ગુજરાત
3643 लेख
RTE એક્ટ-૨૦૦૯ પ્રવેશ પ્રક્રિયાનો રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધુ ૪,૯૬૬ બાળકોને પ્રવેશ
બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૦૫ જૂન, ૨૦૨૩ સુધીમાં સંબંધિત શાળામાં યોગ્ય આધાર-પુરાવા રજૂ કરી પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે
વડોદરાના યુવકે યુઝરની તમામ વિગતો પાછળ ટેપ કરીને મોબાઈલમાં સેવ કરી શકાય તેવું એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવ્યું
૨૮ વર્ષના યુવા ઉદ્યોગસાહસિક અર્જુન શર્માએ એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવવા માટે WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જેમાં વપરાશકર્તાની તમામ વિગતો હોય છે અને એ એક જ વિઝિટિંગ કાર્ડ જીવનભર ચાલે છે. કાર્ડની પાછળ ટેપ કરીને તમામ વિગતો મોબાઈલમાં સેવ કરી, ડેટાને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા શેર કરી શકાય છે. જે વિઝિટિંગ કાર્ડ્સ ભૂલી જવા અથવા ગુમાવવાથી મુક્તિ આપે છે અને કાગળની બચત કરતુ હોવાથી પર્યાવરણ મિત્ર પણ છે
નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત
કમિટી દ્વારા નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધીના હસ્તે નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર જિલ્લાના દિવ્યાંગ શ્રી દયારામ શાંતિલાલ વસાવાના માતા તથા ભાઈને એનાયત કરીને લીગલ ગાર્ડીયન તરીકેની ફરજ બજાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
અનુસૂચિત જાતિના ૮૦૩ લાભાર્થીઓની રૂ.૨૫.૧૩ કરોડના યોજનાકીય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી
સામાજીક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા, તથા લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ લાવવા પ્રજા પ્રતિનિધિઓએ અનુરોધ કર્યો
જિલ્લા કક્ષાના વિવિધ રમતો માટેના "સમર કેમ્પ 2023" નુ સમાપન
બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોરએથ્લેટિક્સ એસોસિએશનને વડોદરાની ઓળખાણ સમાન સ્વદેશી અને પરંપરાગત રમતો જેમ કે ખો-ખો, કબડ્ડી અને લંગડીની સાથે હોકીને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા પહેલ કરી છે
સતગુરુ બાબા હરદેવ સિંહજી મહારાજની સ્મૃતિમાં ૧૩મેં ના રોજ વિશેષ સત્સંગનું આયોજન
સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની સ્મૃતિમાં તા.૧૩ મેના રોજ સમર્પણ દિવસ સાંજે 5 થી 9 દરમ્યાન સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખામાં વર્તમાન સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે
વડોદરામાં સયાજી હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરાઈ
VRDL અને કૌશલ્ય પ્રયોગશાળાથી તબીબી સમુદાયને વધારાની સગવડતા મળશે, સ્કીલ લેબ વિદ્યાર્થીઓ માટે મેનિકીન્સ અને મશીનો જેવી નવી ટેકનોલોજીની મદદથી નવા કૌશલ્યો શીખવા માટે ઉપયોગી નીવડશે.
PM ગાંધીનગર ખાતે આયોજિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં હાજરી આપશે
11 થી 13 મે દરમિયાન ગાંધીનગરમાં 29મું શૈક્ષણિક સંમેલન યોજાશે, ગુજરાત સહિત દેશભરમાંથી 91 હજારથી વધુ શિક્ષકો શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેશે
વડાપ્રધાન મોદી ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર ત્રિવસીય પ્લાન્ટ હેલ્થ મેનેજમેન્ટ વિષયક એન્યુઅલ કોન્ફરન્સ અને નેશનલ સિમ્પોઝીયમનો શુભારંભ
અ વે ફોરવર્ડ ફોર ફૂડ સેફટી, સિક્યુરીટી એન્ડ સસ્ટેઇનીબિલિટી” વિષયક આ ત્રિ દિવસીય સેમિનારમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ૩૫૦ જેટલા ડેલીગેટસ ભાગ લઈ રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 12 મેના રોજ ગાંધીનગર ખાતે ઉજવાશે અમૃત આવાસોત્સવ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશ, શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ
ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોએ બાકી ઈ-મેમા તા.૧૩ મે - ૨૦૨૩ સુધી ભરી દેવા તાકીદ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરા દ્વારા આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું તા. ૧૩.૦૫.૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા ૭૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ હવે Jio સાથે, Vodafone-Idea સેવા બંધ
સરકારી કર્મચારીઓને 37.50 રૂપિયામાં Reliance Jio મંથલી રેન્ટલ પ્લાન મળશે. જો તમે આ પ્લાન પર નજર નાખો તો આના દ્વારા કોઈપણ મોબાઈલ ઓપરેટર, લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ મળશે. આ સાથે યુઝરને દર મહિને 3,000 SMS ફ્રી મળશે
અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનના સમય અને રૂટમાં ફેરફાર
રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના સંચાલનના સમય અને રૂટમાં ફેરફાર અને દાનાપુર, પાટલીપુત્ર, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મગાવવામાં આવી
ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન- વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે.
ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર-સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ સાથે મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં મેન્ગ્રુવના વાવેતર, કાર્બન ક્રેડીટ, લોક ભાગીદારીથી ગ્રેટ ગ્રીનવોલ ઓફ ગુજરાત માટેના ત્રણ કંપનીઓ સાથે ટ્રાઇ પાર્ટી MOU કરાયા છે
વિજાપુરમાં મરચા જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયા બાદ ભેળસેળીયા તત્વો સામે સરકારની લાલ આંખ
મહેસાણા જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા મરચાં પાવડરમાં થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે અને રૂ. ૧૦.૪૫ લાખની કિંમતનો આશરે ૩૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરાયો છે
રાજીવગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિડિયા ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઇ
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત લોકોના પ્રશ્નોને વાચા આપવાનો વર્ષભર તાલુકે તાલુકે ચાલવાનો સફળ કાર્યક્રમ "જનમંચ" ના પ્રચાર પ્રસાર બાબતે અગત્યની ચર્ચા અને પ્રવક્તાશ્રીઓ અને મીડિયા પેનલિસ્ટોના સૂચનો લઈને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી