ગુજરાત
3687 लेख
અમદાવાદ મંડળ પર મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ અમ્બેડકરને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી
ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરના મહાપરિનિર્વાણ દિવસ 06 ડિસેમ્બર 2023 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ગરિમાપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો. ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી.
VGGS 2024: 7-9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે, ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાત અને ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યૂરો દ્વારા સંયુક્ત રીતે 7થી 9 ડિસેમ્બર દરમિયાન ‘સસ્ટેનેબલ MICE: એમ્પાવરિંગ ઇવેન્ટ ટુવર્ડ્સ ધ 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી’ થીમ પર ત્રણ દિવસીય 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે.
ડિજિટલ ફ્રોડની જાગૃતિ અંગે વેરાવળ એસબીઆઈ દ્વારા સેમિનાર યોજાયો
દિવસે દિવસે ટેક્નોલોજીનો વ્યાપ સાથે તેના દુરુપયોગ પણ વધતા જાય છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં સામાન્ય લોકો સાથે ફ્રોડ થવાના કિસ્સાઓ આજકાલ સમાજજીવનમાં જોવા મળી રહ્યા છે ત્યારે લોકોમાં આ અંગેની જાગૃતિ કેળવાય તે માટે વેરાવળ સર્કલ SBI દ્વારા જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી લોકસભા ચૂંટણી-2024 સંદર્ભે રાજ્યકક્ષાનો તાલીમ વર્કશૉપ યોજાયો
ચૂંટણી વ્યવસ્થાપન સંદર્ભે મતદારયાદી, મતદાન મથકો, EVM, પોસ્ટલ બૅલેટ, ચૂંટણી સ્ટાફની વિગતો અને તાલીમ સહિતના વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો – ૨૦૨૩ માટે અરજીઓ કરવાની તારીખ ૩૦ ડિસેમ્બર સુધી લંબાવાઈ
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના નિયામક રોજગાર અને તાલીમ ખાતા દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગ એમ્પ્લોઇ અને દિવ્યાંગોને રોજગારી આપનાર નોકરીદાતા અને દિવ્યાંગોને પ્લેસમેન્ટ કરાવનાર પ્લેસમેન્ટ ઓફીસરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રાજય દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.
શિનોર તાલુકામાં એક જ દિવસમાં ૧૨૫ લાભાર્થીઓને મળ્યા આયુષ્માન કાર્ડ
યોગ્ય પાત્રતા ધરાવતા નાગરિકોને ઘેરબેઠા જ સરકારી યોજનાઓનો લાભ મળે, તેવા અડગ નિર્ધાર સાથે વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે.
વડોદરા જિલ્લામાં ખાનગી સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ કામગીરી હાથ ધરાઈ
વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન ઉત્સાહ સાથે ચલાવવામાં આવી રહ્યું છે. ગામેગામ વિવિધ જાહેર સ્થળોની સફાઇ કરવા માટે નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે.
પશ્ચિમ રેલવે સુરત-મહુઆ અને સુરત-વેરાવળ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે
મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ સુરત-મહુવા અને સુરત-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો ખાસ ભાડા પર દોડશે.
પ્રતાપનગર અને જોબટ વચ્ચે સીધી રેલવે સેવાની શરૂઆત
પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવેખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે.
સંકલ્પ યાત્રા નાવરા ગ્રામ પંચાયતના પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્ણ આવકાર
વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ઝારખંડ ખાતેથી રાષ્ટ્રવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સંકલ્પ યાત્રાનો મુખ્ય આશય કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વંચિત લાભાર્થીઓને ઘરઆંગણે હાથોહાથ પહોંચાડીને સો ટકા લક્ષ્યાંક સાથે ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરવાનું છે.
વિકલાંગ વ્યક્તિઓના આંતર રાષ્ટ્રીય દિન નિમિત્તે અદાણીએ ગ્રીન X સંવાદ યોજ્યો
અદાણી જૂથે વિકલાંગ વ્યક્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ (ડિસેમ્બર 3) નિમિત્તે ગ્રીન એક્સ ટોક્સનું આયોજન કર્યું હતું. જેમાં પોતાની સ્થિતિસ્થાપકતા અને સમર્પણ સાથે અનેક અવરોધો પર વિજય મેળવ્યો છે તેવા વિકલાંગ વ્યક્તિત્વોએ પોતાની જીવન કથની શેર કરી હતી.
ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં પૂજા અર્ચના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીશ્રીએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાઘપૂજા કરી હતી.
નર્મદા જિલ્લાના ૬૦ ગામોમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળ્યા આયુષ્યમાન કાર્ડ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના ગામેગામ પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જરૂરતમંદ નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ મળી રહ્યા છે.સંકલ્પ યાત્રા દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૬૮૪૦ નવા આયુષ્યમાન કાર્ડ બનાવી સ્થળ ઉપર જ વિતરણ કરાયા.
કેન્દ્રીય વિદ્યાલય ONGC કેમ્બેએ 29મી નવેમ્બરના રોજ વાર્ષિક રમતગમત દિવસ ઉજવ્યો
કેન્દ્રીય વિદ્યાલય ONGC કેમ્બેએ 29મી નવેમ્બર 2023 ના રોજ તેનો વાર્ષિક રમતગમત દિવસ ઉજવ્યો. કાર્યક્રમના મુખ્ય મહેમાન ED એસેટ મેનેજર શ્રી શાંતિ સ્વરૂપ શર્મા હતા. અતિથિ વિશેષ શ્રીમતી. રીટા શર્મા કેમ્બે એસેટના પ્રથમ મહિલા અને OOMS ના ચેરપર્સન હતા.
નાંદોદના પાટણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર
નર્મદા જિલ્લામાં નાંદોદના પાટણા ગામે “વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” માં આદિજાતી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વમંત્રીશ્રી, ગણદેવીના ધારાસભ્યશ્રી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાતના ઈન્ચાર્જશ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગામની મહિલાઓ-ગ્રામજનોએ કંકુ તિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.
ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
છેલ્લા ૦૯ વર્ષમાં રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને રૂ.૧૦,૭૦૦ કરોડની સહાય ચૂકવી
હવામાન આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી.થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી કરીને પડેલા પાક તથા માર્કેટિંગ યાર્ડોને જણસીઓના જતન તથા પલળે નહીં તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી.
PDEU ખાતે ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનની ભવ્ય ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું
પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા 25 નવેમ્બર, 2023 ના રોજ ગુજરાતના શિક્ષણ વિભાગની સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા આયોજિત ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનની ભવ્ય ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું.
એએમએના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો
AMAના નિરંતર શિક્ષણ મોડેલ આધારિત વિવિધ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમોએ માર્કેટિંગ અને સેલ્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ, ફાઇનાન્સ, હેલ્થકેર અને હોસ્પિટલ, બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં નવીન કાર્યક્રમોનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે.
ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી, વીજળી પડવાથી 20 લોકોના મોત થયા
ભારે વરસાદની સૌથી વધુ અસર ગુજરાતના અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, સુરત અને અમદાવાદ જિલ્લામાં જોવા મળી છે.