ગુજરાત
3634 लेख
વડાપ્રધાન મોદી ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર ત્રિવસીય પ્લાન્ટ હેલ્થ મેનેજમેન્ટ વિષયક એન્યુઅલ કોન્ફરન્સ અને નેશનલ સિમ્પોઝીયમનો શુભારંભ
અ વે ફોરવર્ડ ફોર ફૂડ સેફટી, સિક્યુરીટી એન્ડ સસ્ટેઇનીબિલિટી” વિષયક આ ત્રિ દિવસીય સેમિનારમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ૩૫૦ જેટલા ડેલીગેટસ ભાગ લઈ રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 12 મેના રોજ ગાંધીનગર ખાતે ઉજવાશે અમૃત આવાસોત્સવ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશ, શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ
ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોએ બાકી ઈ-મેમા તા.૧૩ મે - ૨૦૨૩ સુધી ભરી દેવા તાકીદ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરા દ્વારા આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું તા. ૧૩.૦૫.૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા ૭૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ હવે Jio સાથે, Vodafone-Idea સેવા બંધ
સરકારી કર્મચારીઓને 37.50 રૂપિયામાં Reliance Jio મંથલી રેન્ટલ પ્લાન મળશે. જો તમે આ પ્લાન પર નજર નાખો તો આના દ્વારા કોઈપણ મોબાઈલ ઓપરેટર, લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ મળશે. આ સાથે યુઝરને દર મહિને 3,000 SMS ફ્રી મળશે
અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનના સમય અને રૂટમાં ફેરફાર
રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના સંચાલનના સમય અને રૂટમાં ફેરફાર અને દાનાપુર, પાટલીપુત્ર, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મગાવવામાં આવી
ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન- વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે.
ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર-સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ સાથે મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં મેન્ગ્રુવના વાવેતર, કાર્બન ક્રેડીટ, લોક ભાગીદારીથી ગ્રેટ ગ્રીનવોલ ઓફ ગુજરાત માટેના ત્રણ કંપનીઓ સાથે ટ્રાઇ પાર્ટી MOU કરાયા છે
વિજાપુરમાં મરચા જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયા બાદ ભેળસેળીયા તત્વો સામે સરકારની લાલ આંખ
મહેસાણા જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા મરચાં પાવડરમાં થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે અને રૂ. ૧૦.૪૫ લાખની કિંમતનો આશરે ૩૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરાયો છે
રાજીવગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિડિયા ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઇ
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત લોકોના પ્રશ્નોને વાચા આપવાનો વર્ષભર તાલુકે તાલુકે ચાલવાનો સફળ કાર્યક્રમ "જનમંચ" ના પ્રચાર પ્રસાર બાબતે અગત્યની ચર્ચા અને પ્રવક્તાશ્રીઓ અને મીડિયા પેનલિસ્ટોના સૂચનો લઈને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી
પ્રધાનમંત્રી આવાસ યોજનાએ નાંદોદ તાલુકાના વસાવા દંપતિના જીવનમાં ખુશાલીની જ્યોત પ્રગટાવી
પાકુ મકાન બનતા તમામ ચિંતાઓના અંત બાદ હાંશકારો અનુભવતા શ્રીમતી કલ્પનાબેન વસાવાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું 'પોતાના સપનાનું ઘર'
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો જ્યારે (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ, ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ
ઉધના સ્ટેશનનું અપગ્રેડશન વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવશે
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે, જેમાંથી 87 રેલવે સ્ટેશન ગુજરાતમાં છે
GCS Hospitalએ અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી
જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે
પશ્ચિમ રેલવે અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર માટે વિશેષ ટ્રેનો દોડાવશે
પશ્ચિમ રેલવેએ ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે
સદ્ ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં પૂર્ણિમાના પવિત્ર દિવસે દર્શન શિબિરનું આયોજન
7 મે, 2023 રવિવારના રોજ સાંજે 7 કલાકે ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી અનોડિયા, માણસા ખાતે પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં નિ:શુલ્ક મહાધ્યાન દર્શન શિબિરનું આયોજન
તલાટી-કમ મંત્રીની પરીક્ષા માટે ઉમેદવારોને અસરકારક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
તા.૬ અને ૭ દરમિયાન ખાસ કિસ્સામાં સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા મંજુરી મળશે: એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકાશે, પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવામાં આવશે
નર્મદા જિલ્લાના તાલુકા/ગ્રામ કક્ષાનો ૨૪ મી મેએ અને જિલ્લાકક્ષાનો ૨૫ મી મેએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
સ્વાગત ફરિયાદ નિવારણમાં ભાગ લેવા જિલ્લાના અરજદારોને તેમની ફરિયાદો તારીખ ૧૨/૦૫/૨૦૨૩ સુધીમાં સંબંધિત અધિકારીશ્રીઓને મોકલી આપવા કરાયેલી અપીલ
નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”
જનસામાન્ય માનવી માટે અમૃત સમાન આ ફળના વેચાણના કારણે આદિવાસી લોકો માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થાય છે. દૈનિક ધોરણે આદિવાસી લોકો પોતાની રીતે રસ્તાની સાઈડમાં બેસીને વેચાણ કરી દાતરડાથી છોલીને અંદરથી નિકળતા ફળને કાઢીને સારી આવક મેળવી રહ્યાં છે