આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીના કિસાન નેતા પ્રવિણ રામે જેલમુક્ત થયા બાદ ઘેડ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. સરકારે ઘેડ માટે જાહેર કરેલી ₹1423 કરોડની વહીવટી મંજૂરી પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, છ મહિના પહેલા પદયાત્રા વખતે પણ આ જ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. પ્રવિણ રામે માંગ કરી છે કે સરકાર વાહવાહી કરવાનું છોડીને તાત્કાલિક ધોરણે નદીઓ ઊંડી અને પહોળી કરવાનું કામ સમુદ્ર તરફથી શરૂ કરે.
આજે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિકાસ બજેટમાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે 1.25 કરોડની વસ્તી સામે માત્ર 5425 કરોડનું ફંડ અત્યંત ઓછું છે. વસાવાએ ખોટા આદિજાતિ સર્ટિફિકેટ મેળવી નોકરી અને રાજકારણમાં ઘૂસી ગયેલા લોકોને દૂર કરવા, પેસા એક્ટ હેઠળ ગ્રામસભાને સર્વોપરી ગણવા અને વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને જમીનનો સંપૂર્ણ કબજો આપવાની માંગ કરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા તેજ કરી છે. 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે સ્ક્રુટિની કમિટીઓ દ્વારા દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ત્યારબાદ, 16 થી 18 માર્ચ દરમિયાન પ્રદેશ કક્ષાએ નામો પર મંથન થશે.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં પ્રવર્તતી LPG કટોકટી માટે કેન્દ્ર સરકારની વિદેશ નીતિને જવાબદાર ઠેરવી છે. તેમણે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને અમેરિકાના દબાણ હેઠળ રશિયા પાસેથી તેલ-ગેસની ખરીદી મર્યાદિત કરવાથી દેશને ₹8 ટ્રિલિયનનું નુકસાન થયું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુરદાસપુરના કાહનુવાન અને કાદિયન વિસ્તારમાં ₹168.44 કરોડ ના ખર્ચે બનેલા 497 કિલોમીટર ના રસ્તાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલી જનસભામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે AAP સરકારે મહિલાઓને દર મહિને ₹1,000 આપવાનું વચન પૂર્ણ કર્યું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ વિધાનસભામાં રાજ્ય સરકારની ચાર વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ રજૂ કરી છે. તેમણે જાહેરાત કરી કે પંજાબના દરેક પરિવારને હવે ₹10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર મળશે, જે માટે 900 હોસ્પિટલોની યાદી તૈયાર છે. મહિલા સશક્તિકરણ માટે દર મહિને ₹1000 થી ₹1500 ની સહાય, મફત વીજળી અને મફત બસ મુસાફરી જેવી સુવિધાઓ અમલમાં છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાતના ઉદ્યોગો પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે ગેસ સપ્લાયમાં 50% કાપ મુકવામાં આવ્યો છે અને કોમર્શિયલ ગેસના ભાવમાં ₹114 નો વધારો થયો છે. રાજકોટ અને મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સહિત રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની અને ફેક્ટરીઓને તાળા મારવાની સ્થિતિ ઊભી થઈ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે દાવેદારો સાથે બેઠકો યોજાશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગોપાલ ઇટાલીયાએ આપેલી માહિતી મુજબ, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાનમાં "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધશે અને ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચે સુરતના ગોથાણ ખાતે ભવ્ય ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 25,000 કાર્યકરો હાજર રહેશે. આ પ્રવાસ દ્વારા AAP ગુજરાતમાં સંગઠન અને ખેડૂત લક્ષી મુદ્દાઓ પર ભાર મૂકી રહી છે.
આમ આદમી પાર્ટીની "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગરના ચાચકા ગામ પહોંચી હતી, જ્યાં ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોટાદ-હડદડ કાંડમાં જેલવાસ ભોગવીને આવેલા ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા વીજળીના દરમાં ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રના પ્રથમ દિવસે સરકારે ઘરેલુ ગ્રાહકો માટે પ્રતિ યુનિટ ₹1.50, વાણિજ્યિક એકમો માટે 79 પૈસા અને ઉદ્યોગો માટે 74 પૈસા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. નવા દરો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે, જેનાથી રાજ્યના ગ્રાહકોને અંદાજે ₹7,851.91 કરોડ ની મોટી રાહત મળશે.
દિલ્હી વિધાનસભા સંકુલમાં આવેલા 'ફાંસી ઘર' (Gallows) મુદ્દે સર્જાયેલા વિવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈ કેજરીવાલે જણાવ્યું કે, જે સ્થળે સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવતી હતી તેને ભાજપ સરકાર 'ટિફિન રૂમ' ગણાવીને શહીદોનું અપમાન કરી રહી છે.
અમદાવાદની SVP હોસ્પિટલમાં ગીરાબેન સોની નામના વૃદ્ધાના અપમૃત્યુને પગલે આમ આદમી પાર્ટીના નેતા વિનોદ પરમારે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. વિનોદ પરમારે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી, PMJAY યોજનાના જટિલ નિયમો અને ICUમાં યોગ્ય દેખરેખના અભાવે આ ઘટના બની છે.
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગર પહોંચતા નેતા પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્યમાં દારૂ સરળતાથી મળે છે પરંતુ પીવાનું પાણી મેળવવા મહિલાઓએ વલખાં મારવા પડે છે. સુરેન્દ્રનગરમાં ડેમ ભરેલો હોવા છતાં 5 દિવસે પાણી મળે છે તે ગંભીર બાબત છે.
આમ આદમી પાર્ટી (AAP) અમદાવાદ શહેર સમિતિ દ્વારા પીરાણા ડમ્પસાઇટના કચરાના પહાડને સમયસર દૂર ન કરવા બદલ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે રાજકોટ જિલ્લાના જસદણના આંબડી ગામે ખેડૂતો સાથે મળીને ખેતરમાં પકવેલા પાક અને સરકારના બજેટના કાગળિયાની હોળી કરી સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે પાક પકવ્યા બાદ પણ યોગ્ય વળતર મળતું નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સુધી ખેડૂતોની નારાજગીનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો અને બજેટમાં કરવામાં આવેલી અવગણના વિશેની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ અહેવાલ વાંચો.
પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જસદણ પહોંચી. પ્રવીણ રામે ભાજપ પર ભ્રષ્ટાચાર અને ખેડૂતો પર દંડ-દરોડાના આરોપ લગાવ્યા. સિંચાઈ, વીજળી, પાક ભાવના મુદ્દા ઉઠાવ્યા. 8 માર્ચે અરવિંદ કેજરીવાલ સાથે મહાસભા.
AAPની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા રાજકોટ-ગોંડલ પહોંચી. પ્રવિણ રામે ખેડૂતો પર પોલીસ અત્યાચાર અને જીગીશા પટેલ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો, ગુજરાતના ખેડૂતો માટે ન્યાયની માંગ.
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જુનાગઢ અને અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો 8-10 વર્ષથી પરંપરાગત વીજ કનેક્શન માટે ધક્કા ખાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે સંતાન મર્યાદા રદ્દ કરવાની માંગ કરી છે. રાજસ્થાન સરકારે તાજેતરમાં પંચાયતી રાજ એક્ટ 1994ની કલમ 19 અને મ્યુનિસિપાલિટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની આ જોગવાઈ રદ્દ કરીને પ્રગતિશીલ નિર્ણય લીધો છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા દરમિયાન ફોર્મ 7 (નામ કમી) ભરનારા સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે 17-18 જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં હજારો ફોર્મ ભરાયા, જેનાથી લોકોમાં ડર ફેલાયો.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામે જામનગરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કર્યા. “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા દરમિયાન તેમણે જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં સ્માર્ટ મીટર મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભાજપ જીત્યું તો બીજા જ દિવસે સ્માર્ટ મીટર લાગશે, વીજળી બિલ વધશે. ખેડૂતોને યોગ્ય ભાવ, ખાતર-બિયારણ ન મળવા અને ટ્રેડ ડીલથી નુકસાનની ચિંતા વ્યક્ત કરી.
AAP ધારાસભ્ય હેમંત ખવા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ખેડૂત નેતા પ્રવીણ રામ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મોં મીઠુ કરાવીને ઉજવણી કરી.
આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો,આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો : દુર્ગેશ પાઠક AAP
પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતાં AAPમાં નવી ઊર્જા. ચૈતર વસાવાએ કહ્યું - ભાજપના દુરુપયોગ પછી સત્ય જીત્યું, ગુજરાતના કાર્યકરો ઉત્સાહિત. આવનારા દિવસોમાં સત્ય ખુલ્લું પાડીશું.
હજારો વખત જૂઠું બોલીને AAPને નષ્ટ કરવાનો પ્રયાસ. કોર્ટે કહ્યું - કોઈ પુરાવો નથી. ગોપાલ રાયે કહ્યું - એજન્સીઓનો દુરુપયોગ કરી સત્તા ટકાવી છે ભાજપે. લોકતંત્ર જીવંત છે.
ભાણખોખરીમાં AAP જનસભા: ઈસુદાન ગઢવીએ કંપનીઓ દ્વારા પોલીસ ભાડે લેવાનો ખુલાસો કર્યો. ફાર્મહાઉસ વેચીને ખેડૂતો-મહિલાઓને મદદ. 8 માર્ચે ગાંધીનગરમાં મહાસંમેલન.
ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં સસ્તા અનાજ વિતરણ અને શહેરી વિકાસના મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૫૨ કરોડ રૂપિયા માત્ર દુકાનદારોના કમિશન પાછળ ખર્ચાયા છે, જે ગરીબોને મળતા અનાજની કિંમત કરતા વધુ છે.
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકાર અને નાયબ મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા છે. બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે ડેડિયાપાડામાં કાઢવામાં આવેલા રાજકીય વરઘોડા સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.
ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું.
"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.
આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા સોમનાથથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ 108 દિવસની જેલ બાદ પ્રથમ વખત ખેડૂતોને મળવા આવી રહ્યા છે. આ યાત્રા 26 ફેબ્રુઆરીએ જામખંભાળિયાના ભાણખોખરી પાટિયા પાસે સાંજે 6 વાગ્યે મોટી સભા યોજશે, જ્યાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહેશે.
આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા સોમનાથ મહાદેવના આશીર્વાદથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને યુવા નેતા પ્રવીણ રામની આગેવાનીમાં આ યાત્રા ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વેપારીઓના હિતો માટે પરિવર્તનનો સંકલ્પ લઈને નીકળી છે. આવતીકાલે તા. 26 સાંજે 6 વાગ્યે ખંભાળિયા વિધાનસભાના ભાણખોખરી ગામે મહાસભા યોજાશે.
26 ફેબ્રુઆરી સાંજે 6 વાગે જામખંભાળિયા ભાણખોખરી પાટિયા પાસે AAPની 'પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા' જનસભા. ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા હાજર. પાક ભાવ, કડદા, હાઈ ટેન્શન, પશુપાલન મુદ્દે અવાજ. ખંભાળિયા-દ્વારકા વાસીઓ મોટી સંખ્યામાં પધારો.
સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા ગયેલા AAP નેતા પર હુમલો થતા કાનૂની અને લોકશાહી લડત ચાલુ રહેશે : ગૌરી દેસાઇ
લોકોની ફરિયાદ સાંભળવા ગયેલી AAP નેતા પર પથ્થર-લાફા, કાર તોડી. મનોજ સોરઠીયા: 30 વર્ષથી કામ ન કરી શકતા ભાજપ હવે હિંસા કરે છે.
હસનાપુર ગામમાં આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી અને વિધાનસભામાં સરકાર વાહવાહી લૂંટે છે : ઇટાલિયા
નર્મદા પરિયોજનાનું પાણી આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ, જંગલ વિસ્તારમાં રોડ કામો, અટકાવેલા બ્રિજ, રોડ અને રિસરફેસિંગના કામો તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોને લગતા પ્રશ્નોને પુરા કરવા કરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માંગણી.
પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર AAP નેતાઓ. ગામેગામ જઈ ખેડૂતોની તકલીફો સાંભળશે, ભાજપ સરકારના અત્યાચાર વિરુદ્ધ બુલંદ અવાજ.
AAP નેતા ગૌરી દેસાઈનો આકરો પ્રહાર: ડબલ એન્જિન સરકારમાં મહિલા અપરાધ વધ્યા, અમદાવાદથી અન્ય શહેરોમાં દુષ્કર્મ-છેડતી-અપહરણમાં વધારો. ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" પર સવાલ – ગુનેગારોને ડર કેમ નથી?
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ખુલાસો: નર્મદા-તાપીમાં શબવાહિની શૂન્ય, ટ્રેક્ટર-પિકઅપમાં શબ લઈ જવા પડે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વચ્ચે આ વરવી વાસ્તવિકતા! સરકારની બેદરકારી ઉજાગર.
AAP ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવીની અપીલ: ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સામે "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા શરૂ. ખેડૂતો, ભાગીયાઓ જોડાઓ.
આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.
AAP ગુજરાતે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ સામે મહા અભિયાન શરૂ કર્યું. સોમનાથથી યાત્રા શરૂ, 8 માર્ચે ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલ સાથે મહાજનસભા. ખેડૂતોના MSP, નકલી બિયારણ સમસ્યા ઉઠાવશે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે Trump tariffsને illegal જાહેર કર્યા. AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીનો આરોપ: મોટી જાહેરાતોથી ખેડૂતોને ભરમાવી લૂંટ ચાલે છે.
અમદાવાદ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર પ્રહાર. “30 વર્ષમાં રસ્તા-શાળા-હોસ્પિટલો ખરાબ, બજેટ લૂંટની યોજના છે”. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન, દેશ અમેરિકાને ગીરવે મૂકાયો. ભગવંત માન: “પંજાબમાં 10 લાખ આરોગ્ય વીમા, 24 કલાક વીજળી – ગુજરાતમાં કેમ નહીં?”. AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા-ચૈતર વસાવા હાજર. વિગતો જુઓ.
નર્મદા જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મજબૂત રજૂઆત. અધૂરા વિકાસ કામો માર્ચ અંત સુધી પૂર્ણ થાય, આંગણવાડી ફૂડ બિલ-પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ-કુંવરબાઈ મામેરા પેન્ડિંગ, વન વિભાગમાં રોજગારી-બ્રિજ કામોની માંગ. વિગતો જુઓ.
ધોળકા વિધાનસભામાં AAP મજબૂત બની. ખેડૂત નેતા સાગર રબારીની આગેવાનીમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ, જગદીશભાઈ મકવાણા સહિત સામાજિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા. જનહિત-વિકાસના મુદ્દાઓથી પ્રેરાઈને ખેસ પહેરાવી આવકાર – વિગતો જુઓ.
ગુજરાત સરકારે લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતા પાસેથી સૂચન મંગાવવાનો નિર્ણય લીધો – AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવકાર્યો. ચૈતર વસાવા: આદિવાસી દીકરીઓના ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે કડક કાયદો જરૂરી. હેમંત ખવા: લોકોની અપેક્ષા મુજબ કાયદો આવે તો પગપાળા જઈ CM-નાયબ CMનું સન્માન કરીશું. ખોટી ઓળખથી દીકરીઓના શોષણ પર રોક – વિગતો જુઓ.
ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા યોજના પર તીવ્ર પ્રહાર કર્યો.“નર્મદા-છોટાઉદેપુરમાં લાખો અરજીઓ સામે 13-18 દિવસનું કામ, 1.27 લાખમાંથી ફક્ત 200ને 100 દિવસ”. ફંડમાં કરોડોની ગેરરીતિ, ભાજપ મંત્રીના પુત્રો-જલારામ એન્ટરપ્રાઇઝ પર આક્ષેપ – જરૂર પડે તો રસ્તા પર આંદોલનની ચેતવણી. વિગતો જુઓ.
ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો-માછીમારોના મુદ્દા ઉઠાવ્યા. “ટેકાના ભાવે ખરીદી છતાં જૂનાગઢમાં 30-35 હજાર ખેડૂતોને બે મહિનાથી ચુકવણી નહીં, 128 માછીમારો પાકિસ્તાન જેલમાં, 3નાં મૃત્યુ”. વિસાવદરમાં હજારો એકર જમીન ‘અનામત જંગલ’ નોંધાઈ – સરકારને તાત્કાલિક ચુકવણી અને વતન વાપસીની માંગ. વિગતો જુઓ.
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબ CM ભગવંત માન સાહેબ 21-22 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે. 21મીએ અમદાવાદમાં મીડિયા સંબોધન અને પ્રદેશ નેતૃત્વ સાથે સ્થાનિક ચૂંટણી બેઠક, 22મીએ ભાવનગરમાં રાજુભાઈ સોલંકીના સમૂહ લગ્ન અને વલ્લભીપુરમાં મુરલીધર મંદિર પ્રતિષ્ઠા + રમેશ ઓઝાની કથામાં રસપાન. વિગતો જુઓ.
AAP ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા, ખેડૂતોને અન્યાય સામે વિરોધ – “શહેરોને ₹33,000 કરોડ, ગામડાઓને ₹14,000 – ગામડા 52% વસ્તી છતાં અન્યાય”. પોલીસે ગેટ પર અટકાવ્યા, “હું ખેડૂત પુત્ર છું, આ ટ્રેક્ટર છે ટેન્ક નથી” – સૌરાષ્ટ્રને ₹473 કરોડ, અમદાવાદને ₹600 કરોડની ફાળવણી પર આક્ષેપ. વિગતો જુઓ.
ગુજરાત બજેટને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિરોધી ગણાવ્યું. “આદિજાતિ ફંડમાંથી 1000+ કરોડ વપરાયા નહીં, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેરફારથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં”. કુપોષણ-આરોગ્ય-રોજગાર અવગણાયા, PM કાર્યક્રમમાં કરોડો ખર્ચાયા – આદિવાસીઓને જાગૃત થવા આહ્વાન. વિગતો જુઓ.
ગુજરાત બજેટને AAP નેતા પ્રવીણ રામે ખેડૂતવિરોધી ગણાવ્યું, “પાક વીમા છતાં ફાયદો નહીં, કુદરતી આફતોમાં રાહત નહીં, ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાયું”. સીધી સહાય અને પાક સુરક્ષા માટે કોઈ મોટી યોજના નહીં – સરકાર પર આક્ષેપ. વિગતો જુઓ.
ગુજરાત બજેટને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વખોડ્યું. “ખેડૂતો માટે MSP-મફત વીજળી નહીં, યુવાનો માટે ભરતી કેલેન્ડર નહીં, મહિલાઓ-આદિવાસીઓ માટે કંઈ નહીં – કોપી-પેસ્ટ બજેટ”. MSME અપર્યાપ્ત, ગામડા પલાયન ન અટક્યું – જનતા ચૂંટણીમાં જવાબ આપશે. વિગતો જુઓ.
AAPએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે 10 સભ્યોની રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર કરી! અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા સહિત મજબૂત ટીમ. એકલા હાથે તમામ સીટો પર લડશે, એક મહિનામાં ઉમેદવારો ફાઈનલ – 7 ઝોનલ સમિતિઓ રચાશે. વિગતો જુઓ.
ગુજરાત બજેટમાં AAPની મોટી માંગો! ગોપાલ ઈટાલીયા: 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી, સરકારી શાળા-દવાખાના મજબૂત, AI યુનિવર્સિટી સ્થાપના, આદિવાસીઓને જમીન ફાળવણી અને ગામડા-શહેર પલાયન અટકાવવા વ્યાપક યોજના. જનહિત આધારિત બજેટની અપેક્ષા – વિગતો જુઓ.
ગુજરાત વિધાનસભા સત્રમાં AAP ધારાસભ્યોએ “વિધાનસભા લાઈવ કરો”ના નારા લગાવ્યા. ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટનું ઉદાહરણ આપીને લાઈવ પ્રસારણની માંગ કરી. “લોકશાહીની હત્યા બંધ કરો” – વિગતો જુઓ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી હોસ્પિટલમાં દાખલ. તેઓ સવારે થોડા સમય માટે ફોર્ટિસ હોસ્પિટલ છોડીને ગયા હતા અને મોગામાં રેલીને સંબોધિત કર્યા પછી મોડી સાંજે પાછા ફર્યા હતા.
અરવિંદ કેજરીવાલે મોગામાં કહ્યું – અકાલી, ભાજપ અને કોંગ્રેસે પંજાબને ડ્રગ્સમાં ડુબાડ્યું; AAP તેને મુક્ત કરી રહી છે. ભગવંત માન સાથે હજારોને ડ્રગ વિરોધી શપથ લેવડાવ્યા. 2,000+ કિ.ગ્રા. ડ્રગ્સ જપ્ત, બુલડોઝરથી હવેલી તોડી, હવે શાળાઓમાં જાગૃતિ અભિયાન. વિગતો જુઓ.
અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માને મોગાના રણકે ગામમાં ડ્રગ વિરોધી ઝુંબેશનો બીજો તબક્કો શરૂ કર્યો. હજારો લોકોને ડ્રગ મુક્ત પંજાબ માટે શપથ લેવડાવ્યા. 2,000+ કિ.ગ્રા. ડ્રગ્સ જપ્ત, બુલડોઝરથી હવેલી તોડી, હવે શાળાઓમાં જાગૃતિ અભિયાન. વિગતો જુઓ.
મહાશિવરાત્રી પર અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી ભગવંત માન અને મનીષ સિસોદિયાએ પંજાબના સંગરુર જિલ્લાના રણકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી. દેશની સમૃદ્ધિ, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે પ્રાર્થના – ફોટા અને વીડિયો વાયરલ. વિગતો જુઓ.
સુરતની સરકારી શાળાઓને મોટી જીત. AAP નેતા રાકેશ હિરપરાના 3 વર્ષના સંઘર્ષથી સફાઈ ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો – ₹1,000થી ₹5,000-15,000 મળશે. 2 લાખ+ વિદ્યાર્થીઓને સ્વચ્છ શાળા, સફાઈ કર્મચારીઓને વધુ વળતર. શિક્ષણ સમિતિના 100 વર્ષમાં પહેલી વખત આવો વધારો! વાંચો વિગતો.
સુરત તાપી નદીમાં ઇન્ટેકવેલ ઝૂકીને જોખમમાં! AAP નેતા રામ ધડુક અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ પર પહોંચી સ્થિતિ જોઈ, કહ્યું – ટેકનિકલ ખામીઓથી કરોડોનું નુકસાન થશે, તાત્કાલિક સ્ટ્રક્ચરલ ચેક કરો અને જવાબદારો સામે કાર્યવાહી કરો. પૂરનું બહાનું ન બને. વાંચો વિગતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું કૌભાંડ! 21 ટાટા ટીગોર ઇલેક્ટ્રિક ગાડીઓ પર 5 વર્ષમાં 2.64 કરોડ ભાડું ચૂકવ્યું, જ્યારે ગાડીઓની કિંમત માત્ર 2.10 કરોડ. AAP શહેર પ્રમુખ વિજય પટેલે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો – પ્રજાના ટેક્સનો દુરુપયોગ! AMCની અકુશળતા પર AAPનો હુમલો. વાંચો વિગતો.
અમદાવાદ ઓમ નગર રેલ્વે ફાટક પર અંડરબ્રિજનું કામ 3 વર્ષથી અધૂરું! બાળકો જીવ જોખમમાં મૂકી ફાટક ક્રોસ કરે છે, હોસ્પિટલ પહોંચવું અશક્ય, ઇમરજન્સીમાં વાહન અટકે છે. AAP નેતા ગૌરી દેસાઈ સ્થાનિકો સાથે સ્થળ પર પહોંચી, AMCને ચેતવણી – તાત્કાલિક કામ નહીં તો ઉગ્ર આંદોલન! વાંચો વિગતો.
અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાયના તીખા સવાલ, ભારતને દબાણમાં લાવી ડીલ થોપી? ટેરિફ 0%, મોંઘું ક્રૂડ ઓઇલ, કૃષિ ક્ષેત્રને ખતરો – નવી ગુલામીની શરૂઆત? સરકાર પર આરોપ, ખેડૂતોને નુકસાન. વાંચો પૂરી વિગતો.
આમ આદમી પાર્ટીના વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ફરી એકવાર ભાજપ સરકારને નિશાન બનાવ્યું છે. મુસાફરી દરમિયાન એક નિર્માણાધીન બ્રિજ જોઈને તેમણે ફેસબુક લાઈવમાં તીવ્ર કટાક્ષ કર્યો કે સરકારે બ્રિજ એટલો હલકો બનાવ્યો છે કે હાથ લગાડવાથી પણ તૂટી જાય, પણ ગાડીને કંઈ ન થાય.
AAP નેતા પ્રવીણ રામે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને ખેડૂતો માટે ઘાતક ગણાવી – અમેરિકન પેદાશો 0% ટેરિફથી ભારતમાં, ભારતીય પેદાશો 18% ટેરિફથી અમેરિકામાં. એગ્રી સેક્રેટરીના નિવેદન પછી ખેડૂતોના ભાવ તળિયે જશે. ભાજપ સરકારે દેશને ખતરામાં મૂક્યો. વિગતો જુઓ.
AAP ગુજરાતે “ડ્રગ્સથી આઝાદી” ઝુંબેશ શરૂ કરી: પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જાહેરાત કરી – 6 વર્ષમાં 1.30 લાખ કિલો ડ્રગ્સ ઝડપાયું, યુવાધન બરબાદ થઈ રહ્યું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવાની આગેવાનીમાં જિલ્લે-તાલુકે-ગામડે અભિયાન. એસપી કચેરી-પાનગલ્લામાં ડ્રગ્સ વેચાય છે, હોમ ડિલિવરી થાય છે. વિગતો જુઓ.
જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલનો સુખદ અંત: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થીથી મેનેજમેન્ટે 7માંથી 6 માંગણીઓ સ્વીકારી. 1 એપ્રિલથી કામ પ્રમાણે પગાર વધારો, 62 લોકોને પ્રમોશન, 20-25ને અપગ્રેડેશન અને હડતાળ દરમિયાનના પગારની ખાતરી. સરદાર સરોવર નિગમ સાથે લેખિત બાંહેધરી. વિગતો જુઓ.
દેવમોગરામાં યાહ મોગી માતાજીના મહાશિવરાત્રી મેળાની તૈયારી માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી. રોડ-રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, સુરક્ષા અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સાથે સંકલન પર ભાર. લાખો શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થાની વાત. વિગતો જુઓ.
નર્મદા ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા – આદિવાસીઓના અધિકારો અમલમાં મૂકાશે, Tribal Advisory Committee બનશે, 181 ગામોમાં શાળા-શિક્ષકોની સમસ્યા ઉકેલાશે. 2027માં AAP સરકારનો સંકલ્પ. વિગતો જુઓ.
સુરત ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ: AAP પાયલ સાકરીયાએ મનપા બેદરકારી અને 300 કરોડ કચરા કૌભાંડનો ખુલાસો કર્યો. 15 દિવસની ચેતવણી પછી પણ કાર્યવાહી નહીં, ભાજપ કોન્ટ્રાક્ટરને બચાવવાનો આરોપ. સ્વતંત્ર તપાસ અને કાર્યવાહીની માંગ. વિગતો જુઓ.
AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું કેમ્પેઇન લોન્ચ કર્યું: “ના બેટાનું ના બાપનું, ગુજરાત હવે AAPનું”. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના શોષણ સામે જાગૃતિ અભિયાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોસ્ટર અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે પહોંચશે. તાજા અપડેટ જુઓ.
ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.
મોરબી/ગુજરાત: આમ આદમી પાર્ટીએ મોરબીમાં “પરિવર્તન સભા”નું ભવ્ય આયોજન કર્યું, જેમાં અભૂતપૂર્વ જનમેદની જોવા મળી. હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા અને AAPને ખુલ્લેઆમ સમર્થન આપ્યું. સભામાં ભાજપ-કોંગ્રેસના પગ તળે રેલો આવી ગયો હોવાનું જોવા મળ્યું.
ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓ તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને સૌ કોઈ સુખદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને ભવ્ય આવકાર આપ્યો હતો.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ હતી. ઉમરપાડા, માંડવી અને વ્યારા ખાતે આયોજિત બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતુ.
અમદાવાદમાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે ખોડિયાર માતાના મંદિર સામે પોસ્ટરો લગાવીને તેને ઢાંકી દેવામાં આવ્યું હતું, જેનાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટએ આ મુદ્દે આકરો વિરોધ કર્યો અને લોકોને જાગૃત કર્યા. તેમના વીડિયો અને જાગૃત નાગરિકોના વિરોધ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝૂકી ગયું અને મંદિર સામેના તમામ પોસ્ટરો ઉતારવા પડ્યા.
AAP જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં AAPએ નાયબ કાર્યપાલક ઇજનેરને કરી ઉગ્ર રજૂઆત, કોન્ટ્રાક્ટરો બેઇમાની કરે છે અને નિયમો અનુસાર કામ કરતા નથી: પિયુષ પટેલ
ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા ભાજપ બેડામાં ફફડાટ. જનસભામાં ઉમટેલી જનમેદની પરિવર્તનનો સંકેત, તમારા આર્શીવાદનો એક હાથ અમારા માથા પર પડશે તો ગુજરાતની કાયાપલટ થઈ શકે છે : ગોપાલ ઇટાલિયા
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માનએ જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિઓના નવા ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી. આ બેઠકમાં ડ્રગ્સ સામેના યુદ્ધ જેવી જ ગુંડાઓ સામે મોટી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી – પંજાબમાં ગુંડાઓ અને તેમના નેટવર્કનો નાશ કરવામાં આવશે.
સાગર રબારીએ ભાજપ પર આરોપ લગાવ્યા: ગુજરાત પાણીમાં 30મો, કુપોષણમાં 31મો નંબર – નલ સે જલ, મનરેગા, વાઇબ્રન્ટમાં ભ્રષ્ટાચાર, FDI નહીં.
AAP ગુજરાત જોડો અભિયાનમાં સુરત કઠોદરામાં વિશાળ જનસભા – ગોપાલ ઇટાલિયાએ ભાજપના 30 વર્ષના શાસન પર સવાલ ઉઠાવ્યા, રિંકલ પોશિયા પાર્ટીમાં જોડાયા.
ઝઘડિયાની નાઈટ્રેકસ કેમિકલ કંપની સામે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને. PF, ગ્રેજ્યુઈટી અને કાયમી નોકરીની માંગ સાથે અનિશ્ચિતકાળ સુધી આંદોલનની ચીમકી.
સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતોને માવઠું વળતર નહીં મળ્યું – AAP વિક્રમ દવેએ સરકાર પર ટેકનિકલ ખામી બહાનાના આરોપ લગાવ્યા, આંદોલનની ચેતવણી.
સુરતમાં 4600+ દૂષિત પાણી સેમ્પલ ફેલ – AAP પાયલ સાકરીયાએ ભાજપ મનપા અને મેયર પર આકરા પ્રહાર, મેટ્રો ખોદાણ અને બેદરકારીના આરોપ.
ઝઘડિયા GIDCમાં ચૈતર વસાવાના આંદોલનનો સુખદ અંત – નાઇટ્રેક્સ કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી, પગાર વધારો અને કાયમી નોકરીની ખાતરી.