ગુજરાત
3641 लेख
મહીસાગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ
મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ હતી જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ભાજપના વિજેતા થયા હતા.
કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે નોલેજ ટ્રાન્સફર" પર આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ ઢાકા, બાંગ્લાદેશ ખાતે યોજાયો
બાંગ્લાદેશ, કંબોડિયા, વિયેટનામ, થાઈલેન્ડ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, મલેશિયા, ફિલિપાઈન્સ, ફિજી અને ઈન્ડોનેશિયા સહિત ૨૪ દેશના સભ્યોએ ભાગ લીધો હતો વડોદરાના કિસાન નેતા વિપિનચંદ્ર આર પટેલ, ભારતમાંથી એકમાત્ર પ્રતિનિધિ સહભાગી તરીકે આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દેખો ઇન્સ્યોરન્સ, સ્ટેડીયમ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, શ્રી એન પી શર્મા – કન્સલ્ટન્ટ, દેખો ઇન્સ્યોરન્સના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી કિન્નરીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
જાહેરમાં મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને પકડી પડતી રાજુલા પોલીસ ટીમ
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ જુગાર / દારૂની બદિઓ દુર કરવા માટે સધન પેટ્રોલિંગ રાખી સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના.
ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં પદ માટે મેન્ડેન્ડ મળેલ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ડાંગ જિલ્લા પંચાયતની મહિલા એસટી પ્રમુખ પદનાં બેઠક માટે બે મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરતા આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો...
ગલતેશ્ર્વર તાલુકા પંચાયતમા પ્રમુખ ઉપ પ્રમુખની વરણી
ખેડા જિલ્લા ના ઠાસરા વિધાનસભા વિસ્તાર ના ગલતેશ્ર્વર તાલુકા મા ભાજપ સાસિત તાલુકા પંચાયત ની ટમૅ પુરી થતા નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામા આવી.
મોડાસા ટાઉનહોલ ખાતે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા, લાભાર્થીઓને આયુષ્માન અને આભા કાર્ડનું વિતરણ કરાયું.
રાજપીપળામાં ફિલ્ટર પ્લાન્ટ 9 વર્ષ બાદ પુનઃ ચાલુ કરાયો, ફિલ્ટરવાળું શુદ્ધ પાણી હવે નગરજનોને મળશે
કરજણ ડેમમાંથી પાણી લઇ શુદ્ધ કરવા છતાં ઘરોમાં ડહોળું પાણી આવતી હોવાની બૂમથી પ્લાન્ટ બંધ કરવો પડયો હતો. જે અલગ સ્ટોરેજ સંપ બનાવી પાણી શુદ્ધ કરાયું.
રેલ મંત્રાલયે અમદાવાદ મંડળના ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી
રેલ મંત્રાલયએ બહુપ્રતિક્ષિત ત્રણ રેલવે ઓવર બ્રિજોને અમ્બ્રેલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની મંજૂરી આપી. આ પ્રોજેક્ટ લગભગ 340 કરોડના ખર્ચે કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 11, ખોડિયાર-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 13 અને કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 9 પર ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.
અમદાવાદ મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ચોથી બેઠકનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે તા. 13-09-2023ના રોજ મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની ચોથી બેઠકનું આયોજન મંડળના કાર્યાલયમાં કરવામાં આવ્યું. આ બેઠકમાં હાજર સભ્યોએ પોતપોતાના ક્ષેત્ર સંબંધિત તમામ સુવિધાઓને વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા અને તેમની યોગ્ય માગણીઓ અંગે સકારાત્મક ચર્ચાવિચારણા કરી.
અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી
સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્તના સમાજના થીમ સાથે ફોર્ચ્યુન સુપોષણ દ્વારા નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસના સંયુક્ત પ્રયાસથી સમાજમાં હકારાત્મક બદલાવ માટે પહેલ કરવામાં આવી છે.
લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહીં* સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ
કોઠંબા તાલુકામાં સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુએ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે જ્યાં શિવાલય છે ત્યાં શાંતિ છે. શિવાલયની આજુબાજુની ભૂમિ છે તે તીર્થ છે તેની આજુબાજુમાં રહેતો અજાણ્યો મનુષ્ય પોતાનો જીવ છોડે ચાહે તે પાપી હોય તો પણ તે શિવલોકનો અધિકારી છે અને તે શિવગતિને પામે છે.
સિકંદરાબાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગે ચાલશે
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનના માકુડી-સિરપુર ટાઉન-સિરપુર કાગજનગર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશ્નિંગ અંગે પ્રી-નોન ઇન્ટરલોકિંગ/નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તત માર્ગે દોડશે. વધુ વિગત માટે આગડ વાંચો.
આત્મહત્યા કોઈ સમસ્યાનું નિવારણ નથી એ વિષય પર તિલકવાડા પોલીસનું સરાહનીય કાર્ય
નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાતનું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદનું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા જિલ્લાના લાછરસ ગામનું તળાવ અમૃત સરોવર બનાવી ગ્રામજનોને સોંપાયું
નાંદોદ તાલુકાના લાછરસ ગામે આવેલ મોટું તળાવ જેને જેસીબી કંપનીના સીએસઆર ફંડમાંથી લેડી બેંમફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ દ્વારા આ તળાવને ઊંડું કરી આજુબાજુ પેવરબ્લોક ગ્રીલ લગાડી એક કિલોમીટર જેટલો વોકવે બનાવી અને સુંદર ફૂલોના વૃક્ષો વાવીને સુંદર બનાવી અમૃત સરોવર તૈયાર થયા બાદ ગ્રામજનોને સોંપવામાં આવ્યું.
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી
રમુખની સીટ રોસ્ટરમાં SC મહિલા સીટ હતી સાશક પક્ષ પાસે યોગ્ય ઉમેદવાર નહિ હોવાથી સીટ બદલાવી જનરલ મહિલા કેટેગરી કરાવી હોવાનો વિરોધપક્ષનો આક્ષેપ સાથે વિરોધ પક્ષનો વોક આઉટ.
નર્મદા જિલ્લાના ઉમેદવારોએ આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાને હૂંડી સ્વરૂપે આવેદન આપ્યું
જ્ઞાન સહાયક રદ કરાવવા માટે ઉમેદવારો પોહંચ્યા આદિવાસી કુળદેવી યાહા મોગી માતાના શરણે, જે નીતિથી શિક્ષકનું જ પોતાનું ભવિષ્ય નિશ્ચિત નહીં હોય તો તે બાળકોનું ભવિષ્ય કઈ રીતના બનાવશે, નવી શિક્ષણ નીતિ - ૨૦૨૦ ના નામે ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા રજૂઆત
નેત્રંગથી ચોરી કરેલી મોટર સાયકલ ડેડીયાપાડા વિસ્તારમાંથી લઇ જતા સખ્સને નર્મદા એલ.સી.બી.એ ઝડપી લીધો
એક વર્ષ અગાઉ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ તેમજ મોટર સાઇકલ ચોરીની છે તે બાબતે કોઇને ખબર ન પડે તે માટે પોતે ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાની હક્કીકત જણાવતા આં ઇસમ પાસેથી કબજે કરી મો.સા.જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તેને અટક કરવામાં આવ્યો હતો.
એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું
એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આયુષ્માન ભવ : યોજનાનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે આયુષ્માન ભવ:નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો.