ગુજરાત
4117 लेख
સિંહ હુમલાથી ગ્રામજનોમાં રોષ: ગુજરાતના ગામડાઓમાં સાવધાન રહેવાની જરૂર
તાજેતરમાં ગારજીયા ગામમાં એક સિંહના હુમલાની ઘટનાએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વન્યજીવન અને માનવીય સંઘર્ષના ગંભીર મુદ્દાને ફરી સપાટી પર લાવી દીધો છે. કાળુ પરમાર...
વિકાસ ભી, વિરાસત ભી: માધવપુર કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ બનશે આધુનિક પર્યટન સ્થળ
રાજ્ય સરકાર દ્વારા ₹43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના કામો શરૂ કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય આ યાત્રાધામને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો છે.
અમદાવાદ બ્લાસ્ટ કેસ: 38ને ફાંસી, 11ને આજીવન કેદ – હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોની ફાંસીની સજા અને 11 અન્યની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. 26 જુલાઈ, 2008ના રોજ થયેલા આ ભયાનક...
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫ માટે હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી
ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતા પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે જાહેર કરાયેલા ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫ માટે અમદાવાદના કાલુપુર સ્થિત ગોસ્વામી હવેલીના ૧૬ મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે.
ભારે વરસાદથી પ્રભાવિત ઉના તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં ફૂડપેકેટ વિતરણ કરાયા
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં ઈન્ડિયન રેડક્રોસ અને સખાવતી સંસ્થાઓના સ્વયંસેવકોની સરાહનીય કામગીરી, ૨૦૦ કિલો ફરસાણમાંથી તૈયાર કરાયેલા ૨૨૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું.
ચોમાસાને લઈને ગુજરાત સરકાર એલર્ટ: SEOC ખાતે યોજાઈ 'વેધર વોચ ગ્રૂપ'ની મહત્વની બેઠક
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત નિયામક શ્રી સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને 'વેધર વોચ ગ્રૂપ'ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓને ટાળવા અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવાનો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: "ભારતની ધરતી પર આતંકવાદ માટે કોઈ સ્થાન નથી."
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ ચુકાદાને નિર્દોષ નાગરિકોને મળેલો સાચો ન્યાય ગણાવ્યો છે. તેમણે આ કેસની તપાસ કરનાર સમગ્ર ઇન્વેસ્ટિગેશન ટીમની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તપાસ ટીમે વર્ષો સુધી કોઈ પણ બાંધછોડ વગર કરેલી મહેનતને કારણે આજે આ સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે સદાય ઉભી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ: આરોગ્ય વિભાગ એલર્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને તમામ આરોગ્ય કેન્દ્રો સજ્જ
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ રાજ્યમાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ નાગરિકોની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે તાત્કાલિક અસરથી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે વિભાગ સજ્જ છે.
ગાંધીનગરમાં પોલીસ ભરતી મહોત્સવ: ૪૪૯ PSI ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આપશે નિમણૂક પત્રો
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં યુવા પ્રતિભાઓને સામેલ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાનાર આ સમારોહમાં ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે.
ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: વાપીમાં ૮ ઇંચ વરસાદ, ૧,૫૨૮ લોકોનું કરાયું સ્થળાંતર
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ, ગત ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૪ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર વચ્ચે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૪૨.૬૭ મિ.મિ.વરસાદ નોંધાયો
જિલ્લામાં તા. ૦૭ જુલાઈ સવારના ૬:૦૦ કલાક સુધીમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં ૭૯ મિ.મિ. વરસાદ નોંધાયો.
અમદાવાદ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ — ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો છે, જેમાં 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11ને આજીવન કેદની...
મેડિકલ કારણોસર ટ્રિપ રદ કરનારને ₹78,000 પાછા મળશે: અમદાવાદ ગ્રાહક પંચનો ટ્રાવેલ કંપનીને આદેશ
અમદાવાદ: જ્યારે તબીબી સલાહને કારણે અમદાવાદના એક રહેવાસીએ વિદેશ પ્રવાસ રદ કર્યો, ત્યારે તેમને રિફંડની અપેક્ષા હતી. પરંતુ, તેમને ભારે રદ્દીકરણ શુલ્કને લઈને લાંબી...
નમો સ્વચ્છતા અભિયાન: રાજ્યની સરકારી હોસ્પિટલો બની ઝગમગતી, ૬ દિવસમાં ૫ લાખથી વધુ વસ્તુઓનો નિકાલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં શરૂ થયેલું રાજ્યવ્યાપી "નમો સ્વચ્છતા અભિયાન" આરોગ્ય સંસ્થાઓમાં કાયાપલટ લાવી રહ્યું છે. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ચાલતા આ મહાઅભિયાનના છઠ્ઠા દિવસના અંતે નોંધપાત્ર પરિણામો સામે આવ્યા છે.
જગતના તાત સાથે છેતરપિંડી કરનારા સામે રાજ્ય સરકાર સખ્ત; લાયસન્સ રદ ઉપરાંત થશે જેલ
વારંવાર ડુપ્લીકેટ ખાતર-બિયારણ વેચનારાઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી; ૪ શખ્સોને ડિટેઇન કરી જેલ હવાલે કરાયા: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી.
તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬ ની ભવ્ય સફળતા
જેતલપુર સમાજ ભવન ખાતે તા. ૦૫/૦૭/૨૦૨૬, રવિવારના રોજ યોજાયેલ આપણા પરગણાનો "તેજસ્વી તારલા સન્માન સમારોહ – ૨૦૨૬" આપ સૌના ઉત્સાહભર્યા સહયોગ અને આશીર્વાદથી અત્યંત સફળ રહ્યો છે.
અમરેલી જિલ્લામાં વરસાદનું તાંડવ: જનતાની પડખે ઉભા રહ્યા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આ કપરા સમયમાં, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને નાગરિકોની વેદના સાંભળી હતી અને તંત્રને તાત્કાલિક રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.
નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વરના સુકા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને નિષ્ણાતોનું માર્ગદર્શન, પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો બન્યા પ્રેરણારૂપ.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત
ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ - જી.એ.એસ. કેડરમાંથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ - આઈ.એ.એસ. કેડરમાં પ્રમોટ થયેલા અધિકારીઓએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ તમામ અધિકારીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ
ભારતીય જનસંઘના સ્થાપક અને મહાન રાષ્ટ્રવાદી વિચારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. "એક દેશ, એક વિધાન, એક નિશાન" માટેનું તેમનું સપનું આજે સાકાર થયું છે. તેમના રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના આપણને હંમેશા માતૃભૂમિની સેવા માટે પ્રેરિત કરતી રહેશે.