ગુજરાત
3653 लेख
જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં નર્મદા પોલીસ પુત્ર અને પુત્રી પ્રથમ ક્રમે વિજેતા બની ગૌરવ વધાર્યું
નર્મદા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તાહિર વ્હોરાનાં બંને સંતાનોએ રમતગમત ક્ષેત્રે અવ્વલ આવી જિલ્લા અને પોલીસ પરિવારનું નામ રોશન કર્યું.
ડેડીયાપાડાના કણબીપીઠા ગામે બનાવેલ પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ
લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ દીવાલ વરસાદના પગલે ધોવાણ થઈ જતા બાજુમાં આવેલ વિધવા મહિલાના મકાનને જોખમ વધ્યું, લોક ચર્ચા મુજબ આ પ્રોટેક્શન દીવાલ તલાટી દ્વારા જાતેજ બનાવાઇ હતી તો શું તલાટી પાસે સિવિલ એન્જીનીયરની ડીગ્રી છે ખરી?
વાઘપરા ગામમાં પરણીતાએ સાસરિયાંનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાંનાં ત્રાસથી પરણીતાએ પોતના પિયર વાઘપરા ગામમાં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
ઝગડીયા તાલુકાના પૂર અસરગ્રસ્તોની વ્હારે આવી ભરૂચ જિલ્લાની ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા
મુસ્કાન વસાવાએ પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું.
રાજપીપળા સોનીવાડમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે ઈકો ફ્રેન્ડલી ગણપતિ જોવા ભક્તોની ભીડ
રાજપીપળા સોનીવાડ શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા સતત ૩૨ વર્ષથી ગણપતિ સ્થાપના,આ ૩3મું વર્ષ, - આ મંડળ છેલ્લા દસ વર્ષથી માટીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે અને અન્ય લોકોને પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા લાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે ₹5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, રાજ્યના વિદ્યાર્થીઓ માટે ₹1426 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ્સ અને અન્ય સુવિધાઓ, ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાતના વલસાડમાં હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ ફાટી નીકળી
મુંબઈથી અમદાવાદ જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતાં હંગામો મચી ગયો હતો. આ ઘટના રેલ્વે આગના તાજેતરના તાર ઉમેરે છે, જેમાં અગાઉની ઘટના 15 સપ્ટેમ્બરના રોજ મેમુ ટ્રેન સાથે સંકળાયેલી હતી.
૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ
મનોરંજનનો મહાથાળ એટલે નાટ્યોત્સવ : ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ, સતત સાત દિવસ સુધી માત્ર ને માત્ર ગુજરાતી નાટકોનો મહતોત્સવ યોજાયો હોય એવું તમને યાદ છે ? કારણ કે આવું છેલ્લા બે ત્રણ દાયકામાં આવું બન્યું હોય એવું તો મને પણ યાદ નથી આવતું . એક સપ્તાહ સુધી આયોજન કરવામાં આવેલા આ નાટ્યોત્સવમાં માત્ર ગુજરાતી ભાષાના નાટકો જ માણવા મળશે.
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે આજરોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે તા. 23 સપ્ટેમ્બર 2023 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો હતો જે શ્રી કૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાનીના અવતરણનો શુભ દિવસ છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના 15 દિવસ અંતે રાધાષ્ટમી ઉત્સવ આવે છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.
વડોદરા ડિવિઝનના 17 કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત
વેસ્ટર્ન રેલ્વેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝન ના સત્તર રેલ્વે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન ઓપરેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા
ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમી, વડોદરામાં 01 થી 20 સપ્ટેમ્બર, 2023 સુધી રાજભાષા પખવાડીયા સમારોહનું આયોજન કરવામાં આવ્યું
20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે 22 સપ્ટેમ્બર થી રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત
પૂરનું પાણી ઓસરી ગયા પછી વડોદરા મંડળ દ્વારા સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું. રેલવે કર્મચારીઓએ ઊંચા કિનારા ઉપર થયેલા નુકસાનના સમારકામ માટે યુદ્ધના ધોરણે દિવસ-રાત કામ કર્યું અને રેલવે ટ્રેકને રેકોર્ડ સમયમાં ટ્રેનોની અવરજવર માટે તૈયાર કરીને ઉલ્લેખનિય ઉપલબ્ધિ પ્રાપ્ત કરી.
અમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
દરિયાપુર વિધાનસભાના સભ્ય કૌશિક જૈનની શ્રી અમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસિએશન સાથેની બેઠક, જૈનનું સન્માન કરવામાં આવ્યું હતું.
નાંદોદ તાલુકાની આંગણવાડીઓમાં ભૂલકાઓએ રંગેચંગે યોગાભ્યાસ કર્યા
શિક્ષણના પ્રથમ પગથિયા સમાન આંગણવાડી ખાતે ભારતીય વૈદિક પરંપરા યોગથી પરિચિત થતા ભૂલકાઓ, નાંદોદ તાલુકાની આંગણવાડીઓમાં ભૂલકાઓએ રંગેચંગે યોગાભ્યાસ કર્યા, આંગણવાડી કેન્દ્ર ખાતે ભુલકાઓમાં યોગ અંગે જાગૃતતા કેળવવાની સરાહનીય કામગીરી કરાવતી આંગણવાડી કાર્યકર બહેનો.
યુ.ઈ.બી. વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર અને અનુબંધમ પોર્ટલ નામ નોંધણી કેમ્પ યોજાયો
૩ નોકરીદાતાઓ દ્વારા ૫૦ જેટલી જગ્યાઓ માટે ૨૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા.
આઇ.ટી.એમ.વોકેશનલ યુનિવર્સિટી દ્વારા બ્રહ્માકુમારી અરુણાદીદીને "ડોક્ટરેટ ઇન લીટરેચર" ની પદવી એનાયત
બ્રહ્માકુમારી અરુણાદીદીના સામાજિક પરિવર્તનના પ્રયાસોને ધ્યાને રાખી આઇ.ટી.એમ. વોકેશનલ યુનિવર્સિટી વડોદરાએ તેમને "ડૉક્ટરેટ ઇન લીટરેચર" ની પદવી દ્વારા સન્માનિત કર્યા હતા. આ દીક્ષાંત સમારોહમા ડૉ. કે. સિવન પૂર્વ અધ્યક્ષ, ઈસરો, ડો. પી.વી. રામન પ્રેસિડેન્ટ, ડો. અનિલ બિસેન વાઈસ ચાન્સેલર આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઉપસ્થિતિ માં યોજાયો હતો.
નાંદોદ તાલુકાના પોઈચા સ્થિત નીલકંઠ ધામ ખાતે દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું
રાજ્ય સરકાર છેવાડાના બાળકોને શૈક્ષણિક સુવિધાઓ માટે અનેક યોજનાઓ અને માળખાકીય સુવિધાઓની પૂરી પાડી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે : શિક્ષણ મંત્રીશ્રી
AMA દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર વાર્તાલાપ યોજાયો
એએમએ દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ભગવદ્ ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર પ્રખ્યાત લેખક અને વક્તા તથા ભગવદ ગીતાના મનોવિજ્ઞાન પર તેમના કાર્યો માટે માનદ ડોક્ટરેટ પ્રાપ્તકર્તા શ્રી દીપ ત્રિવેદી દ્રારા ગુરુવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિરમગામ ખાતે ગણપતિ દાદાના પ્રસાદરૂપે ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરાયું
સીએમએમ ભારત દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કર્મચારી સોનલબેન વાઘેલાના હસ્તે સુખડી વિતરણ કરવામાં આવ્યું.