ગુજરાત
3634 लेख
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં શ્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે.
જીટીયુ જીપેરીને ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે AICTEની માન્યતા મળી
AICTEના તમામ પ્રકારના ધરાધોરણોમાં ખરી ઉતરીને જીટીયુ જીપેરીને ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. જે ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લાભદાયી થશે
યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો
એક સંકલિત 360-ડિગ્રી અભિયાન- લાઇફ કો બાનાઓ રિચ- સાથે તેની નવી તાજી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કરે છે- જે ગ્રાહકોને ભરપૂર રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક
ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે: ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રીશ્રી
BIS અમદાવાદ દ્વારા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન
ભારતીય માનક બ્યુરો જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
રાજભવનમાં ગોવાના ૩૬ મા સ્થાપના દિવસની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવણી
ભારતમાં ભાષા, સંસ્કૃતિ અને રિતી-રિવાજો ભિન્ન છે છતાં આપણે એક છીએ. એ આપણા મજબૂત લોકતંત્ર તથા ભારતીયોના હૃદયની વિશાળતા અને ઉદારતાને આભારી છે. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક રજવાડાઓને વિલીન કરીને એક ભારત બનાવ્યું.
પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ
વિવિધ ક્ષેત્રોમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપનાર નાગરીકો તા. ૩૦ જુન ૨૦૨૩ સુધી www.padmaawards.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧ મે, ૨૦૨૩ના રોજ જાહેર થશે
બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા વ્હોટ્સએપ નંબર 6357300971 પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી પરિણામ મેળવી શકાશે
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા અંગે સમીક્ષા બેઠક યોજાઈ
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધીના અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી
પાનીહાટી એ ગંગા નદીના કિનારે પ.બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું.
આણંદ જિલ્લામાં યોજાયો પલ્સ પોલિયો કાર્યક્રમ
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોરસદ ખાતે યોજાયેલ સઘન પલ્સ પોલિયો કાર્યક્રમનું બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભીના હસ્તે ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
RTE એક્ટ-૨૦૦૯ પ્રવેશ પ્રક્રિયાનો રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધુ ૪,૯૬૬ બાળકોને પ્રવેશ
બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૦૫ જૂન, ૨૦૨૩ સુધીમાં સંબંધિત શાળામાં યોગ્ય આધાર-પુરાવા રજૂ કરી પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે
વડોદરાના યુવકે યુઝરની તમામ વિગતો પાછળ ટેપ કરીને મોબાઈલમાં સેવ કરી શકાય તેવું એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવ્યું
૨૮ વર્ષના યુવા ઉદ્યોગસાહસિક અર્જુન શર્માએ એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવવા માટે WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જેમાં વપરાશકર્તાની તમામ વિગતો હોય છે અને એ એક જ વિઝિટિંગ કાર્ડ જીવનભર ચાલે છે. કાર્ડની પાછળ ટેપ કરીને તમામ વિગતો મોબાઈલમાં સેવ કરી, ડેટાને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા શેર કરી શકાય છે. જે વિઝિટિંગ કાર્ડ્સ ભૂલી જવા અથવા ગુમાવવાથી મુક્તિ આપે છે અને કાગળની બચત કરતુ હોવાથી પર્યાવરણ મિત્ર પણ છે
નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત
કમિટી દ્વારા નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધીના હસ્તે નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર જિલ્લાના દિવ્યાંગ શ્રી દયારામ શાંતિલાલ વસાવાના માતા તથા ભાઈને એનાયત કરીને લીગલ ગાર્ડીયન તરીકેની ફરજ બજાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
અનુસૂચિત જાતિના ૮૦૩ લાભાર્થીઓની રૂ.૨૫.૧૩ કરોડના યોજનાકીય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી
સામાજીક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા, તથા લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ લાવવા પ્રજા પ્રતિનિધિઓએ અનુરોધ કર્યો
જિલ્લા કક્ષાના વિવિધ રમતો માટેના "સમર કેમ્પ 2023" નુ સમાપન
બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોરએથ્લેટિક્સ એસોસિએશનને વડોદરાની ઓળખાણ સમાન સ્વદેશી અને પરંપરાગત રમતો જેમ કે ખો-ખો, કબડ્ડી અને લંગડીની સાથે હોકીને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા પહેલ કરી છે
સતગુરુ બાબા હરદેવ સિંહજી મહારાજની સ્મૃતિમાં ૧૩મેં ના રોજ વિશેષ સત્સંગનું આયોજન
સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની સ્મૃતિમાં તા.૧૩ મેના રોજ સમર્પણ દિવસ સાંજે 5 થી 9 દરમ્યાન સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખામાં વર્તમાન સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે
વડોદરામાં સયાજી હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરાઈ
VRDL અને કૌશલ્ય પ્રયોગશાળાથી તબીબી સમુદાયને વધારાની સગવડતા મળશે, સ્કીલ લેબ વિદ્યાર્થીઓ માટે મેનિકીન્સ અને મશીનો જેવી નવી ટેકનોલોજીની મદદથી નવા કૌશલ્યો શીખવા માટે ઉપયોગી નીવડશે.
PM ગાંધીનગર ખાતે આયોજિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં હાજરી આપશે
11 થી 13 મે દરમિયાન ગાંધીનગરમાં 29મું શૈક્ષણિક સંમેલન યોજાશે, ગુજરાત સહિત દેશભરમાંથી 91 હજારથી વધુ શિક્ષકો શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેશે