્રેસર
સમગ્ર બ્રહ્માંડની ઊર્જાના મુખ્ય સ્ત્રોત મનાતા સૂરજ દાદા થકી મળતા કિરણોને પુનઃ પ્રાપ્ય ઊર્જામાં પરિવર્તિત કરી પર્યાવરણની સુરક્ષા કરવામાં સમગ્ર ગુજરાતનું નેતૃત્વ વડોદરા કરી રહ્યું છે.
નર્મદા આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય માટે સાયકલના ઉપયોગને જીવનશૈલીનો ભાગ બનાવવાનો આપ્યો જાગૃતિ સંદેશ
સવાર-સાંજની રસ્તા પર સાયકલ સવારી સ્વાસ્થ્યની સાયકલ સવારી સાબિત થાય છે. સાયકલિંગના કારણે પોતાના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણની તો જાળવણી થાય જ છે. સાથે પેટ્રોલ-ડીઝલની પણ બચત થાય છે. સ્વાસ્થ્યની જાળવણીમાં માનવી પોતાની ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરીને અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર હ્રદયની લાગણી વ્યક્ત કરી
ઓડિશાના દુ:ખદ ટ્રેન દુર્ઘટના અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા વ્યક્ત કરાયેલ હૃદયપૂર્વકની શોક અંગેના નવીનતમ અપડેટ્સ વાંચો. ઘટના, અન્ય મુખ્યમંત્રીઓની પ્રતિક્રિયા અને હાલના મૃત્યુઆંક વિશે વિગતવાર માહિતી મેળવો.
જીટીયુ દ્વારા નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાઈ
વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત રહીને વિવિધ લલિતકલાઓનું જ્ઞાન મેળવવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે
દિલ્હી હાઈકોર્ટે ગુજરાત એફએસએલને 2020ના રમખાણોના કેસમાં ડીવીઆર અને વોઈસ સેમ્પલ પર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો
દિલ્હી હાઈકોર્ટે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (FSLs) ને 2020ના દિલ્હી રમખાણો સંબંધિત કેસમાં ડિજિટલ વિડિયો રેકોર્ડર (DVR) અને વૉઇસ સેમ્પલ પર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. આ લેખ કોર્ટના નિર્દેશ, અહેવાલો પ્રાપ્ત કરવામાં વિલંબ અને આગામી સુનાવણીની ચર્ચા કરે છે.
1008 કિલો કેરીના મનોરથ સાથે પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી
પાનીહાટી એ ગંગા નદીના કિનારે પ.બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ
સમગ્ર વિશ્વમાં તા.૫મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. સમયની સાથે વધતાં જતાં પ્રદૂષણથી ઉભી થતી આડઅસરો તથા સમસ્યાઓને નાથવાનો એકમાત્ર ઉપાય છે પર્યાવરણનું સંરક્ષણ.
ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં સૌથી વધુ EV રજીસ્ટર થયા, છેલ્લા 2 વર્ષમાં રજીસ્ટર્ડ EVની સંખ્યા 1,18,086 સુધી પહોંચી
કામધેનુ યુનીવર્સીટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે
GNLU-ગાંધીનગર ખાતે ૫ જૂનના રોજ યોજાનાર પદવીદાન સમારોહમાં ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
ગાંધીનગર ખાતે આત્મા સમીતિ દ્રારા રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને બે દિવસીય તાલીમ અપાઇ
ગાંધીનગર ખાતે આત્મા સમેતિ દ્રારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને તા. ૧ અને ૨ જૂન-૨૦૨૩ દરમિયાન બે દિવસીય તાલીમ આપવામાં આવી હતી એમ આત્મા સમેતિ નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે MoU સંપન્ન થયા
ગુજરાત રાજભવનમાં તેલંગણા રાજ્યના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી
ઉજવણીમાં તેલંગણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ પોતપોતાના રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી. તેલંગણાના મૂળવતની, પણ ગુજરાતમાં સેવારત અને સ્થાયી થયેલા નાગરિકો-અધિકારીઓએ આ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે અગ્રેસર રહેશે, અમેરિકા જેવા રસ્તા બનાવીશું : શ્રી ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા રૂ. ૧૦૦૦ કરોડ મંજૂર કર્યા
KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો
કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, યુ.પી.એલ. યુનીવર્સીટી, અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર યોજાયો હતો
ગુજરાત સરકાર 2013ના આસારામ રેપ કેસમાં છ લોકોની મુક્તિને પડકારશે
ગુજરાત સરકાર 2013ના બળાત્કારના કેસમાં આસારામની પત્ની, પુત્રી અને ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવા માટે અપીલ કરવા તૈયાર છે. કોર્ટના ચુકાદા, સજા અને આરોપીઓની વિગતો સહિત કેસના નવીનતમ અપડેટ્સ મેળવો.