ગુજરાત
3663 लेख
નોન-ઇન્ટરલોકિંગ કામ સ્થગિત થવાને કારણે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ પર દોડશે
પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનના કમિશનિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવાયેલ બ્લોકને આગળની સૂચના સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. તદનુસાર, બદલાયેલ રૂટ પર ચાલતી નીચેની ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ અને સમયપત્રક મુજબ દોડશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે
ગુજરાત સરકાર દ્વારા ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન કાર્યક્રમને જાહેર કરવામાં આવેલ છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ જોવા મળશે જન આંદોલનનો સહયોગ.
છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના હસ્તે WDC PMKSY 2.0 અંતર્ગત જિલ્લાના ૩૫ ગામોના ખેડૂતોને અંદાજિત રૂ. ૭૬.૬૫ લાખના સાધનોનું વિતરણ કરાયુ.
આઈ.ટી.આઈ દશરથમાં “કૌશલ્ય દીક્ષાંત સમારોહ” યોજાયો
૫૧૮ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ૧૧ ટ્રેડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા કુલ ૩૪ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રક તથા નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ અર્પણ કરાયા.
રાજ્યમાં નાગરિકોને મળતી આરોગ્ય સેવામાં વધારો: નવી ૮૨ એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કાર્યરત
ગાંધીનગર ખાતેથી ૫૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સો અને જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે નવી કુલ ૩૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરતાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ
નાંદોદ તાલુકાની બિરસામુંડા પ્રાથમિક શાળા ખાતે કિશોરી મેળાની ઉત્સાહભેર ઉજવણી
નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિત સૌ ઉપસ્થિત અધિકારીશ્રી, શાળા પરિવાર, દીકરીઓએ સ્વચ્છતાને જીવનનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૧૫ ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના કુલ ૧૫ કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે
આગામી તા.૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ને રવિવારના રોજ નર્મદા જિલ્લાના કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૭૮ જેટલા બ્લોકમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા યોજાનાર છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ સહિત 3 ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે
ઉત્તર રેલવે લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો માટે આવો જાણીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકો નો ઉપક્રમ તેમના મુંબઈના એક દિવસીય પ્રવાસ મુલાકાત દરમ્યાન પ્રયોજ્યો છે.
રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે
આગામી બે માસ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવીએ : પોરબંદર, છોટાઉદેપુર, હિંમતનગર, સુરત સહિત વિવિધ શહેરો-તીર્થધામોમાં સ્વચ્છતા મેગા ડ્રાઇવનો પ્રારંભ.
11 ઓક્ટોબરના રોજ વડોદરા-ગેરતપુર સેક્શનમાં બ્લોકને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો રદ્દ રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કનીજ યાર્ડમાં ફુટ ઓવર બ્રિજ લોન્ચિંગ માટે બ્લોક લેવાના કારણે 11 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વિગતો માટે આગળ વાંચો.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર એસ પટેલ સાહેબનો શુભેચ્છા સંદેશ પાઠવી સૌને સેવાના ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું.
સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી તેમજ પોષણ અભિયાન હેઠળની SLSC અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ
ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી (SLMRC) તેમજ પોષણ અભિયાન હેઠળની સ્ટેટ લેવલ સેન્કસનિંગ કમિટી (SLSC) અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી.
કેન્દ્રિય નીતિ આયોગના સભ્યશ્રી રમેશ ચંદજીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદગાર મુલાકાત
સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા યુવાપેઢીને એક સૂત્રમાં બાંધીને નવા રાષ્ટ્રના નિર્માણમાં સિંહફાળો આપવા પ્રેરિત કરશે. સરદાર સરોવર ડેમ, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર અને જંગલ સફારી પાર્કની રોમાંચક સફર માણતા નીતિ આયોગના સભ્યશ્રી રમેશજી ચંદજી.
ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાના આત્મકથાનક ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સનું ગાંધીનગરમાં વિમોચન
સંઘર્ષ કરીને શૂન્યમાંથી સર્જન કરવું અને સફળ થયા પછી સહજતા-નૈતિકતા ટકાવી રાખવી એ યુવા પેઢીને આ પુસ્તકમાંથી શીખવા મળશે : મુખ્યમંત્રી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ એક નવા આકર્ષણની શરૂઆત- સપ્તાહના અંતે પ્રવાસીઓનું મનોરંજન કરશે SRP પોલીસ બેન્ડ
SRPપોલીસ બેન્ડની દેશભક્તિ અને શૌર્યની ધૂનથી પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવશે, પોલીસ બેન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં દર શનિ-રવિવારે સાંજે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. પોલીસ બેન્ડ દ્વારા સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના કર્મચારીઓ તેમના સંગીત કૌશલ્યનું પ્રદર્શન કરતા જોવા મળશે.
દક્ષિણ પશ્ચિમ વાયુ કમાનના વડા મથકે ભારતીય વાયુ સેનાની ૯૧મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ શાનદાર ઉજવણી
૮ મી ઑક્ટોબર, ૧૯૩૨માં ચાર હવાઈ જહાજ, છ અધિકારીઓ અને ૧૯ સૈનિકોના બલ સાથે ભારતીય વાયુ સેનાની સ્થાપના થઈ, આજે વિશ્વની ત્રીજી શક્તિશાળી વાયુ સેના ગણાય છે.
ગ્રામ્ય કક્ષાના 16 નાના-મોટા ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 37.80 કરોડની રકમને સૈદ્ધાંતિક મંજુરી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળેલ હતી કે જે દરખાસ્તો ઉપર કાળજીપૂર્વક વિચારણા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ મોરબી જિલ્લામાંથી સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેરની પસંદગી
ભારતના સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં એકલા મોરબીનો જ 90% હિસ્સો, ભારતની કુલ સિરામિક નિકાસમાં ગુજરાતનો હિસ્સો 80%, મોરબીનો સિરામિક ઉદ્યોગ અંદાજે 4 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પૂરો પાડે છે.