ઇન્ડિયા
11587 लेख
સુરતનો ડંકો: ૧૬મી સદીનું બંદર હવે બન્યું વિશ્વનું 'સિલ્ક સિટી', વાર્ષિક ટર્નઓવર ૧.૫ લાખ કરોડ!
ઐતિહાસિક વિરાસત અને આધુનિક વિકાસના સંગમ સમાન સુરત શહેર આજે વિશ્વના 'સિલ્ક સિટી' તરીકે ઉભરી આવ્યું છે. ૧૬મી સદીના વેપારી મથકથી શરૂ થયેલી સફર આજે ૧.૫ લાખ કરોડના વાર્ષિક ટર્નઓવર અને ૨૦ લાખ રોજગારી સુધી પહોંચી છે. ભારતના ૯૦% આર્ટ સિલ્કનું ઉત્પાદન કરતું સુરત હવે VGRC 2026 ના માધ્યમથી વિદેશી રોકાણ (FDI) અને નવી ટેકનોલોજી આકર્ષવા તૈયાર છે.
સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ: 1 મે થી 5 મે દરમિયાન યોજાશે ભવ્ય રિજનલ એક્ઝિબિશન (VGRE)
ગુજરાત સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) અને એક્ઝિબિશન (VGRE) ની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 થી 5 મે 2026 દરમિયાન યોજાનાર આ પ્રદર્શન 12,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હશે. જેમાં ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, અને કેમિકલ્સ જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ભગવંત માન સરકારની મોટી સફળતા: 4 વર્ષમાં 8.7 કરોડ નશાની ગોળીઓ અને 5,979 કિલો હેરોઈન જપ્ત
મુખ્યમંત્રી ભગવંત માન ના નેતૃત્વ હેઠળ પંજાબમાં "War on Drugs" અભિયાન નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. 2022 થી 2026 વચ્ચે રાજ્યમાં નશાના કેસોમાં સજાનો દર વધીને 84% થયો છે, જે ન્યાયિક પ્રણાલીની મજબૂતી દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન 8.7 કરોડ નશાની ગોળીઓ, 5,979 કિલો હેરોઈન (148% વધારો) અને 3,583 કિલો અફીણ જપ્ત કરવામાં આવ્યું છે.
મંદિર ચોરી ગેંગનો ભેદ ઉકેલાયો ધોળકામાં
મંદિર ચોરી ગેંગનો ભેદ ઉકેલીને ધોળકા પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો.
ભાજપની રણનીતિ સામે ભગવંત માનનો કડક જવાબ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પક્ષપલટા અને રાજનીતિને લઈને તેમણે શું કહ્યું? જાણો વિગતવાર.
આપ નેતાઓની મોટી બગાવત: ૭ સાંસદો ભાજપમાં જોડાયા
પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ૭ રાજ્યસભા સાંસદો ભાજપમાં સામેલ થતાં રાજકીય ખળભળાટ. જાણો સમગ્ર ઘટનાક્રમ અને આપની પ્રતિક્રિયા.
દુર્વેસમાં દિવ્યતાનો ઉદય: BAPS મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દુર્વેસ ગામે BAPS સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંદિરને શ્રદ્ધા, સેવા અને નૈતિક મૂલ્યોનું પવિત્ર કેન્દ્ર ગણાવ્યું હતું. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી નિર્મિત આ મંદિર યુવાનોને સકારાત્મક દિશા આપવાની સાથે સમાજમાં એકતા અને સંવાદિતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મનીષ સિસોદિયા એ સુરેન્દ્રનગર પ્રચંડ જનસભા સંબોધી
મનીષ સિસોદિયા (Manish Sisodia) સુરેન્દ્રનગરની જનસભામાં ભાજપ પર પ્રહાર કર્યા. ખેડૂતો અને શિક્ષણના હિત માટે AAPને વોટ આપવા અપીલ. વધુ જાણવા માટે અહીં વાંચો.
પંજાબ શિક્ષણ ક્રાંતિ હેઠળ પુસ્તક વિતરણમાં મોટા સુધારા
પંજાબ શિક્ષણ ક્રાંતિ (Punjab Education Revolution) હેઠળ ખાનગી શાળાઓમાં પુસ્તકોના વેચાણમાં ઈજારો ખતમ થયો છે. વાલીઓને 15% છૂટ મળશે. વિગતો માટે વાંચો.
પંજાબ શિક્ષણ ક્રાંતિ માં ટુરકુ યુનિવર્સિટી સાથે જોડાણ
પંજાબ શિક્ષણ ક્રાંતિ (Punjab Education Revolution) હેઠળ ફિનલેન્ડની મદદથી શિક્ષણમાં સુધારો થયો છે. નવી પદ્ધતિઓ જાણવા માટે અત્યારે જ આ અહેવાલ વાંચો.
૧૦૪ વર્ષની વયે પણ મતદાનનો થનગનાટ: વડોદરાના 'સવિતા બા' બન્યા લોકશાહીની જીવંત પ્રેરણા
વડોદરાના મંજલપુરમાં રહેતા ૧૦૪ વર્ષીય સવિતા મંગળદાસ શાહ (સવિતા બા) ૨૦૨૬ની નગરપાલિકા ચૂંટણીમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહમાં છે. જેઓએ સ્વયં મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી છે અને દાંડી યાત્રાના સાક્ષી રહ્યા છે, તેવા સવિતા બાએ અત્યાર સુધીની કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યું નથી. નિયમિત અને ધાર્મિક જીવન જીવતા બાએ આ વર્ષે પણ પરિવાર સાથે મતદાન કરવાનો દૃઢ નિશ્ચય કર્યો છે.
મિર્ઝાપુર-રેવા હાઈવે પર કાળમુખો અકસ્માત: બે ટ્રકો વચ્ચે બોલેરો કચડાઈ, 6 મુસાફરો જીવતા ભૂંજાયા
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર-રેવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. ડ્રમડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બડકા મોડ પાસે, એક ટ્રકની બ્રેક ફેઈલ થતાં તેણે આગળ જતી બોલેરો SUVને જોરદાર ટક્કર મારી હતી. બોલેરો આગળ જતી અન્ય એક ટ્રક અને પાછળની ટ્રક વચ્ચે કચડાઈ જતાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપી હતી કે વાહનમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક મળી ન હતી અને તેઓ જીવતા બળી ગયા હતા.
VMC ચૂંટણી ૨૦૨૬: ફરજ સાથે નાગરિક ધર્મ, હજારો કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા આપ્યો મત
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ પૂર્વે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ મતદાન વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાયેલા આ મતદાનમાં વોર્ડ નંબર ૧ થી ૧૯ ના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 24 અને 25 એપ્રિલે નહીં દોડે, જાણો તમારી ટ્રેનનું નવું શિડ્યુલ
અજમેર મંડળના અજમેર–પાલનપુર રેલખંડ પર જવાલી અને રાની સ્ટેશનો વચ્ચે બ્રિજ રિપેરિંગની કામગીરીને કારણે રેલવે ટ્રાફિકને અસર થઈ છે. 23 થી 25 એપ્રિલ 2026 દરમિયાન સાબરમતી-જોધપુર એક્સપ્રેસ જેવી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, જ્યારે બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી અને બેંગલુરુ-જોધપુર જેવી મહત્વની ટ્રેનોને મહેસાણા-ભીલડી-લૂણી ડાયવર્ટ કરવામાં આવી છે.
ચૂંટણી પંચ એક્શનમાં: મલ્લિકાર્જુન ખડગેને 'આતંકવાદી' શબ્દના પ્રયોગ બદલ જવાબ આપવા આદેશ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'આતંકવાદી' ગણાવતા ભારતીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી પંચે આ ટિપ્પણીની ગંભીર નોંધ લઈ ખડગેને નોટિસ પાઠવી છે અને 24 કલાકમાં ખુલાસો માંગ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ પંચ સમક્ષ હાજર થઈ ખડગે વિરુદ્ધ આકરા પગલાં લેવાની માંગ કરી હતી.
ચાણસ્મા એસટીના ડ્રાઈવર-કંડકટરે 23 હજારનો મોબાઈલ પરત કર્યો
ચાણસ્મા-સુણસર રૂટની બસમાં મુસાફરનો રૂ. 23,000નો મોબાઈલ ખોવાયો હતો, જે ડ્રાઈવર અને કંડકટરે પરત કરી પ્રમાણિકતા દાખવી.
પંજાબમાં બાગાયત તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે: નેધરલેન્ડની તર્જ પર ખેતીમાં બદલાવ
પંજાબમાં બાગાયત તાલીમ કેન્દ્રની સ્થાપના માટે પંજાબ સરકાર અને નેધરલેન્ડ વચ્ચે સમજૂતી. વર્લ્ડ હાર્ટી સેન્ટરની તર્જ પર ટેકનોલોજી આધારિત ખેતીને મળશે પ્રોત્સાહન.
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા: "ભાજપના ગુંડારાજને ઉખેડી ફેંકો", જૂનાગઢમાં હુંકાર
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભામાં ગર્જના: "૭૦૦ સીટો બિનહરીફ કરી ભાજપે લોકશાહીનું ગળું ટૂંપ્યું". પરિવર્તન માટે AAP ને જીતાડવા હાકલ. વાંચો
ગુજરાત પોલીસનો મોટો સપાટો: ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
ગુજરાત સરકારે નશીલા પદાર્થો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવતા વધુ પાંચ રીઢા આરોપીઓની PIT NDPS Act હેઠળ અટકાયત કરી છે. DGP (CID Crime) ડૉ. કે.એલ.એન. રાવના આદેશથી રાજકોટ, બનાસકાંઠા, નવસારી, જુનાગઢ અને અરવલ્લીમાં આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
છત્તીસગઢ બ્રેકિંગ: વેદાંત પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટથી ભારે તબાહી, શોકગ્રસ્ત પરિવારોમાં માતમ
છત્તીસગઢના શક્તિ જિલ્લાના સિંઘીતરાયમાં આવેલા વેદાંત પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે એક ભયાનક બોઈલર વિસ્ફોટ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 કામદારોના મોત થયા છે અને આશરે 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી 20ની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે.