ગુજરાત
3642 लेख
નર્મદા પોલીસ NDRF તથા SDRF ટીમે પૂરના પાણીમાં ફસાયેલાં લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા
પોલીસ સ્ટાફ સાથે, NDRF તથા SDRF ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામડા ઓમાં પહોંચી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી જેમાં રાજપીપળા સહિત, માંગરોલ, તરસાલ, ગુવાર, હઝરપૂરા, તથા રૂંઢ ગામમાંથી કુલ 160 જેવા લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
18 અને 19 સપ્ટેમ્બર ના રોજ “સ્વચ્છ સ્ટેશન” થીમ ઉપર મંડળના તમામ સ્ટેશનો ઉપર સારી રીતે સફાઈ કરવામાં આવી
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 16 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા પખવાડીયું ખૂબ ધામધૂમથી ઉજવવમાં આવી રહ્યું છે. સ્વચ્છતા પખવાડીયામાં દરરોજ અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે.
ડેન્ગ્યુનાં વાવર ટાણે રાજપીપળાની એક ખાનગી લેબમાં ખોટા રિપોર્ટ અપાતા હોવાની બૂમ : પગલાં જરૂરી
સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા, રાજપીપળાની એક ખાનગી લેબોરેટરીની ડોકટરો સાથે સાઠગાંઠ હોય તે ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપી દર્દીઓને છેતરતા હોવાની બૂમ.
ગણેશ ચતુર્થી નિમિત્તે રાજપીપળા રત્ન ગણેશ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
રાજપીપળા શહેરમાં અનેક જગ્યાએ ગણેશ પ્રતિમાની સ્થાપના કરી યુવા મંડળો આ પર્વની શાનદાર ઉજવણી કરશે.
બર્ક ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા
વર્ષોથી કોરોના પુર જેવી ગમે એ મુસીબતનાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા બર્ક ફાઉન્ડેશન નાં સંચાલકોની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે, હાલની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા બર્ક ફાઉન્ડેશનની ટીમ તુરતજ જરૂરિયાતમંદોની મદદે દોડી.
નિવાલ્દા ગામના મોતીનગરમા સસરાનાં ત્રાસ થી પુત્રવધૂએ આપઘાત કરતા સસરા વિરૂદ્ધ ગુનો દાખલ
સસરાએ પુત્રવધૂને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થતા પોલીસે તપાસ હાથ ધરી.
માંગરોલ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી મોટું નુકસાન
ઘઉં 104 કટ્ટા,ચોખા ૭૦ કટ્ટા, ખાંડ 15 કટ્ટા,, તેલ 26 કાર્ટુન, એમ ડી એમ, આઇસીડીએસ ચણા સહિતનો જથ્થો પાણીમાં ગરકાવ, ધાનપોર ગામ માં કેળ,પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન,સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન જેવો સામાન તણાઇ ગયો.
મેરી મિટ્ટી મેરા દેશ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા પીઆઈબી અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આજે પીઆઈબી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અને હિન્દી પખવાડા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: રાજ્યના ગોધરા, શહેરા અને વિરપુરમાં ૯ ઇંચથી વધુ વરસાદ
તલોદ, બાયડ, ધનસુરામાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો: અન્ય પાંચ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૫.૧૭ ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૮.૫૨ ટકા વરસાદ નોંધાયો.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ
રાજ્યની મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જળસંગ્રહ: ૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન
લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર ચેક-અપ કરવામાં આવશે જે અન્વયે બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી ચેક-અપ માટે આશીર્વાદ ફાઉન્ડેશનમાં બોલાવવામાં આવશે.
કટક નેતાજી બસ ટર્મિનલ (CNBT): પૂર્વ ભારતમાં ભારતનું સૌથી મોટું બસ ટર્મિનલ
કટક, ઓડિશાના સહસ્ત્રાબ્દી શહેર, નવા કટક નેતાજી બસ ટર્મિનલ (CNBT) ના ઉદ્ઘાટન સાથે તેના પરિવહન માળખામાં એક મોટી છલાંગ લગાવી છે. CNBT એ એક અત્યાધુનિક સુવિધા છે જે મુસાફરો માટે મુસાફરીના અનુભવને પરિવર્તિત કરવા અને પ્રદેશમાં પ્રવાસનને વેગ આપવા માટે તૈયાર છે.
પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વાલ્મિકી સમાજના સભ્ય ચીમનભાઈ સોલંકીએ શપથ લીધા
પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે આજે વાલ્મીકી સમાજના સભ્ય ચીમનભાઈ સોલંકીએ શપથ લીધા હતા. શહેરમાં અત્યારથી જ શરૂ થયેલા વિકાસના કામો ચાલુ રાખવા અને તેના વધુ વિકાસ માટે જરૂરી પ્રયાસો કરવા તેમણે વચન આપ્યું હતું.
આર્ટસ કોલેજ ના વિધાર્થીઓ અમદાવાદ મુકામે આત્મહત્યા વિષય પર આયોજિત એક દિવસીય સેમિનાર મા જોડાયા
ગુજરાતના મોડાસામાં આવેલી શ્રી એસ.કે.શાહ અને શ્રી ક્રિષ્ના ઓએમ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ મેન્ટલ હેલ્થ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આયોજિત આત્મહત્યા નિવારણ અંગેના એક દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો. સેમિનારનું નેતૃત્વ ડો. મોહમ્મદ હફીઝ કઠિયારા, અધ્યક્ષ, મનોવિજ્ઞાન વિભાગ, શ્રી એસ.કે. શાહ અને શ્રી કૃષ્ણ ઓએમ આર્ટસ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું.
સલામત અને શાંતિપૂર્ણ ગણેશોત્સવની ઉજવણી સુનિશ્ચિત કરવા વઘઈ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી
ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશને આગામી ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, ગણેશ મંડળના આયોજકો અને અન્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી.
ડાંગ જિલ્લામાં સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી ટિપ્પણી કરવા બદલ બે લોકોની ધરપકડ
ગુજરાતના ડાંગ જિલ્લામાં સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી ટિપ્પણી કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહેશ ગિરધર આહીરે અને જીતેશે હિન્દુ સમુદાયની લાગણી દુભાય તેવા અપમાનજનક લખાણ સાથે ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો પોસ્ટ કર્યો હતો.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા નવીન ટીમની રચના કરવામાં આવી
પ્રાથમિક શિક્ષણ સંઘ લીમખેડા નવીન ટીમ (PELN ટીમ) ની રચના લીમખેડા તાલુકા, દાહોદ જિલ્લા, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના મિશન સાથે કરવામાં આવી છે. નવી ટીમનું નેતૃત્વ શ્રી શાનુભાઈ ભાભોર પ્રમુખ તરીકે, શ્રી હિમાંશુભાઈ પટેલ મંત્રી તરીકે અને શ્રી મયંકભાઈ લબાના સંગઠન મંત્રી તરીકે કરે છે.
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો, જેને પગલે હાઈ એલર્ટ, દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ઉમરિયા ડેમ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો છે. ડેમ હવે પાણીથી ભરેલો છે અને હાલનું સ્તર હાઈ એલર્ટ સ્ટેજ પર છે.
રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપી ને પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ
અમરેલી એલસીબીની ટીમે રાજુલા પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર દ્વારા નોંધાવેલ મોબાઈલ ચોરીના કેસમાં આરોપીને મોબાઈલ સાથે ઝડપી લીધો. આરોપીની રાજુલા બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.