ગુજરાત
3634 लेख
વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં આરોગ્ય જાગૃતિ અભિયાન
નર્મદા જિલ્લામાં વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય જાગૃતિ અને તપાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપલા સ્થિત કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી ઓફિસો અને જાહેર સ્થળોએ યોજાયેલા આ કેમ્પમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોના બ્લડ પ્રેશર (BP) તથા બ્લડ શુગરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી.
સાબરકાંઠામાં ત્રાટકી ફ્લાઈંગ સ્કોડ: તલોદની ભોલેનાથ ડેરી પર દરોડા, ૨,૫૪૮ કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત
ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ દ્વારા સાબરકાંઠાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી 'ભોલેનાથ ડેરી' પર ઓચંતી તપાસ હાથ ધરીને ૨,૫૪૮ કિલોગ્રામ ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે રૂ. ૫.૧૦ લાખ છે.
પશ્ચિમ રેલવેની મોટી કવાયત: સાબરમતીમાં રેલવે કર્મચારીઓને અપાઈ અગ્નિ સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના સાબરમતી લોકોમોટિવ શેડ ખાતે ૧૯ મે, ૨૦૨૬ ના રોજ અગ્નિ સુરક્ષા અને આકસ્મિક બચાવ ઉપાયો અંગે એક વિશેષ ફાયર મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ એન્જિનિયર શ્રી એસ. પી. ગુપ્તા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિવિલ ડિફેન્સ વૉલિન્ટિયર્સ દ્વારા રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને આગની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિક્રિયા, ઇમરજન્સી બચાવ કામગીરી અને અગ્નિશામક યંત્રોના યોગ્ય ઉપયોગ વિશે વ્યવહારિક પ્રદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી.
ગોપાલ રાયની સરકારને છેલ્લી ચેતવણી: "પેપર લીકનું સમાધાન કાઢો, નહીંતર યુવાનો મેદાને આવશે"
ગોપાલ રાયે સવાલ કર્યો છે કે શું સરકાર પેપર સાચવવામાં અસમર્થ છે કે પછી પેપર લીક કરનારાઓને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે? તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો દેશના યુવાનો પોતે રસ્તા પર ઉતરીને સમાધાન લાવવા મજબૂર થશે. ૨૨ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ દગા મામલે AAP એ ન્યાયની માંગ કરી છે.
અમદાવાદ-ધોલેરા વચ્ચે દેશનો પ્રથમ સેમી-હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ મંજૂર
કેન્દ્ર સરકારે અમદાવાદ (સરખેજ) થી ધોલેરા વચ્ચે ₹20,667 કરોડના ખર્ચે સેમી-હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વધુ વિગત માટે ક્લિક કરો.
IAS અધિકારીઓની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત
ગુજરાત કેડરના 2025 બેચના પ્રોબેશનરી IAS અધિકારીઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. રાજ્યપાલશ્રીએ જમીન સ્તરે જઈને કામ કરવા માર્ગદર્શન આપ્યું. વધુ વિગત માટે ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે: મંત્રી પ્રફુલ પાનસેરીયાએ નર્સોને બિરદાવ્યા
ગાંધીનગર સિવિલમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ની ઉજવણી કરાઈ. મંત્રી પ્રફુલ પાનસેરીયાએ નર્સિંગ વ્યવસાયને 'નિષ્કામ કર્મયોગ' ગણાવ્યો. વધુ વિગત માટે ક્લિક કરો
પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે ઈ—કેવાયસી હવે ફરજિયાત બનશે
પીએમ કિસાન યોજનાના હપ્તા માટે ઈ—કેવાયસી કરાવવું હવે દરેક ખેડૂત માટે ફરજિયાત છે. જૂન 2026 સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. વધુ વિગત માટે ક્લિક કરો.
એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026 નો ગાંધીનગરમાં ભવ્ય પ્રારંભ
એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026 માં 29 દેશોના 400 ખેલાડીઓ ગાંધીનગર આવ્યા છે. રમતગમત મંત્રીએ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો. વધુ વિગત માટે ક્લિક કરો.
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમિકો માટે નવી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યો અંગે ગાંધીનગરમાં બેઠક યોજાઈ. વધુ વિગત માટે ક્લિક કરો.
ચોમાસામાં ખાડા પૂરવા AMC સજ્જ, 42 હજાર ટન હોટમિક્સ તૈયાર
ચોમાસા પૂર્વે AMC એ 42 હજાર મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલનો સ્ટોક તૈયાર કર્યો છે. રસ્તા પરના ખાડા પૂરવા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ થશે. વધુ વિગત માટે ક્લિક કરો.
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ઇંધણ બચત અને સાદગી માટે પોતાની પાયલોટિંગ કારની સુરક્ષા સ્વેચ્છાએ છોડી.
ઇંધણ બચત માટે મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પાયલોટિંગ કારનો ત્યાગ કર્યો છે. રાષ્ટ્રહિતમાં લીધેલા આ નિર્ણયની ચર્ચાઓ તેજ થઈ છે. વધુ વિગત માટે ક્લિક કરો.
અમદાવાદમાં 4 પ્રકારનો કચરો અલગ આપવો હવે ફરજિયાત બનશે
અમદાવાદમાં 4 પ્રકારનો કચરો અલગ આપવો હવે ફરજિયાત છે. AMC નિયમ તોડનાર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરશે. વધુ વિગત માટે ક્લિક કરો.
બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે AMCએ નવા કડક નિયમો જાહેર કર્યા
બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે ઓન-સાઇટ વેસ્ટ પ્રોસેસિંગ હવે ફરજિયાત છે. નિયમ તોડનાર એકમો સામે AMC કડક દંડ વસૂલશે. વધુ વિગત માટે ક્લિક કરો.
મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ હેઠળ અમદાવાદમાં 50 લાખ વૃક્ષો વવાશે
મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ હેઠળ AMC 100 દિવસમાં 50 લાખ વૃક્ષો વાવશે. પર્યાવરણ જાળવણી માટે જનભાગીદારી વધારવા આયોજન કરાયું છે. વધુ વિગત માટે ક્લિક કરો.
ડિજિટલ એરેસ્ટ કૌભાંડ: હરિયાણાની ગેંગે મહિલા સાથે કરી 55 લાખની છેતરપિંડી
હરિયાણામાં ડિજિટલ એરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ગુનેગારોએ એક મહિલાને ડરાવીને 55 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
રાજુલા નજીક પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ: ભાવનગર-સોમનાથ હાઇવે ૨ કલાક સુધી બંધ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક છતડીયા અને ભેરાઈ ગામ વચ્ચે ઈંધણ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પીપાવાવથી ૧૯,૦૦૦ લીટર ડીઝલ અને ૫,૦૦૦ લીટર પેટ્રોલ ભરી બગસરા જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકતા હાઇવે પર ૨ કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનું નિવેદન: ભારત હવે દબાણ સામે ઝૂકશે નહીં
પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો. 1998ના પરમાણુ પરીક્ષણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઉલ્લેખ કરી રાષ્ટ્રીય ગૌરવ પર ભાર મૂક્યો. વધુ વિગત માટે ક્લિક કરો.
પીએમ મોદીની વડોદરામાં ‘વોકલ ફોર લોકલ’ની અપીલ, વિદેશી પ્રવાસ ટાળવા વિનંતી
પીએમ મોદીએ વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ એશિયા યુદ્ધ સંકટ વચ્ચે વિદેશી વસ્તુઓનો વપરાશ ઘટાડવા અને સ્થાનિકને પ્રોત્સાહન આપવા હાકલ કરી.
સોમનાથ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ: ભારતની સ્વતંત્ર ભાવનાની જીત - નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ સોમનાથ મંદિરના ૭૫ વર્ષના ઈતિહાસ અને તેના પર થયેલા આક્રમણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શારીરિક બાંધકામને નષ્ટ કરી શકાય છે પણ રાષ્ટ્રના આત્મા અને આસ્થાને નહીં. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના આધુનિક અવતારના અભિષેકની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયો હતો.