ગુજરાત
3642 लेख
જાફરાબાદ એસબીઆઈ બેંક સરકારશ્રી ના પરિપત્રો નો કરી રહીં છે ઉલાળીયો, પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકો ને આપી રહી છે ઉડાઉ જવાબ
પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM સ્વાનિધિ યોજના) એ શેરી વિક્રેતાઓને લોન આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક માઇક્રો-ક્રેડિટ યોજના છે. આ યોજનાનો હેતુ કોવિડ-19 રોગચાળા પછી શેરી વિક્રેતાઓને તેમના વ્યવસાયો ફરીથી શરૂ કરવામાં મદદ કરવાનો છે.
ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશે
ભાયાવદરમાં ડાકનિયા ડુંગરની શાંત સુંદરતાની વચ્ચે એક રહસ્યમય આશ્રયસ્થાન આવેલું છે, જ્યાં સંસ્કૃતિના અદભૂત પ્રદર્શનમાં પરંપરા અને ઉત્સવ એકબીજા સાથે જોડાયેલા છે. તે એક એવી જગ્યા છે જ્યાં આધ્યાત્મિકતાનું હૃદય હાસ્યની લયમાં ધબકે છે, જ્યાં પવિત્ર અને આનંદ એકરૂપ થાય છે. મોહક ખોડિયાર મંદિર પાસે ત્રણ દિવસીય લોકમેળામાં આપનું સ્વાગત છે.
પાલનપુરની એલ.સી.બી.એ જોરડીયાળી ગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યું
દારૂના ધંધાર્થીઓ સાવધાન! પાલનપુરની એલસીબીએ જોરડીયાળી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂ. 2,38,970/- સહિત બોલેરો કેમ્પર કાર ઝડપી પડી હતી. કેમ્પર કારના ડ્રાઈવર મહેન્દ્રકુમારની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીયબનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડાયો
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીયબનાવટના વિદેશી દારૂની પેટી નંગ -૭૮ તથા બોટલ નંગ-૩૦૧૭ કિ.રૂા.૨,૩૮,૯૭૦/- તથા બોલેરો કેમ્પર ગાડી તથામોબાઇલ નંગ-૦૨ તથા રોકડ રકમ સાથે કુલ મુદ્દામાલ-૪,૪૯,૯૭૦/- ના સાથે એક ઈસમને પકડી પાડતી પાલનપુર એલ.સી.બી.
આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણી જાફરાબાદના સરકેશ્વર બીચ સમુદ્ર તટની સફાઈ કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને તંત્ર જોડાયું
આંતર રાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણીના ભાગરૂપે જાફરાબાદના સરકેશ્વરના સમુદ્ર બીચ ની સફાઈ કચરો એકત્રીત કરાયો નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને સહકાર આપવા અપીલ રમણીય બીચ સરકેશ્વર જોવા અને આનંદ માણવા લોકો આવતા હોય છે પરંતુ કેટલાક લોકો જ્યાં ત્યાં કચરો ફેંકી દેવામાં આવે છે જેના લીધે પ્રદુષણ ફેલાય છે જેથી પર્યાવરણના રક્ષણ સાથે દરિયાકાંઠાના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા નવીન ટીમની રચના કરવામાં આવી
રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સામાન્ય સભા આજરોજ તા.16/09/2023 ને શનિવારના રોજ લીમખેડા ખાતે યોજાઈ હતી.
ગણેશોત્સવ પર્વને લઈને પ્રવેશદ્વાર વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ગણેશોત્સવ પર્વ નિમિત્તે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
ડાંગ જિલ્લામાં સોશ્યલ મીડિયામાં હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્પણી વાઇરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ
આહવા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટો સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. બંને ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન
પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીને આજે વિધિવત રીતે બપોરે ૧૨ /૩૯ ના વિજય મુહર્તમાં પોતાના અઢી વર્ષના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓવરફ્લો
વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાં ઓફરફ્લો થતા આ ડેમની પૂર્ણ સપાટી ૨૮૫.૦૦ મીટરની છે. આજની તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૨:૦૦ કલાકે આ ડેમની સપાટી ૨૮૫.૦૦ મીટરે પહોંચી છે.
મોડાસામાં કૉલેજ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામા કૉલેજના 77 વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા
ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. જેમાં કુલ સાત કંપનીના એમ્પ્લોયરો હાજર રહ્યા. જેમાં કુલ ૯૧ નોકરી વાંચ્છું ભાઈઓ બહેનોએ પોતાની કારકિર્દી માટે ભાગ લઈ તમામે પોતાનો મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યો.
નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનો રાઇટર 10 હજારની લાંચ લેતા એ.સી.બી. નાં હાથે ઝડપાયો
અકસ્માતની ઘટનામાં રાઇટરે ૪૦.૦૦૦ની લાંચ માંગી હતી પણ રકઝક બાદ ૧૦.૦૦૦ નક્કી કર્યા એ લાંચ લેતા રાઇટર રંગે હાથ ઝડપાયો.
ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન
જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ થઇ, દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ સુધી મળશે ભોજન પ્રસાદ સેવા.
ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો
ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે ‍વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશે.
16 સપ્ટેમ્બરે અમદાવાદ મંડળ ખાતે ઊજવાયો ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’
ભારતીય રેલ પર ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર, 2023 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે.
ગરુડેશ્વર એપીએમસીનાં એક કરોડના હોટલ કૌભાંડમાં ઝાબાજ વહીવટદાર મુકાયા બાદ હોટલ ખાલી કરાવાઈ
જોકે હોટલ ખાલી કરાવવા કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ હતી જેમાં ઝાબાજ વહીવટદાર અભિષેક સુવાએ આખરે હોટલ ખાલી કરાવી કબ્જો મેળવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા એ આખરે બીજેપી નો ખેસ ધારણ કર્યો
ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા હતા, કે ચૈતરભાઈ વસાવા અને હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે.
રાજપીપળા બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંકમા ફરિયાદ : ખાતેદારો સાથે ગેરવર્તન બદલ ફરિયાદ થઈ
બેંક કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખા ને પાઠ ભણાવવા ખાતેદાર અને જાણીતા પત્રકાર ઈકરામ મલકે રિઝર્વ બેન્કના દ્વાર ખખડાવ્યા.
ગણપતિ બાપાની માટીની મૂર્તિ બનાવી પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતા કારીગરો
વડોદરામાં સાત દિવસીય મેળામાં ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાનમાંથી તાલીમ પામેલા ૭૩ કારીગરો થયા સહભાગી.
Gandhinagar: હવેથી ગુજરાતની આ 11 યુનિવર્સિટીઓ આવશે સરકાર હસ્તક, સ્ટૂડન્ટ પોલિટિક્સ ખતમ
ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે.